પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવર ધસી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે પીએમએનઆરએફમાંથી નાણાકીય મદદની જાહેરાત કરી

Posted On: 16 MAY 2018 9:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 મે, 2018ના રોજ વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવર ધસી પડવાથી મૃત્યુ પામેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપત્તિ ભંડોળમાંથી રૂ. બે લાખ પ્રતિ વ્યક્તિ નાણાકીય મદદ આપવાની મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રીએ નિર્માણાધીન ફ્લાયઓવર ધસી પડવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે પણ રૂ. 50,000 પ્રતિ વ્યક્તિ નાણાકીય મદદ આપવા મંજૂરી આપી છે.

 

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1532506) Visitor Counter : 77