સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
NMBA દેશભરમાં વિસ્તરણ કરીને 23 કરોડથી વધુ વ્યક્તિઓ સુધી પહોંચ્યું, જેમાં 7.81 કરોડથી વધુ યુવાનો, 5.24 કરોડ મહિલાઓ અને 17 લાખ શૈક્ષણિક સંસ્થાઓ સામેલ
નશા મુક્ત ભારત અભિયાન એ સ્વસ્થ અને શિસ્તબદ્ધ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરતી એક મુખ્ય રાષ્ટ્ર નિર્માણ પહેલ છે: કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર
નશા મુક્ત ભારત અભિયાન એ માદક દ્રવ્યોના સેવન પ્રત્યે પુરાવા-આધારિત અભિગમને વધારવા માટેનું એક ફ્લેગશિપ અભિયાન છે: સામાજિક ન્યાય અને સત્તાધિકાર રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે
નશા મુક્ત ભારત અભિયાન એ યુવાનો, મહિલાઓ અને સમુદાયના સભ્યોને સામેલ કરીને ડ્રગ-મુક્ત ભારત હાંસલ કરવા પર કેન્દ્રિત એક રાષ્ટ્રીય પહેલ છે: સામાજિક ન્યાય અને સત્તાધિકાર રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા
प्रविष्टि तिथि:
08 JUL 2026 3:32PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રાલયે દેશમાં ડ્રગ્સની માંગ સામે લડવા માટે 15 ઓગસ્ટ 2020ના રોજ 'નશા મુક્ત ભારત અભિયાન' (NMBA) ની શરૂઆત કરી હતી. સામૂહિક પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, મંત્રાલય વિવિધ પહેલોનું સંકલન કરે છે, જેમાં નશાથી બચાવ, મૂલ્યાંકન, સારવાર, પુનર્વસન, સારવાર બાદની સંભાળ (આફ્ટરકેર), જાહેર માહિતીનો પ્રસાર અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો સામેલ છે.
ભારતમાં ડ્રગ્સની લત એ લાંબા સમયથી એક શાંત સંકટ તરીકે રહી છે જે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને અસર કરે છે. NMBAએ શરૂઆતમાં 272 સંવેદનશીલ જિલ્લાઓને લક્ષ્ય બનાવ્યા હતા અને ત્યારબાદ તેનો દેશભરમાં વિસ્તાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 7.81 કરોડથી વધુ યુવાનો, 5.24 કરોડ મહિલાઓ અને 17 લાખ શૈક્ષણિક સંસ્થાઓ સહિત 23 કરોડથી વધુ લોકો સુધી પહોંચ સ્થાપિત કરવામાં આવી છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ એક મુખ્ય રાષ્ટ્ર નિર્માણ પહેલ છે જે સ્વસ્થ અને શિસ્તબદ્ધ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે NMBAએ ભારતને ડ્રગ-મુક્ત બનાવવા માટે નાર્કોટિક્સ બ્યુરો, રાજ્ય અને જિલ્લા સરકાર, પોલીસ, એનજીઓ (NGOs), હોસ્પિટલો વગેરે જેવી નિયમનકારી એજન્સીઓને એકસાથે લાવીને સંકલિત રીતે કામ કરવા માટે પ્રેરિત કરી છે.
સામાજિક ન્યાય અને સત્તાધિકાર રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ માદક દ્રવ્યોના સેવન પ્રત્યે પુરાવા-આધારિત અભિગમને વધારવા માટેનું એક ફ્લેગશિપ અભિયાન છે. તેમણે કહ્યું કે આ અભિયાનનો અભિગમ યુવાનોને જોડવા માટે સમકાલીન છે અને ભારતને માદક દ્રવ્યોના સેવનથી મુક્ત કરવાના સામાન્ય ધ્યેય માટે તમામ હિતધારકો દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓના સમન્વય માટે વ્યાપક છે.
સામાજિક ન્યાય અને સત્તાધિકાર રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માએ જણાવ્યું હતું કે નશા મુક્ત ભારત અભિયાન એ ડ્રગ-મુક્ત ભારત હાંસલ કરવા પર કેન્દ્રિત એક રાષ્ટ્રીય પહેલ છે, જે યુવાનો, મહિલાઓ અને સમુદાયના સભ્યોને સક્રિયપણે સામેલ કરે છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, યુવા ક્લબો અને મહિલા જૂથો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય માદક દ્રવ્યોના સેવનના જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો અને દરેક નાગરિક સુધી પહોંચવાનો છે. શ્રી વર્માએ ઉમેર્યું હતું કે પ્રારંભિક નિવારણ અને સામુદાયિક ભાગીદારી દ્વારા, આ આંદોલન એક સ્વસ્થ અને વધુ સુખી સમાજને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે, જે માદક દ્રવ્યોના દૂષણને નાબૂદ કરવા માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે.
NMBAના મુખ્ય હિતધારકો અને લાભાર્થીઓ યુવાનો, મહિલાઓ, બાળકો, શૈક્ષણિક સંસ્થાઓ, નાગરિક સમાજ અને એકંદર સમુદાય છે. તેની શરૂઆત થઈ ત્યારથી, દેશભરમાં વ્યાપક પ્રમાણમાં પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જેણે સમાજના તમામ વર્ગો અને હિતધારકોની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. માદક દ્રવ્યોના સેવનના મુદ્દામાં અગાઉના સંસ્થાકીય જોડાણના અભિગમથી હવે સામુદાયિક જોડાણ તરફ મોટો બદલાવ આવ્યો છે. રાજ્યો, જિલ્લાઓ અને અન્ય હિતધારકોએ આ અભિયાનની જવાબદારી સ્વીકારી છે, જેણે આ અભિયાનને એક 'જન આંદોલન' માં પરિવર્તિત કરવામાં મદદ કરી છે.
જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ વિભાગો અને હિતધારકો સાથેની ભાગીદારી દ્વારા, NMBAના વિઝનને સામુદાયિક સ્તરે સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યું છે. આ સહયોગે જવાબદારીની ભાવના કેળવી છે, સ્ટિગ્મા ઓછું કર્યું છે અને માદક દ્રવ્યોના સેવનના નિવારણ અંગે નાગરિકોમાં સ્વીકૃતિ તથા જવાબદારીને પ્રોત્સાહન આપ્યું છે.
માદક દ્રવ્યોનો ઉપયોગ અને બિન-તબીબી હેતુઓ માટે દવાઓનો અતિરેક તથા તેની લત ગંભીર સામાજિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે, જેના કારણે વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં ભારે બગાડ થાય છે.
NMBA પ્રતિજ્ઞાએ ડ્રગ્સની લતનો ભોગ બનેલા લોકો સુધી પહોંચવા માટે સ્વયંસેવક બનવાની એક પહેલ છે. આ પ્રતિજ્ઞાનો ઉદ્દેશ્ય લોકોને ડ્રગ્સથી દૂર રહેવા માટે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવાનો, હિતધારકોને એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરવા માટે એકતા અને પ્રતિબદ્ધતાની ભાવના કેળવવાનો છે. આ પ્રતિજ્ઞા વધુમાં યુવાનોને ડ્રગ-મુક્ત સમાજના નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે.
મુખ્ય પ્રભાવશાળી સંદેશ એ છે કે આપણે હેલ્પલાઇન નંબર — 14446 દ્વારા ડ્રગ મુક્તિને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે આગળ આવવાની જરૂર છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2282429)
आगंतुक पटल : 16