સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સરકારે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામતના ઉદ્દેશ્ય અને પાત્રતાના માનદંડ સ્પષ્ટ કર્યા
બંધારણ (103મો સુધારો) અધિનિયમ, 2019 દ્વારા 10% સુધીની અનામત સક્ષમ બનાવાઈ
હાલની EWS અનામત જોગવાઈઓમાં સુધારો કરવાની કોઈ દરખાસ્ત વિચારાધીન નથી
प्रविष्टि तिथि:
05 AUG 2026 6:41PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની અનામત નીતિનો ઉદ્દેશ્ય એવા આર્થિક રીતે નબળા વ્યક્તિઓને અનામતના લાભો પૂરા પાડવાનો છે જેઓ અનુસૂચિત જાતિઓ (SCs), અનુસૂચિત જનજાતિઓ (STs) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBCs) માટેની હાલની અનામત યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.
સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્માએ લોકસભામાં શ્રી વિજય બઘેલના એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ગૃહને જણાવવામાં આવ્યું હતું કે બંધારણ (એકસો ત્રણ મો સુધારો) અધિનિયમ, 2019 દ્વારા બંધારણમાં અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવ્યા છે, જેનાથી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નાગરિક જગ્યાઓ તેમજ સેવાઓમાં નમણૂકોમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા સુધીની અનામત સક્ષમ બની છે.
લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિઓના પરિવારની વાર્ષિક કુલ આવક ₹8.00 લાખથી ઓછી છે તેઓને અનામતના હેતુ માટે આર્થિક રીતે નબળા વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, શરત એ છે કે તેઓ હાલની અનામત યોજનાઓ હેઠળ આવરી લેવાયેલા ન હોવા જોઈએ. જો કે, કૌટુંબિક આવક ધ્યાને લીધા વિના, જે વ્યક્તિઓના પરિવાર પાસે પાંચ એકર કે તેથી વધુ ખેતીની જમીન, 1,000 ચોરસ ફૂટ કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક ફ્લેટ, અધિસૂચિત નગરપાલિકાઓમાં 100 ચોરસ વાર કે તેથી વધુનો રહેણાંક પ્લોટ, અથવા અધિસૂચિત નગરપાલિકાઓ સિવાયના વિસ્તારોમાં 200 ચોરસ વાર કે તેથી વધુનો રહેણાંક પ્લોટ હોય, તો તેમને EWS તરીકે ઓળખવામાંથી બાકાત રાખવામાં આવે છે.

છત્તીસગઢમાં EWS અનામત નીતિના અમલીકરણ અંગે, ગૃહને માહિતગાર કરવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ, છત્તીસગઢ લોક સેવા (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટે અનામત) (સુધારા) વિધેયક, 2022, જેમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની જોગવાઈ છે, તેને હજુ સુધી મંજૂરી મળી નથી. પરિણામે, રાજ્ય સરકારમાં EWS અનામત નીતિનો અમલ કરવામાં આવ્યો નથી.
આર્થિક રીતે નબળા વર્ગો માટેની અનામત સંબંધિત વર્તમાન જોગવાઈઓની કોઈ સમીક્ષા કે સુધારા અંગેના પ્રશ્નનો જવાબ આપતાં ગૃહને જણાવવામાં આવ્યું હતું કે મંત્રાલયમાં આવી કોઈ દરખાસ્ત વિચારાધીન નથી.
SM/JY/JD
(रिलीज़ आईडी: 2295251)
आगंतुक पटल : 9