કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ભારતે વૈશ્વિક સ્તરે પ્રાસંગિક રહેવા માટે કૌશલ્યની સાથે મનની કેપેસિટી બિલ્ડિંગ પણ એટલી જ આવશ્યક: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ
ઝડપથી ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે કેપેસિટી બિલ્ડિંગ સામૂહિક, સમગ્ર-સમાજ અભિગમમાં વિકસિત થવું જોઈએ: ડૉ. જિતેન્દ્ર સિંહ
રાષ્ટ્રીય ક્ષમતાના નિર્માણ માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને સમાજે સાથે મળીને કામ કરવું જોઈએ: ડૉ. જિતેન્દ્ર સિંહ
ભારતમાં સંશોધન અને ઇનોવેશન માટે પરોપકાર (ફિલાન્થ્રોપી) ની સંસ્કૃતિ બનાવવાની જરૂરિયાત: ડૉ. જિતેન્દ્ર સિંહ
પોસ્ટેડ ઓન:
26 AUG 2026 4:12PM by PIB Ahmedabad
ભારતે વૈશ્વિક સ્તરે પ્રાસંગિક રહેવા માટે કૌશલ્યની સાથે મનની ક્ષમતા વર્ધના (કેપેસિટી બિલ્ડિંગ) પણ એટલી જ આવશ્યક છે, તેમ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને PMO, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઉર્જા અને સ્પેસ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું.
ઝડપથી બદલાતા તકનીકી અને વૈશ્વિક વાતાવરણમાં અસરકારક પ્રતિભાવ આપવા માટે કેપેસિટી બિલ્ડિંગ વ્યક્તિગત, કૌશલ્ય-આધારિત અભિગમમાંથી સામૂહિક અને સમગ્ર-સમાજના પ્રયાસમાં વિકસિત થવું જોઈએ, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કેપેસિટી બિલ્ડિંગ પરની રાઉન્ડટેબલને સંબોધતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તકનીકી અને સામાજિક ઉત્ક્રાંતિની ગતિમાં જબરદસ્ત વધારો થયો છે, જેનાથી સતત શીખવું અનિવાર્ય બની ગયું છે. તેમણે કહ્યું કે આજે જે શીખે છે તે આવતીકાલ સુધીમાં જૂનું થઈ શકે છે, અને તેથી વ્યક્તિઓ અને સંસ્થાઓએ સતત શીખતા રહેવાની અને સતત અનુકૂલન સાધવાની ક્ષમતા વિકસાવવી જોઈએ.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે સામૂહિક કેપેસિટી બિલ્ડિંગ વધુને વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સંસ્થાઓએ સંકલિત રીતે કામ કરવાનું શીખવું જોઈએ અને નવા પડકારોનો ઝડપથી પ્રતિભાવ આપવા અને નીતિઓને અસરકારક અમલીકરણમાં રૂપાંતરિત કરવા માટે સંગઠનાત્મક સીમાઓ પાર સંકલન કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે એવા અભિગમ તરફ આગળ વધવું જોઈએ જે સમગ્ર-સમાજના પરિપ્રેક્ષ્ય સાથે સંસ્થાકીય સંકલનને જોડે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેપેસિટી બિલ્ડિંગ માત્ર કૌશલ્ય વિકસાવવા અથવા સોંપાયેલ કાર્યો કરવા માટે વ્યક્તિઓને તૈયાર કરવા પૂરતું સીમિત ન હોવું જોઈએ. તેમણે "મનની કેપેસિટી બિલ્ડિંગ" ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, અને કહ્યું હતું કે વ્યક્તિઓ અને સંસ્થાઓને અનુકૂલન કરવા, ઇનોવેટ કરવા અને પ્રાસંગિક રહેવા માટે યોગ્ય માનસિકતા વિકસાવવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો ભારતે વૈશ્વિક સ્તરે પ્રાસંગિક રહેવું હોય તો તેણે વૈશ્વિક બેંચમાર્ક અને વૈશ્વિક વ્યૂહરચનાઓનું પાલન કરવું પડશે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર પાસેથી બધું જ કરવાની અપેક્ષા રાખી શકાય નહીં અને અન્ય હિસ્સેદારોની વધુ ભાગીદારી જરૂરી છે. સ્પેસ અને અણુ ઉર્જા જેવા ક્ષેત્રોને ખાનગી ભાગીદારી માટે ખોલવાના ભારતના અનુભવનો સંદર્ભ આપતા, તેમણે કહ્યું કે દેશે ક્ષેત્રોમાં કામ કરવાનું શીખવાની અને એક એવું ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂર છે જેમાં વિવિધ હિસ્સેદારો સમાન રાષ્ટ્રીય ઉદ્દેશ્ય તરફ યોગદાન આપે.
ડૉ. જિતેન્દ્ર સિંહે શાસનમાં વ્યવહારિકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, અને કહ્યું હતું કે અધિકારીઓએ તેમની જવાબદારીઓ પૂરી કરતી વખતે નિયમ પુસ્તકમાં અટવાઈ જવાથી આગળ વધવાનું શીખવું જોઈએ. તેમણે કહ્યું કે અસરકારક રીતે કામ કરવા માટે વ્યવહારિકતાની યોગ્ય માત્રાની જરૂર હોય છે અને તેના માટે માનસિકતામાં ફેરફાર જરૂરી છે.
મંત્રીએ કેપેસિટી બિલ્ડિંગમાં સતત શિક્ષણ પ્લેટફોર્મની વધતી જતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે iGOT પ્લેટફોર્મ પર 40 લાખથી વધુ નોંધાયેલા વ્યક્તિઓ છે, જે સરકારી અધિકારીઓ માટે સતત શિક્ષણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે શાસન અને કેપેસિટી બિલ્ડિંગના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના વિશાળ ઇકોસિસ્ટમના ભાગ રૂપે નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેપેસિટી બિલ્ડિંગમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને એક વિશાળ ઇકોસિસ્ટમમાં જોડી શકાય છે અને ભારતના ઐતિહાસિક અને પરંપરાગત જ્ઞાનને સમકાલીન રાજ્ય ક્ષમતા સાથે જોડવા માટે કૌટિલ્ય સેન્ટરની સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આવો અભિગમ વ્યાપક ગ્લોબલ સાઉથમાં કેપેસિટી બિલ્ડિંગ માટે એક મંચ પણ પૂરો પાડી શકે છે.
સંશોધન અને ઇનોવેશનમાં બિન-સરકારી ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા, મંત્રીએ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) અને ₹1 લાખ કરોડના RDI ફંડિંગ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પહેલો એવા વાતાવરણના નિર્માણના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે જ્યાં ખાનગી ભાગીદારી અને સંસાધનો સંશોધન અને ઇનોવેશનમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે ભારતમાં સંશોધન માટે પરોપકાર (ફિલાન્થ્રોપી) ની મજબૂત સંસ્કૃતિ બનાવવાનું પણ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે કેટલાક સામાજિક અને માનવતાવાદી કારણોસર પરોપકાર પહેલેથી જ કરવામાં આવે છે, ત્યારે સંશોધનને પરંપરાગત રીતે સમાન ધ્યાન મળ્યું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માનવતાના કલ્યાણ માટે સંશોધનને ટેકો આપવાને પણ સમાજ સેવા અને યોગદાનના એક સ્વરૂપ તરીકે જોવું જોઈએ.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જરૂરી ઇકોસિસ્ટમ બનાવવા માટે ભારતને તમામ સ્ત્રોતોમાંથી મોટા રોકાણની જરૂર છે. તેમણે કહ્યું કે દેશના યુવા સાહસિકો સાહસિકતા સાથે પ્રતિભાને જોડી રહ્યા છે અને તેમના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાથી ઇનોવેશનને ઝડપી બનાવવામાં અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત ક્ષમતાઓ નિર્માણ કરવામાં મદદ મળી શકે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે કેપેસિટી બિલ્ડિંગ અને જ્ઞાનના આદાન-પ્રદાનમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર વધુ પ્રકાશ પાડ્યો હતો. ગ્લોબલ સાઉથના દેશોના વધતા જતા જોડાણનો ઉલ્લેખ કરતા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવી પહેલો વધુ દેશોને એકસાથે લાવી શકે છે અને જ્ઞાન, અનુભવ અને કેપેસિટી બિલ્ડિંગ પદ્ધતિઓ શેર કરવા માટે એક વ્યાપક નેટવર્ક વિકસાવી શકે છે.
કેપેસિટી બિલ્ડિંગનો સામાન્ય ઉદ્દેશ્ય વ્યક્તિઓ, સંસ્થાઓ, સરકાર, ઉદ્યોગ અને સમાજને ભારતની પ્રગતિ અને વૈશ્વિક પ્રાસંગિકતા તરફ અસરકારક રીતે યોગદાન આપવા માટે સક્ષમ બનાવવાનો હોવો જોઈએ તેવા ભાર સાથે મંત્રીએ સમાપન કર્યું હતું.

ફોટો: બુધવારે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે નાલંદા યુનિવર્સિટી દ્વારા આયોજિત "રાઉન્ડટેબલ ઓન કેપેસિટી બિલ્ડિંગ" દરમિયાન બોલતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ.



SM/BS/JD
(રીલીઝ આઈડી: 2303535)
મુલાકાતી સંખ્યા : 17