ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ગુવાહાટી યુનિવર્સિટીમાં ₹110 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો


ઉપરાષ્ટ્રપતિએ ગુવાહાટી યુનિવર્સિટીમાં ભૂપેન હજારિકા અને અસમિયા શબ્દકોશ વિજ્ઞાન પરના પુસ્તકોનું વિમોચન કર્યું

અસમિયા-તમિલ સાહિત્યિક અનુવાદો ભારતની સાંસ્કૃતિક એક્તાને પ્રતિબિંબિત કરે છે: ઉપરાષ્ટ્રપતિ

નો ટુ ડ્રગ્સ, સમયનું સ્માર્ટ સંચાલન કરો અને શિસ્તબદ્ધ રહો: યુવાનોને ઉપરાષ્ટ્રપતિનું આહ્વાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝને સમગ્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણની તકોનો વિસ્તાર કર્યો છે: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર ક્ષેત્રે અસમની પ્રગતિના વખાણ કર્યા

પોસ્ટેડ ઓન: 07 SEP 2026 2:24PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ગુવાહાટી યુનિવર્સિટી ખાતે એક નવું મલ્ટિડિસિપ્લિનરી એકેડેમિક બિલ્ડિંગ, નવું બોયઝ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ, તેમજ ઓડિટોરિયમ અને લાઇબ્રેરી સંબંધિત કાર્યો સહિત ₹110 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.


 

સભાને સંબોધતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને 26 જાન્યુઆરી, 1948 ના રોજ સ્થાપિત ગુવાહાટી યુનિવર્સિટીના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારત રત્ન ગોપીનાથ બોરદોલોઈ સહિતના અગ્રણી નેતાઓ દ્વારા ચલાવવામાં આવેલા સતત જન આંદોલન બાદ ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રથમ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થઈ હતી. તેમણે નોંધ્યું હતું કે યુનિવર્સિટી આ પ્રદેશમાં એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જે NAAC A+ માન્યતા અને NIRF 2025 માં સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓમાં 9મો ક્રમ ધરાવે છે.

ભારતના ભાષાકીય વારસાને જાળવી રાખવાના યુનિવર્સિટીના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ભાષા સંસ્કૃતિની સ્મૃતિ, વિવેકબુદ્ધિ અને ઓળખને વહન કરે છે. તેમણે અસમિયા અને તમિલ સાહિત્યિક કૃતિઓનું એકબીજામાં અનુવાદને આવકાર્યો હતો અને અસમ અને તમિલનાડુ વચ્ચે વધુ શૈક્ષણિક અને સાહિત્યિક આદાનપ્રદાનને પ્રોત્સાહિત કર્યું હતું, અને અવલોકન કર્યું હતું કે ભારતની ભાષાકીય વિવિધતા તેની સાંસ્કૃતિક એક્તાથી સમૃદ્ધ બને છે.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને બ્રહ્મપુત્રા બેસિન, લુપ્તપ્રાય ભાષાઓ, બહુભાષીવાદ, મહિલા અધ્યયન, પર્યાવરણીય સ્થિરતા અને ભારતીય જ્ઞાન પરંપરાઓ પર યુનિવર્સિટીના સંશોધનની પ્રશંસા કરી હતી. બ્રહ્મપુત્રાને પર્યાવરણીય, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે વર્ણવતા તેમણે પ્રાદેશિક અને રાષ્ટ્રીય બંને પડકારોને ઉકેલતા સંશોધનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

2014 થી ભારતના ઉચ્ચ શિક્ષણ ઇકોસિસ્ટમના વિસ્તરણ પર પ્રકાશ પાડતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને દેશભરમાં શૈક્ષણિક તકોનો વિસ્તાર કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વની પ્રશંસા કરી હતી, જેમાં નવી IITs, IIMs, IIITs, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, AIIMS અને અન્ય સંસ્થાઓની સ્થાપના નોંધવામાં આવી હતી. તેમણે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓના નામાંકનમાં 42.2 ટકાનો વધારો થયો હોવાનું પણ ટાંક્યું હતું, જે 2014-15 માં 1.57 કરોડથી વધીને 2023-24 માં 2.24 કરોડ થયો છે, અને મહિલાઓની વધતી ભાગીદારી અને શૈક્ષણિક સિદ્ધિઓને સશક્તિકરણના એક મહત્વપૂર્ણ સૂચક તરીકે વર્ણવી હતી.

તેમણે મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળ અસમની વિકાસ યાત્રાની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, શિક્ષણ, રોકાણ અને રોજગાર ક્ષેત્રે. તેમણે રાજ્યના સુધારેલા શૈક્ષણિક પ્રદર્શન, IIM ગુવાહાટી ખાતે પ્રથમ MBA બેચની શરૂઆત અને 2021 થી 1.64 લાખથી વધુ મેરિટ-આધારિત સરકારી નિયુક્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

વિદ્યાર્થીઓ અને સંશોધકોને વિકસિત ભારત @2047 માં યોગદાન આપવા આહ્વાન કરતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને તેમને ઉચ્ચ સ્વપ્નો જોવા, સમુદાયના પડકારોને ઉકેલતા સંશોધનને આગળ ધપાવવા, ટેકનોલોજી માનવતાની સેવા કરે તે સુનિશ્ચિત કરવા અને નવીનતાને સર્વસમાવેશી વિકાસનું વાહન બનાવવા વિનંતી કરી હતી. સ્વામી વિવેકાનંદને ટાંકીને તેમણે યુવાનોને વિનંતી કરી કે, “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

આ પ્રસંગે શ્રી સી. પી. રાધાકૃષ્ણને અંકુરણ દત્તા અને નાની ગોપાલ મહંત દ્વારા સંપાદિત 'Bhupen Hazarika: Hundred Years of a Wandering Singer' અને 'ચંદ્રકાંત અભિધાન'ની 5મી સુધારેલી અને વિસ્તૃત આવૃત્તિનું વિમોચન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ ગુવાહાટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો, જેણે અસમની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પ્રદર્શિત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓને નો ટુ ડ્રગ્સ ના શપથ પણ લેવડાવ્યા હતા, અને યુવાનોને માદક દ્રવ્યોના સેવનથી દૂર રહેવા, આત્મ-શિસ્ત પાળવા, પોતાના સમયનું વિવેકપૂર્વક સંચાલન કરવા અને સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગને મર્યાદિત કરવા વિનંતી કરી હતી.

આ કાર્યક્રમમાં અસમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, શિક્ષણ મંત્રી ડૉ. રણોજ પેગુ, મુખ્ય સચિવ ડૉ. રવિ કોટા, ગુવાહાટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નાની ગોપાલ મહંત, રજિસ્ટ્રાર પ્રો. ઉત્પલ સરમા, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/NP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2307404) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Malayalam