સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસો 2023માં વધીને 53,372 થયા, 2024 સુધીમાં દોષસિદ્ધિ અને સજા પામેલા વ્યક્તિઓની સંખ્યા બમણાથી વધુ થઈ
NCRBનો ડેટા દર્શાવે છે કે 28 રાજ્યોમાં અનુસૂચિત જાતિઓ વિરુદ્ધ નોંધાયેલા કેસો 2020માં 45,995થી વધીને 2023માં પાંચ વર્ષની ઉચ્ચતમ સપાટીએ 53,372 થયા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સજા પામેલા વ્યક્તિઓની સંખ્યા 4,855 થી વધીને 7,884 થઈ
प्रविष्टि तिथि:
30 JUL 2026 6:49PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય દ્વારા આજે રાજ્યસભામં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ નોંધાયેલા અનુસૂચિત જાતિના સભ્યો વિરુદ્ધના ગુનાઓ અંગે 2020થી 2024 સુધીના પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતા વિગતવાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વાઇઝ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા તેના પ્રકાશિત અહેવાલ “ક્રાઇમ ઇન ઇન્ડિયા” માં સંકલિત અને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે દેશનો સત્તાવાર ગુના-આંકડાકીય ડેટાબેઝ છે, જેના અહેવાલો વર્ષ 2024 સુધી ઉપલબ્ધ છે.
આ માહિતી સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી માનનીય શ્રી રામદાસ આઠવલે દ્વારા રાજ્યસભામાં સાંસદ શ્રી સંજય સિંહના એક લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
લેખિત જવાબમાં જણાવાયું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ નોંધાયેલા કેસો 2020માં 45,995 હતા, જેમાંથી 36,178 કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી હતી, 17,113 કેસો વર્ષના અંતે તપાસ હેઠળ રહ્યા હતા, અને 2,613 કેસોમાં દોષસિદ્ધિ (સજા) થઈ હતી. તેવી જ રીતે, તે વર્ષે કુલ 61,925 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, 75,238 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, અને 4,855 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષના અંતે 1,77,379 કેસોની ટ્રાયલ (અદાલતી કાર્યવાહી) પેન્ડિંગ હતી.
2021માં, નોંધાયેલા કેસો આશરે 45,800 થી 46,100 પર સ્થિર રહ્યા હતા, જેમાંથી 37,123 કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને આશરે 16,300 થી 16,400 કેસો તપાસ હેઠળ પેન્ડિંગ હતા. દોષસિદ્ધિ (સજા) વાળા કેસો વધીને 2,848 થયા, ધરપકડો કુલ આશરે 58,700 થી 58,800 થઈ, અને આશરે 74,000 થી 74,100 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પેન્ડિંગ ટ્રાયલ વાળા કેસો વધુ વધીને આશરે 2,05,800 થી 2,06,000 સુધી પહોંચ્યા, અને 5,141 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા.
ત્યારબાદ 2022માં કેસોની નોંધણીમાં તીવ્ર વધારો થઈને 52,866 કેસો નોંધાયા, જેમાં આશરે 42,000 થી 42,900માં ચાર્જશીટ કરવામાં આવી અને આશરે 17,000 થી 17,200 કેસો તપાસ હેઠળ પેન્ડિંગ રહ્યા. અગાઉના વર્ષની સરખામણીમાં દોષસિદ્ધિ (સજા) ના કિસ્સાઓ લગભગ બમણા થઈને 4,876 થયા. ધરપકડોની સંખ્યા આશરે 65,000 થી 65,150 હતી, ચાર્જશીટ થયેલ વ્યક્તિઓની સંખ્યા 84,074 થી 84,145 વચ્ચે હતી, અને દોષિત ઠરેલ વ્યક્તિઓની સંખ્યા તીવ્રતાથી વધીને આશરે 9,070 થી 9,080 થઈ. પેન્ડિંગ ટ્રાયલ વાળા કેસો વધીને 2,33,500 થી 2,33,750 વચ્ચે પહોંચ્યા.
ActRiseto53,372in202330.7.26YVWS.png)
2023માં, નોંધાયેલા કેસો ફરી વધીને પાંચ વર્ષની ઉચ્ચતમ સપાટીએ 53,372 થયા, જેમાં 45,439 કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી અને 14,634 કેસો તપાસ હેઠળ પેન્ડિંગ હતા. દોષસિદ્ધિ (સજા) વાળા કેસો 4,691 રહ્યા. કુલ 61,747 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, ચાર્જશીટ કરાયેલ વ્યક્તિઓની સંખ્યા 90,664 રહી — જે સમયગાળાની સૌથી વધુ હતી — અને 7,858 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા. પેન્ડિંગ ટ્રાયલ વાળા કેસો વધીને 2,62,554 થયા.
2024 સુધીમાં, નોંધાયેલા કેસો ઘટીને 48,669 થયા, જેમાં 40,614 કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી અને 14,918 કેસો તપાસ હેઠળ પેન્ડિંગ હતા. દોષસિદ્ધિ (સજા) વાળા કેસો વધીને 5,192 થયા, જે પાંચ વર્ષના સમયગાળાનો સૌથી વધુ આંકડો છે, અને દોષિત ઠરેલ વ્યક્તિઓની સંખ્યા 10,839 સુધી પહોંચી, જે પણ પાંચ વર્ષની ઉચ્ચતમ સપાટી છે — જે 2020ના આંકડા કરતા બમણાથી પણ વધુ છે. કુલ ધરપકડો 55,286 રહી અને ચાર્જશીટ કરાયેલ વ્યક્તિઓની સંખ્યા 84,215 રહી, જ્યારે પેન્ડિંગ ટ્રાયલ વાળા કેસો વધુ વધીને 2,87,694 થયા, જે પણ આ સમયગાળામાં સૌથી વધુ છે.
મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો હતો કે NCRBનો 'ક્રાઇમ ઇન ઇન્ડિયા' અહેવાલ અનુસૂચિત જાતિઓ સામેના ગુનાઓની દેખરેખ માટે સત્તાવાર અને જાહેર રીતે ઉપલબ્ધ સ્ત્રોત બની રહ્યો છે, અને અનુસૂચિત જાતિ સમુદાયોની સુરક્ષા અને સલામતી અંગેની નીતિ ઘડવા માટે સરકાર કેટેગરી વાઇઝ ઘટનાઓ અને કેસના પરિણામો પર સતત નજર રાખે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2292075)
आगंतुक पटल : 12