મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને પેરુ વચ્ચેની સમજૂતિને મંજૂરી આપી

Posted On: 13 JUN 2018 6:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લીમા, પેરૂ ખાતે મે 2018માં ભારત અને પેરૂ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપી હતી.

આ સમજૂતિનો ઉદ્દેશ નવીન અને નવીનીકરણીય ઊર્જાના મામલે પરસ્પરના લાભ અને સમાનતાના આધારે દ્વિપક્ષીય તકનિકી સહયોગ વધારવા માટે સહયોગાત્મક સંસ્થાગત સંબંધ સ્થાપિત કરવાનો છે. આ કરારના અમલીકરણ માટે એક કાર્ય યોજના ઘડવા સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે.

આ કરાર બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.

 

NP/RP



(Release ID: 1535404) Visitor Counter : 83