સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

UNICEF ઇન્ડિયા, PIB, વેસ્ટર્ન ઝોન અને AIIMS, નાગપુર દ્વારા બાળપણના NCD પર રિપોર્ટિંગને મજબૂત કરવા માટે બે દિવસીય મીડિયા કેપેસિટી-બિલ્ડિંગ વર્કશોપનું સમાપન


મીડિયાકર્મીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સ, AIIMS નાગપુર ખાતે બાળપણના બિન-ચેપી રોગોની સંભાળ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો

प्रविष्टि तिथि: 14 JUL 2026 3:33PM by PIB Ahmedabad

પશ્ચિમ ભારતના 30 થી વધુ મીડિયાકર્મીઓ બાળપણના બિન-ચેપી રોગો (NCDs) પર કવરેજ મજબૂત કરવા માટે એમ્સ, નાગપુર ખાતે આજે સંપન્ન થયેલા બે દિવસીય મીડિયા ક્ષમતા નિર્માણ વર્કશોપમાં એકઠા થયા હતા.

આ વર્કશોપનું સહ-આયોજન UNICEF ઇન્ડિયા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (વેસ્ટર્ન ઝોન) અને AIIMS નાગપુર દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન મીડિયાકર્મીઓએ બાળપણના NCDનું નિદાન, સારવાર અને સંચાલન કેવી રીતે કરવામાં આવે છે અને હેલ્થ રિપોર્ટિંગને વધારવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

આ વર્કશોપનો ઉદ્દેશ્ય 5 થી 9 વર્ષની વયના બાળકો અને 10 થી 19 વર્ષની વયના કિશોરોમાં NCDના વધતા જોખમને રેખાંકિત કરવાનો હતો. પશ્ચિમ અને મધ્ય ભારતના આદિવાસી અને ગ્રામીણ ભાગોમાં બાળપણના એનસીડી (NCDs) ઘણીવાર નિદાન અને નિષ્ણાત સંભાળની મર્યાદિત પહોંચની સાથે સામે આવે છે, જ્યારે શહેરી કેન્દ્રો બેઠાડુ જીવનશૈલી, સ્ક્રીન ટાઇમ અને આહારમાં ફેરફારને કારણે બાળપણની સ્થૂળતા, ડાયાબિટીસ અને માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ જેવી પરિસ્થિતિઓમાં સમાંતર વધારો જોઈ રહ્યા છે. ગ્રામીણ, આદિવાસી કે શહેરી વાતાવરણમાં, જટિલતાઓ વિકસે ત્યાં સુધી બાળપણની આ પરિસ્થિતિઓ વારંવાર શોધાયા વિનાની રહે છે.

આ પ્રસંગે બોલતા, માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (વેસ્ટર્ન ઝોન) ના ડાયરેક્ટર જનરલ સ્મિતા વત્સ શર્માએ જણાવ્યું હતું કે, “જાહેર આરોગ્યનું રિપોર્ટિંગ જાગરૂકતા અને જાહેર પગલાંને આકાર આપે છે. પત્રકારોની એ મહત્વની જવાબદારી છે કે તેઓ પુરાવા-આધારિત માહિતી રજૂ કરે અને એવી વાર્તાઓ કહે જે નાગરિકોને બાળકોને અસર કરતા ઉભરતા આરોગ્ય પડકારોને સમજવામાં મદદ કરે.

AIIMS નાગપુરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડ. પ્રશાંત જોશીએ જણાવ્યું હતું કે, “બાળપણના બિન-ચેપી રોગો લાંબો સેવન ગાળો ધરાવે છે અને તે બાળપણથી જ શરૂ થાય છે; તેથી, વહેલું નિદાન, સતત સંભાળ અને મજબૂત જાહેર આરોગ્ય પ્રણાલીઓની માંગ કરવી અનિવાર્ય અને મહત્વપૂર્ણ છે. એઈમ્સ નાગપુર દેશભરમાં વ્યાપક બની શકે તેવા સંભાળના મોડેલ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. મીડિયા પરિવારોને વહેલા લક્ષણો ઓળખવામાં અને સમયસર સારવારને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે."

યુનિસેફ ઇન્ડિયાના કોમ્યુનિકેશન, એડવોકેસી એન્ડ પાર્ટનરશિપના ચીફ ઝાફરીન ચૌધરીએ જણાવ્યું હતું કે, “જ્યારે મીડિયા બાળપણના એનસીડી પર સચોટતા અને કરુણા સાથે રિપોર્ટ કરે છે, ત્યારે તે એક છુપાયેલા મુદ્દા પર પ્રકાશ ફેંકે છે, વહેલી ભાળ મેળવવાની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે, સામાજિક કલંકને પડકારે છે અને એ વાતને મજબૂત કરે છે કે આ પરિસ્થિતિઓ અટકાવી શકાય તેવી અને સારવાર યોગ્ય છે. આ વાર્તાઓને વિસ્તૃત કરવા માટે PIB, AIIMS નાગપુર અને પત્રકારો સાથે ભાગીદારી કરવા બદલ યુનિસેફ ગર્વ અનુભવે છે. સાથે મળીને, આપણે માહિતગાર કરી શકીએ છીએ, પગલાં લેવા પ્રેરણા આપી શકીએ છીએ અને બાળકોને જીવંત રહેવા તથા ખીલવામાં મદદ કરી શકીએ છીએ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના DGHSના ADG ડૉ. તુષાર એન નાલેએ સરકારના NCD કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ વર્ષની શરૂઆતમાં, મહારાષ્ટ્ર સરકારે સમગ્ર રાજ્યમાં બાળપણના એનસીડીના નિવારણ અને સંચાલનને મજબૂત કરવા માટે, યુનિસેફ ઇન્ડિયાના વ્યૂહાત્મક સમર્થન સાથે, AIIMS નાગપુર સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી AIIMS નાગપુરને આ કાર્ય માટે તકનીકી સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરે છે.

યુનિસેફ મહારાષ્ટ્રના ચીફ સંજય સિંહે જણાવ્યું હતું કે, “બાળપણના એનસીડી હવે દુર્લભ પરિસ્થિતિઓ નથી રહી. તેઓ એક ઉભરતી જાહેર આરોગ્ય અગ્રતા છે. AIIMS નાગપુર અને મહારાષ્ટ્ર સરકાર સાથેની અમારી ભાગીદારી દ્વારા, અમે વહેલી ભાળ મેળવવાની પ્રક્રિયા, રેફરલ પ્રણાલીઓ અને ગુણવત્તાયુક્ત સંભાળને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ જેથી દરેક બાળકને તેમની જરૂરિયાત મુજબની સહાય મળી રહે.

વર્કશોપનું મુખ્ય આકર્ષણ AIIMS નાગપુર ખાતે બાળપણના એનસીડી માટેના સેન્ટર ઑફ એક્સેલન્સની મુલાકાત હતી, જ્યાં મીડિયાકર્મીઓ ડૉકટરો, બાળકો અને સંભાળ રાખનારાઓને મળ્યા હતા અને લાંબા ગાળાની સંભાળની વાસ્તવિકતાઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. મીડિયાકર્મીઓએ એક ઇન્ટરેક્ટિવ ક્વિઝમાં પણ ભાગ લીધો હતો જેણે બાળપણના એનસીડી (NCDs) વિશેની તેમની સમજણની ચકાસણી કરી અને તેનું નિર્માણ કર્યું, અને ન્યૂઝરૂમમાં પાછા લઈ જઈ શકાય તેવા સ્ટોરી આઈડિયાઝ અને રિપોર્ટિંગના દ્રષ્ટિકોણ વિકસાવવા માટે જૂથોમાં કામ કર્યું હતું.

વર્કશોપની શરૂઆત એક કર્ટન-રેઝર સત્ર સાથે થઈ હતી જેમાં AIIMS નાગપુરના બાળરોગ વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. મીનાક્ષી ગિરીશ દ્વારા બાળપણના એનસીડીને સમજવા અંગે એક સમજદાર સંબોધન રજૂ કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં આરોગ્ય રિપોર્ટિંગ માટે મીડિયા કર્મચારીઓ માટે ઉપલબ્ધ ભારત સરકારના સંસાધનો અને મીડિયા કર્મચારીઓ આરોગ્ય સંબંધિત સમાચાર પર નિયમિત, અપડેટેડ સામગ્રી માટે PIBનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તેના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. NFHS અને SRS સર્વેક્ષણો, POSHAN-ટ્રેકર વેબસાઇટ અને અન્ય જેવા સરળતાથી સુલભ ક્રોસ-મંત્રાલય સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ એક સતત જોડાણની શરૂઆત દર્શાવે છે જે સપ્ટેમ્બર 2026માં NCD સપ્તાહ સુધી ચાલશે. આ પહેલ બાળપણના NCDs વિશે જાહેર સમજ સુધારવા અને પુરાવા-આધારિત આરોગ્ય રિપોર્ટિંગને મજબૂત બનાવવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284466) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil