કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

આઈઈપીએફએ (IEPFA) એ “આપકી પૂંજી આપકા અધિકાર - લર્નિંગ એન્ડ વે ફોરવર્ડ” પર પેનલ ચર્ચાનું આયોજન કર્યું


“ક્લેઈમિંગ ધ અનક્લેઈમ્ડ: અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ આઇડલ ફાઇનાન્સિયલ એસેટ્સ ઇન ઇન્ડિયા”પુસ્તકનું વિમોચન

प्रविष्टि तिथि: 23 JUN 2026 5:50PM by PIB Ahmedabad

ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળની ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (IEPFA) 22 જૂન, 2026 ના રોજ નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, સમરસતા ઓડિટોરિયમ ખાતેઆપકી પૂંજી આપકા અધિકાર - લર્નિંગ એન્ડ વે ફોરવર્ડપર એક પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ નીતિ નિર્માતાઓ, નિયમનકારો, નિષ્ણાતો અને રોકાણકાર જાગૃતિના હિમાયતીઓને રોકાણકારોના અધિકારોને મજબૂત કરવા, દાવો કરાયેલ (અનક્લેઈમ્ડ) નાણાકીય અસ્કયામતો (સંપત્તિ) ની પુનઃપ્રાપ્તિને સરળ બનાવવા અને વધુ સર્વસમાવેશી નાણાકીય ઇકોસિસ્ટમ માટે આગળનો માર્ગ તૈયાર કરવા પર વિચાર-વિમર્શ કરવા માટે એક મંચ પર લાવ્યો હતો.

આઈઈપીએફએ (IEPFA) ના અધ્યક્ષ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ સુશ્રી દીપ્તિ ગૌર મુખર્જી દ્વારા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની સાથેક્લેઈમિંગ અનક્લેઈમ્ડ: અનલોકિંગ પોટેન્શિયલ ઓફ આઇડલ ફાઇનાન્સિયલ એસેટ્સ ઇન ઇન્ડિયાનામની એક પબ્લિકેશન (પુસ્તક/પ્રકાશન) નું અનાવરણ કરવામાં આવ્યું હતું. પુસ્તક રોકાણકાર સુરક્ષા અને નાણાકીય સમાવેશ પર રાષ્ટ્રીય ચર્ચામાં યોગદાન આપવાની સાથે સાથે નીતિ નિર્માતાઓ, સંશોધકો, નાણાકીય સંસ્થાઓ અને રોકાણકારો માટે એક વ્યાપક જ્ઞાન સંસાધન તરીકે સેવા આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયું છે.

આપકી પૂંજી આપકા અધિકાર - લર્નિંગ એન્ડ વે ફોરવર્ડપરની પેનલ ચર્ચામાં અનક્લેઈમ્ડ (દાવો કરાયેલી) અસ્કયામતો વિશે જાગૃતિ લાવવા, દાવાની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને હિસ્સેદારોના સહયોગને મજબૂત કરવાના મુખ્ય પડકારો અને તકોની શોધ કરવામાં આવી હતી. ચર્ચામાં નિયમનકારો, નાણાકીય સંસ્થાઓ અને રોકાણકાર સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ પહોંચ, ટેકનોલોજી આધારિત ઉકેલો અને સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ઓથોરિટીનું વિઝન અને ચાલુ સુધારાઓ શેર કરતા, આઈઈપીએફએ (IEPFA) ના સીઈઓ (CEO) અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી અનિતા શાહ અકેલાએ દાવા પતાવટ (ક્લેમ સેટલમેન્ટ) પ્રક્રિયાઓને સરળ બનાવવા, ડિજિટલ પ્લેટફોર્મને મજબૂત કરવા અને દેશભરમાં રોકાણકાર જાગૃતિ પહેલને વિસ્તારવા માટે IEPFA ના સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રોકાણકારો અને તેમના પરિવારો વધુ સરળતા અને પારદર્શિતા સાથે તેમની હકની અસ્કયામતો પાછી મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે ઓથોરિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

મુખ્ય સંબોધન આપતાં, આઈઈપીએફએ (IEPFA) ના અધ્યક્ષ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ સુશ્રી દીપ્તિ ગૌર મુખર્જીએ નાણાકીય સમાવેશ અને આર્થિક વૃદ્ધિના પાયા તરીકે રોકાણકારોના સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે દાવો કરાયેલ અસ્કયામતો તેમના સાચા માલિકોને કાર્યક્ષમ રીતે પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે સતત જાગૃતિ અભિયાનો અને નાગરિક-કેન્દ્રીય સુધારાઓની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

તેમના વિશેષ સંબોધનમાં, નાણાકીય સેવા વિભાગના ભૂતપૂર્વ સચિવ શ્રી એમ. નાગરાજુએ નાણાકીય શાસનને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં દાવો કરાયેલ અસ્કયામતોના મુદ્દાને ઉકેલવા માટે મજબૂત સિસ્ટમ બનાવવા અંગેના મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન થયેલા વિચાર-વિમર્શથી રોકાણકારોની જાગૃતિ વધારવા, નાણાકીય અસ્કયામતો સુધી પહોંચ સુધારવા, નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસ મજબૂત કરવા અને સૌના માટે નાણાકીય સમાવેશના સહિયારા લક્ષ્યને આગળ વધારવા માટે તમામ હિસ્સેદારોની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃસમર્થન મળ્યું હતું.

સમગ્ર દેશમાં ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડનું સંચાલન કરવા માટે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ આઈઈપીએફએ (IEPFA) ની સ્થાપના કરવામાં આવી હતી. ઓથોરિટીને ફંડમાં ટ્રાન્સફર કરાયેલા શેર્સ, દાવો કરાયેલ ડિવિડન્ડ, પાકતી મુદતની થાપણો અને ડિબેન્ચર્સના રિફંડની સુવિધા આપીને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વધુ માહિતી માટે, મુલાકાત લો: www.iepf.gov.in.

SM/DK/JD

 


(रिलीज़ आईडी: 2277181) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil