ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ગ્રામીણ નવીનતા અને ટેકનોલોજી ટ્રાન્સફરને મજબૂત કરવા માટે નાબાર્ડ દ્વારા વિકસિત RSVC-AMRIT પ્લેટફોર્મ લોન્ચ કર્યું

प्रविष्टि तिथि: 15 AUG 2026 4:30PM by PIB Ahmedabad

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય કુમાર સૂદે 80મા સ્વતંત્રતા દિવસે, 15 ઓગસ્ટ 2026ના રોજ RSVC AMRIT પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, જે ટેકનોલોજી-સંચાલિત ગ્રામીણ વિકાસને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી (OPSA)ના સહયોગથી નાબાર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ અમૃત (AMRIT) પ્લેટફોર્મ, રુટેજ સ્માર્ટ વિલેજ સેન્ટર (RSVC) નિવસનતંત્રના 'ડિજિટલ બેકબોન' તરીકે સેવા આપે છે, જે ગ્રામીણ નવીનતા અને ટેકનોલોજી ટ્રાન્સફરને ટેકો આપે છે અને ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય ટેકનોલોજીઓને વ્યાપકપણે અપનાવવા માટે સક્ષમ બનાવે છે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં નાબાર્ડના ચેરમેન ડૉ. શાજી ક્રિષ્નન વી. સહિત વિવિધ સંસ્થાઓ અને હિતધારક જૂથોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

પોતાના સંબોધનમાં પ્રો. સૂદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, AMRIT ને ટેકનોલોજીની શોધ અને માન્યતાથી લઈને ડિપ્લોયમેન્ટ ટ્રેકિંગ, સહયોગ, દેખરેખ અને જ્ઞાન પ્રબંધન કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ઉત્તરોત્તર નવતર વિચારક, ટેકનોલોજી પ્રદાતાઓ, સ્ટાર્ટઅપ્સ, વેલિડેટર્સ, એક્સિલરેટર્સ, ઇમ્પ્લીમેન્ટેશન પાર્ટનર્સ, ફંડિંગ એજન્સીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામીણ સમુદાયોને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવશે. આ હિતધારકોને જોડીને, AMRIT દ્વારા સહયોગ મજબૂત બનવાની અને ગ્રામીણ વિસ્તારોમાં ટેકનોલોજીના પ્રસારને વેગ મળવાની અપેક્ષા છે, જે ટેકનોલોજી અને ઇનોવેશનને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદ કરશે.

આ પ્લેટફોર્મની જરૂરિયાત પર પ્રકાશ પાડતા ડૉ. ક્રિષ્નને નોંધ્યું હતું કે, ભારત પાસે વૈજ્ઞાનિક સંસ્થાઓ, નવતર વિચારકો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓનું સમૃદ્ધ નિવસનતંત્ર છે, પરંતુ યોગ્ય ટેકનોલોજીઓને ગ્રામીણ જરૂરિયાતો સાથે જોડવી એ હજુ પણ એક પડકાર છે. AMRIT આંતરમાળખાકીય જરૂરિયાતોને નવીનતાઓ, સંસ્થાઓ અને અમલીકરણ પદ્ધતિઓ સાથે જોડીને આ તફાવતને પૂરવા માંગે છે, જેનાથી પાયાના સ્તરે ટેકનોલોજીના પ્રસાર અને તેને અપનાવવાની પ્રક્રિયા મજબૂત બનશે. તેમણે હાલમાં સમર્થન આપવામાં આવી રહેલા 8 RSVCs ઉપરાંત દેશભરમાં આવા સાહસોને ટેકો આપવાની નાબાર્ડની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

RSVC પહેલ સંશોધન સંસ્થાઓ, નવતર વિચારકો અને સ્ટાર્ટઅપ્સ તરફથી યોગ્ય અને અર્થક્ષમ (affordable) ટેકનોલોજીઓને ગામડાના સ્તરના ટેકનોલોજી હબ દ્વારા ગ્રામીણ સમુદાયો સુધી પહોંચાડવાની સુવિધા આપે છે, જેમાં કૃષિ, ગ્રામીણ સાહસો, અક્ષય ઊર્જા, શિક્ષણ, સહાયક તકનીકો, પાણી અને સ્વચ્છતા તથા નાગરિક સેવાઓ જેવા ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે. AMRIT આ ભૌતિક પહોંચ પર ડિજિટલ સ્તર ઉમેરે છે, જેમાં નાબાર્ડ તેને ગ્રામીણ નવીનતાઓ, ટેકનોલોજીઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સહયોગની તકોના રાષ્ટ્રીય ભંડાર તરીકે વિકસાવવાની અપેક્ષા રાખે છે, જે વ્યાપક ટેકનોલોજી અપનાવવા અને વિકસિત ભારત 2047 ના વિઝનને ટેકો આપે છે.

આ પહેલ OPSA અને નાબાર્ડની સબસિડીયરી કંપની નેબફાઉન્ડેશન સાથે નાબાર્ડના અગાઉના ત્રિપક્ષીય MoU અને મુંબઈમાં તેની મુખ્ય કચેરી ખાતે RSVCs પર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના પર આધારિત છે. આ પ્રસંગે, નાબાર્ડ દ્વારા RSVCs ની સ્થાપના માટેની પોતાની યોજનાની વ્યાપક રૂપરેખા શેર કરવામાં આવી હતી, જેને નાબાર્ડ દ્વારા સહયોગ આપવામાં આવશે અને CSR પહેલો દ્વારા કોર્પોરેટ્સના સહયોગથી સ્થાપિત કરવામાં આવશે, જેમાં નેબફાઉન્ડેશન ઇમ્પ્લીમેન્ટેશન પાર્ટનર તરીકે સેવા આપશે.

લોન્ચિંગ કાર્યક્રમ આ લિંક પરથી જોઈ શકાય છે: https://www.youtube.com/live/PXitjx7p8eY?si=wBipNND88Czxfv-6

SM/DK/JD


(रिलीज़ आईडी: 2299909) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी