કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશની શ્રમ શક્તિ માટે 'સેવા' અને 'સન્માન' એ આપણા શાસનના મૂળમાં છે: ડૉ. મનસુખ માંડવિયા


15 કરોડ અને ગણતરી ચાલુ છે: એક દાયકામાં ESICના લાભાર્થીઓ બમણા થયા: ડૉ. માંડવિયા

ડૉ. મનસુખ માંડવિયાએ તેલંગાણામાં ESIC હોસ્પિટલ સનાતનનગરના નવા OPD બ્લોકનું ઉદ્ઘાટન કર્યું; આ સુવિધાથી સમગ્ર રાજ્યમાં 12 લાખથી વધુ લોકોને ફાયદો થશે

प्रविष्टि तिथि: 14 JUL 2026 5:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે તેલંગાણામાં ESIC હોસ્પિટલ, સનાતનનગરના નવા OPD બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. Rs 211.13 કરોડના કુલ ખર્ચે બનેલી આ નવી તબીબી સુવિધા સમગ્ર તેલંગાણામાં 12.3 લાખથી વધુ વીમાકૃત વ્યક્તિઓ અને લાભાર્થીઓની જરૂરિયાતો પૂરી કરશે.

સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે શ્રમ શક્તિ અને યુવા શક્તિ એ રાષ્ટ્ર નિર્માણના બે મુખ્ય સ્તંભો છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મહત્વપૂર્ણ છે, પરંતુ દેશની પ્રગતિમાં શ્રમ શક્તિ કેન્દ્ર સ્થાને રહે છે. તેમણે શ્રમજીવીઓ માટે ગૌરવ, સન્માન અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યમાં અસરકારક રીતે યોગદાન આપી શકે. તેમણે રેખાંકિત કર્યું કે મોદી સરકાર હેઠળ દેશની શ્રમ શક્તિ માટે "સેવા" અને "સન્માન" શાસનના મૂળમાં રહેશે.

સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે એક દાયકા પહેલા ESIC લાભાર્થીઓની સંખ્યા આશરે 7.5 કરોડ હતી જે વધીને હાલમાં 15 કરોડથી વધુ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના અંદાજોનો ઉલ્લેખ કરતા તેમણે માહિતી આપી હતી કે ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ 2014 માં 19 ટકાથી વધીને આજે 64 ટકાથી વધુ થયું છે, જેમાં 94 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી વિવિધ કલ્યાણકારી પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં 80 કરોડથી વધુ લાભાર્થીઓ માટે મફત અનાજ અને પાત્ર પરિવારો માટે ચાર કરોડથી વધુ પાકા મકાનોનું નિર્માણ સામેલ છે, જે ભારતના શ્રમબળ માટે જીવન જીવવાની સરળતાને મજબૂત બનાવે છે.

શ્રમ સુધારાઓ વિશે વાત કરતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ચાર લેબર કોડ્સે હાલના 29 શ્રમ કાયદાઓનું સ્થાન લીધું છે, જેણે એક સરળ અને શ્રમિક-કેન્દ્રીય શ્રમ માળખાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે ફરજિયાત નિમણૂક પત્રો, 40 વર્ષથી વધુ ઉંમરના શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ, પુરુષો અને મહિલાઓ માટે સમાન વેતન અને 1 વર્ષની સેવા પછી ગ્રેચ્યુઈટીની પાત્રતા જેવી જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો હતો. સૌહાર્દપૂર્ણ ઔદ્યોગિક સંબંધોના મહત્વ પર ભાર મૂકતા, ડૉ. માંડવિયાએ નોકરીદાતાઓ અને કર્મચારીઓને વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુવિધા શ્રમિકો માટે આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત કરશે અને તેમના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાની પુનરોચ્ચાર કર્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે, કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને સ્વીકારીને તેલંગાણાના સનાતનનગર ખાતેની ESIC હોસ્પિટલમાં OPD બ્લોકના વિકાસમાં યોગદાન આપનાર બાંધકામ શ્રમિકોનું સન્માન પણ કર્યું હતું. તેમણે શ્રમિકોના કલ્યાણ માટે સરકારની સતત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતા ESI લાભાર્થીઓને રોકડ લાભોનું વિતરણ પણ કર્યું હતું.

ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, સનાતનનગર ખાતેનો નવો OPD બ્લોક એ આરોગ્ય સંભાળની એક સીમાચિહ્નરૂપ સુવિધા છે જે હૈદરાબાદ, મેડચલ-મલ્કાજગીરી, સંગારેડ્ડી, રંગારેડ્ડી અને મહેબૂબનગર જિલ્લાઓને આવરી લેતા સમગ્ર તેલંગાણાના 12,30,183 વીમાકૃત વ્યક્તિઓ અને લાભાર્થીઓને આધુનિક, વ્યાપક આઉટપેશન્ટ સેવાઓ પ્રદાન કરશે અને મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ હોવાના નાતે સમગ્ર રાજ્યના વીમાકૃત વ્યક્તિઓની જરૂરિયાતો પણ પૂરી કરશે. 43,611.04 ચોરસ મીટરના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલી આ સુવિધામાં જનરલ મેડિસિન, ENT, ડેન્ટિસ્ટ્રી, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઓપ્થાલમોલોજી, ઓર્થોપેડિક્સ, સાયકિયાટ્રી, ડર્મેટોલોજી, પલ્મોનોલોજી, પીડિયાટ્રિક્સ, જનરલ સર્જરી અને આયુષ માટેના ઓપીડી કોમ્પ્લેક્સ છે, આ ઉપરાંત ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન, રેડિયોલોજી, યોગા, 180 જનરલ બેડ (ત્રણ 60-બેડના વોર્ડમાં), 25 ICU અને 20 NICU બેડ, ICU/NICU યુનિટ્સ, મેડિકલ સ્ટોર્સ અને ક્લિનિકલ લેક્ચર થિયેટરનો સમાવેશ થાય છે.

આ ઉદ્ઘાટનો આરોગ્ય સંભાળ માળખાના વિસ્તરણ અને ભારતના શ્રમબળ માટે સામાજિક સુરક્ષાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે રાષ્ટ્રીય પ્રગતિના કેન્દ્રમાં શ્રમબળના ગૌરવ, આરોગ્ય અને કલ્યાણને રાખીને સરકારના શ્રમેવ જયતેના વિઝનને સાકાર કરે છે.

SM/JY/JD

 


(रिलीज़ आईडी: 2284626) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Telugu