PIB Backgrounder
ભારતના વિકાસના કેન્દ્રમાં માળખાગત સુવિધાઓ
प्रविष्टि तिथि:
09 JUN 2026 4:41PM by PIB Ahmedabad
|
છેલ્લા દાયકા દરમિયાન, ભારતે પરિવહન, આવાસ, જળ, ઊર્જા, લોજિસ્ટિક્સ અને ડિજિટલ નેટવર્ક જેવા ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓના નિર્માણને વેગ આપ્યો છે.મોટા પાયાના રોકાણોએ ગતિશીલતામાં સુધારો કર્યો, સેવા વિતરણને મજબૂત બનાવ્યું, ડિજિટલ પહોંચનો વિસ્તાર કર્યો અને વિવિધ પ્રદેશોમાં આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપ્યો.પ્રગતિ (PRAGATI), પીએમ ગતિશક્તિ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ, સાગરમાલા, પીએમ-વાણી (PM-WANI), જલ જીવન મિશન અને ઉડાન (UDAN) જેવી સંકલિત આયોજન પહેલોએ એક જોડાયેલા અને સ્પર્ધાત્મક ભારતના વિઝનને આકાર આપ્યો છે. આ પહેલોએ સ્પર્ધાત્મકતામાં સુધારો કર્યો છે અને ભારતની આધુનિક અને સંકલિત અર્થતંત્ર તરફની સંક્રમણ પ્રક્રિયાને ટેકો આપ્યો છે.
|
રાષ્ટ્ર નિર્માણના એક સાધન તરીકે આંતરમાળખું
આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) દેશભરમાં રોજિંદા જીવન અને દૈનિક અનુભવોને ઘડે છે.રસ્તાઓ, રેલવે, હવાઈ મથકો, ડિજિટલ નેટવર્ક, આવાસ, જળ પુરવઠો અને સ્વચ્છ ઊર્જા પ્રણાલીઓએ આવશ્યક સેવાઓ સુધીની પહોંચનો વિસ્તાર કર્યો છે.આ પ્રણાલીઓએ લોકોની મુસાફરી, ડિજિટલ જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની રીત પર પણ પ્રભાવ પાડ્યો છે. 2014 પછી, આંતરમાળખાકીય વિકાસમાં વ્યાપ, સંકલન અને લાંબા ગાળાની ક્ષમતા નિર્માણ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન એક મોટો બદલાવ માળખાગત આયોજનનું સંકલન હતું, જે અગાઉની પ્રોજેક્ટ અમલીકરણની વિખરાયેલી પદ્ધતિથી વિપરીત હતું.જાહેર મૂડીગત ખર્ચ નાણાકીય વર્ષ 2014-15માં આશરે ₹2 લાખ કરોડ હતો, જે વધીને નાણાકીય વર્ષ 2026-27માં ₹12.2 લાખ કરોડ થયો છે.આ વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર સતત કેન્દ્રિત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.સાગરમાલા, ભારતમાલા, પીએમ ગતિશક્તિ, પીએમએવાય (PMAY), જલ જીવન મિશન, પીએમ ઉજ્જવલા યોજના અને ઉડાન (UDAN) જેવા મુખ્ય કાર્યક્રમોએ માળખાગત સુવિધાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે.આ પહેલોએ માળખાગત વિકાસને ઘરગથ્થુ કલ્યાણ, આર્થિક તકો અને પ્રાદેશિક વિકાસ સાથે સાંકળ્યો હતો.
મોબિલિટી અને કનેક્ટિવિટી
પરિવહન નેટવર્ક આર્થિક એકીકરણની કરોડરજ્જુ સમાન છે.ધોરીમાર્ગો અને રેલવેથી લઈને એરપોર્ટ, જળમાર્ગો અને શહેરી પરિવહન પ્રણાલીઓ સુધી, પરિવહનના વિવિધ માધ્યમોમાં કરવામાં આવેલા રોકાણોએ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી છે.સાથે મળીને, આ નેટવર્ક એક વધુ સુગમ અને સંકલિત ગતિશીલતા ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છે.
રેલવે
વર્ષ 2014થી ભારતીય રેલવેની માળખાગત સુવિધાઓમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે, જેનાથી તેની તમામ કામગીરીમાં ક્ષમતા, કાર્યક્ષમતા, સુરક્ષા અને સેવા વિતરણમાં સુધારો થયો છે.અંદાજપત્રીય સહાય વર્ષ 2014-15ના આશરે ₹32,000 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2026-27માં ₹2.78 લાખ કરોડ થઈ છે, જે લગભગ નવ ગણો વધારો છે.

વીજળીકરણની પ્રક્રિયા ઝડપથી આગળ વધી છે, જે 2014 પહેલા નેટવર્કના આશરે 20% થી વધીને માર્ચ 2026 સુધીમાં 99.6% સુધી પહોંચી ગઈ છે.કુલ 69,873 રૂટ કિલોમીટરનું વીજળીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો થયો છે અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે.આ પરિવર્તને સંચાલન ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે અને પર્યાવરણને અનુકૂળ રેલવે કામગીરીને ટેકો આપ્યો છે.
ભારતની સ્વદેશી વંદે ભારત ટ્રેનો સુધારેલી ઝડપ, આરામ અને ઓનબોર્ડ ટેકનોલોજી પ્રદાન કરીને આધુનિક રેલ મુસાફરીને વધુ બહેતર બનાવે છે. એપ્રિલ 2026 સુધીમાં, દેશભરમાં 162 વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે.વધારે ક્ષમતા ધરાવતા 16-કોચ અને 20-કોચના કોન્ફિગરેશન્સ મુસાફરોની ક્ષમતા અને સુલભતામાં વધારો કરી રહ્યા છે. જાન્યુઆરી 2026માં શરૂ થયેલી વંદે ભારત સ્લીપર ટ્રેને તેના પ્રથમ ત્રણ મહિનામાં 119 ફેરાઓ દ્વારા 1.21 લાખ મુસાફરોને સેવા આપી હતી, જેમાં 100% ઓક્યુપન્સી નોંધાઈ હતી.ભારતીય રેલવેએ અમૃત ભારત એક્સપ્રેસ દ્વારા સસ્તા દરે લાંબા અંતરની મુસાફરીનો પણ વિસ્તાર કર્યો છે.કુલ 60 ટ્રેન સેવાઓ હવે કાર્યરત છે, જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં સુધારો કરી રહી છે.
ભારત મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોર સાથે તેના હાઈ-સ્પીડ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ ધપાવી રહ્યું છે, જે હાલમાં નિર્માણાધીન છે. 508 કિમી લાંબો આ કોરિડોર 320 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે સંચાલન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે અદ્યતન રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ટ્રેન કંટ્રોલ સિસ્ટમ્સ દ્વારા સમર્થિત છે.કેન્દ્રીય બજેટ 2026-27માં દેશભરમાં સાત નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટેની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના (2023) શરૂ કરવામાં આવી હતી.આ યોજના હેઠળ, ઓળખી કાઢવામાં આવેલા 1,338 સ્ટેશનોમાંથી 208 સ્ટેશનો પર પુનઃવિકાસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.રેલવે નેટવર્ક પર સલામતી પ્રણાલીઓ અને કાર્યકારી સુધારાએ વિશ્વસનીયતાને પણ મજબૂત બનાવી છે. ટ્રેનોની સમયપાલનતા સુધરીને 77% થી વધુ થઈ છે, જેમાં 24 વિભાગોએ 90% થી વધુ સમયસર કામગીરી હાંસલ કરી છે.
ભારતની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ 'કવચ' દ્વારા રેલવે સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે.આ ટેકનોલોજી ટ્રેનની ગતિવિધિઓ પર નજર રાખે છે અને અથડામણ તેમજ અસુરક્ષિત પરિચાલનને રોકવા માટે આપમેળે બ્રેક લગાવે છે.કવચને 3,103 રૂટ કિમીમાં કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય કોરિડોર પર 24,427 કિમીમાં તેના અમલીકરણની કામગીરી ચાલુ છે.આ સિસ્ટમ 4,277 લોકોમોટિવ્સમાં (રેલવે એન્જિન) પણ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે 8,979 લોકોમોટિવ્સમાં કામગીરી પ્રગતિમાં છે.કવચ સંસ્કરણ 4.0 ને દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા અને પ્રયાગરાજ-કાનપુર જેવા મુખ્ય રૂટ પર કાર્યરત કરવામાં આવ્યું છે.પરિણામે, ટ્રેન અકસ્માતોની સંખ્યા વર્ષ 2014-15માં 135 હતી, જે ઘટીને વર્ષ 2025-26માં 16 થઈ ગઈ છે.
સમર્પિત કાર્ગો માળખાગત સુવિધાઓ અને મલ્ટિમોડલ સિસ્ટમ્સ દ્વારા માલસામાનની અવરજવર અને લોજિસ્ટિક્સ એકીકરણમાં સુધારો થયો છે.પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્ક અંતર્ગત, 139 ટર્મિનલ્સ કાર્યરત થયા છે, જ્યારે અન્ય 300 સ્થળોને વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.આ ટર્મિનલ્સે માલસામાનના સંચાલનની કાર્યક્ષમતામાં વધારો કર્યો, પરિવહનના વિલંબમાં ઘટાડો કર્યો અને વિવિધ પ્રદેશોમાં સપ્લાય ચેઈન કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી.
મુખ્ય માળખાગત પરિયોજનાઓએ પડકારરૂપ ભૂપ્રદેશો અને વ્યૂહાત્મક વિસ્તારોમાં કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવી છે.
- ચિનાબ બ્રિજ (2025): ચિનાબ નદીથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત આ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે.આ 1,315 મીટર લાંબુ સ્ટીલનું માળખું ભારે પવન અને ભૂકંપ જેવી અત્યંત વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.આ પુલ જમ્મુ અને શ્રીનગર વચ્ચેના જોડાણને વધુ સુદ્રઢ બનાવે છે અને મુસાફરીના સમયમાં ઘટાડો કરે છે.
- અંજી ખાદ બ્રિજ (2025): અંજી ખાદ બ્રિજ એ જમ્મુ અને કાશ્મીરમાં ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ છે.આ પુલ આ પ્રદેશમાં ગતિશીલતા, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યો છે.
- પંબન બ્રિજ (2025): ભારતનો પ્રથમ વર્ટિકલ-લિફ્ટ રેલવે સમુદ્રી પુલ અદ્યતન કોસ્ટલ એન્જિનિયરિંગ દ્વારા રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે. 2.07 કિમી લાંબો આ પુલ રેલવે અને દરિયાઈ પરિવહનની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે 72.5 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન (ઊંચકાય તેવો ભાગ) ધરાવે છે.
- બૈરાબી-સૈરાંગ (2025): 51.38 કિમી લાંબી રેલવે લાઈને પડકારજનક પહાડી ભૂપ્રદેશ વચ્ચે થઈને મિઝોરમ સાથેના રેલ જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે.આ પ્રોજેક્ટ 45 ટનલમાંથી પસાર થાય છે અને ઉત્તર-પૂર્વ માટે માળખાગત સુવિધા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
માર્ગો અને ધોરીમાર્ગો
વર્ષ 2014થી ભારતનું માર્ગ નેટવર્ક અનેકગણું વિસ્તર્યું છે, જેનાથી વિવિધ પ્રદેશો અને આર્થિક કોરિડોર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. "63.73 લાખ કિમી સાથે, ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવે છે." રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ નાણાકીય વર્ષ 2014માં 91,287 કિમી હતી, જે માર્ચ 2026 સુધીમાં 61% વધીને 1,46,566 કિમી થઈ ગઈ છે. ચાર-લેન અને તેનાથી વધુ પહોળા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 2014માં 18,371 કિમી હતી, જે વધીને 45,516 કિમી થઈ ગઈ છે.દેશભરમાં કુલ 3,644 કિમી લંબાઈના એક્સેસ-કંટ્રોલ્ડ હાઇ-સ્પીડ કોરિડોર/એક્સપ્રેસવે કાર્યરત કરવામાં આવ્યા છે.હાઈવે, રસ્તાઓ અને બાયપાસ માટેની નીતિઓના સમર્થન સાથે હાઈ-સ્પીડ કોરિડોર વિકાસ, આર્થિક નોડ કનેક્ટિવિટી અને શહેરી ગીચતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) એ બારમાસી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગ્રામીણ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવ્યું છે, જેનાથી બજારો, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આર્થિક તકો સુધીની પહોંચમાં સુધારો થયો છે.આ કાર્યક્રમ માટેનું બજેટ ફાળવણી વર્ષ 2014-15માં ₹386 કરોડથી વધીને વર્ષ 2026-27માં ₹19,000 કરોડ થયું છે.અત્યાર સુધીમાં આ કાર્યક્રમ હેઠળ પાત્રતા ધરાવતી 99.6% વસાહતોને સાંકળવામાં આવી છે.વર્ષ 2000-2014 દરમિયાન પૂર્ણ થયેલા રસ્તાઓની લંબાઈ 3.86 લાખ કિમી હતી, જે વધીને 2014-2026 દરમિયાન 4.11 લાખ કિમી થઈ છે.આ જ સમયગાળા દરમિયાન પૂર્ણ થયેલા પુલોની સંખ્યા 484 થી વધીને 10,293 થઈ ગઈ છે.
માલવાહક કોરિડોર (freight corridors) અને પ્રાદેશિક જોડાણને મજબૂત કરવા માટે વર્ષ 2017માં ભારતમાલા પરિયોજનાને મંજૂરી આપવામાં આવી હતી.આ યોજના હેઠળ નિર્મિત આર્થિક કોરિડોર, સરહદી રસ્તાઓ, દરિયાકાંઠાના રસ્તાઓ અને એક્સપ્રેસવેએ દેશભરમાં માલસામાનની હેરફેરને વેગ આપ્યો છે.ભારતમાલા હેઠળ 31 માર્ચ, 2026 સુધીમાં 22,590 કિમી રસ્તાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.આ યોજના અંતર્ગત અનેક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ દ્વારા મુશ્કેલ ભૂપ્રદેશો અને વ્યૂહાત્મક વિસ્તારોમાં અવરજવરની સુવિધામાં સુધારો કરવામાં આવ્યો હતો.
12 વર્ષમાં સીમાચિહ્નરૂપ પ્રકલ્પો:
- ઝેડ-મોર/સોનમર્ગ ટનલ (2025): 12 કિમી લાંબી સોનમર્ગ ટનલ જમ્મુ અને કાશ્મીરમાં હિમપ્રપાત અને ભૂસ્ખલનગ્રસ્ત ભૂપ્રદેશમાં બારેમાસ આવાગમનની સુવિધા પૂરી પાડે છે.આ ટનલ લદ્દાખ તરફની અવરજવરમાં સુધારો કરવાની સાથે પ્રવાસન, સ્થાનિક આજીવિકા અને પ્રાદેશિક જોડાણને પણ વેગ આપે છે.
- સુદર્શન સેતુ (2024): 2.32 કિમી લાંબો સુદર્શન સેતુ ગુજરાતના ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે.આ પુલે ટાપુ પરની પહોંચને વધુ સુલભ બનાવી છે, જે યાત્રાધામ, પ્રવાસન અને દરિયાકાંઠાની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે.
- મૈત્રી સેતુ (2021): ફેની નદી પરનો 1.9 કિલોમીટર લાંબો આ પુલ ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે જોડે છે.આ પ્રોજેક્ટે ઉત્તર-પૂર્વ ભારત માટે લોજિસ્ટિક્સનું અંતર ઘટાડ્યું છે અને સાથે જ પ્રાદેશિક વેપાર તેમજ મુસાફરોની અવરજવરને મજબૂત બનાવી છે.
- અટલ ટનલ (2020): 9.02 કિમી લાંબી અટલ ટનલ 1૦,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલી વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે.તે રોહતાંગ પાસને બાયપાસ કરીને મનાલી અને લાહૌલ-સ્પીતી વચ્ચે તમામ ઋતુઓમાં અવરજવરની સુવિધા પ્રદાન કરે છે.આ ટનલ મનાલી-સરચુ વચ્ચેનું અંતર 46 કિમી ઘટાડે છે, જેનાથી હિમાલયના પ્રદેશોમાં નાગરિક અને વ્યૂહાત્મક ગતિશીલતામાં સુધારો થાય છે.
- ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ (અગાઉ ચેનાની-નાશરી ટનલ તરીકે ઓળખાતી, 2017): 9 કિમી લાંબી આ ટનલ જમ્મુ અને શ્રીનગર વચ્ચે તમામ ઋતુઓમાં સંપર્કની સુવિધા પૂરી પાડે છે.તે દુર્ગમ ભૂપ્રદેશને ટાળે છે, જેનાથી મુસાફરીનું અંતર 31 કિમી અને મુસાફરીના સમયમાં લગભગ બે કલાકનો ઘટાડો થાય છે.આ પ્રોજેક્ટ દ્વારા 2,000 થી વધુ સ્થાનિક કામદારો માટે રોજગારીનું સર્જન થયું છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના કર્મચારીઓની ભાગીદારી લગભગ 94% જેટલી છે.
- ધોલા-સાદિયા બ્રિજ (2017): 9.15 કિમીની લંબાઈ ધરાવતો આ બ્રિજ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે પ્રથમ કાયમી રોડ લિંક પૂરી પાડે છે.તે સંરક્ષણ લોજિસ્ટિક્સ સહિત ભારે વાહનોની અવરજવરને સુવિધાજનક બનાવે છે અને સાથે જ ઉત્તર-પૂર્વમાં પ્રાદેશિક સુલભતામાં પણ સુધારો કરે છે.
છેલ્લા એક વર્ષમાં મુખ્ય માર્ગ પરિયોજનાઓ
- અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (ગુજરાત, 2026): 109 કિમી લાંબા આ એક્સપ્રેસવેએ અમદાવાદ અને ધોલેરા વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કર્યો છે.તેણે ધોલેરા ક્ષેત્રમાં મુસાફરીના સમયમાં ઘટાડો કર્યો, ટ્રાફિકની ભીડ ઓછી કરી અને લોજિસ્ટિક્સની હેરફેરને વધુ મજબૂત બનાવી.
- દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર (2026): 213 કિમી લાંબા આ કોરિડોરે દિલ્હી અને દહેરાદૂન વચ્ચેના મુસાફરીના સમયને છ કલાકથી વધુ ઘટાડીને લગભગ 2.5 કલાક કરી દીધો છે.આ પ્રોજેક્ટ પારિસ્થિતિક રીતે સંવેદનશીલ ઝોનમાં એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વન્યજીવ કોરિડોર ધરાવે છે.
- દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી વિભાગ (દિલ્હી, 2025): 10.1 કિમી લાંબા આ વિભાગે દિલ્હી અને NCRમાં કનેક્ટિવિટી સુધારી અને ટ્રાફિકની ગીચતામાં ઘટાડો કર્યો.તેમાં આઠ લેનની એક છીછરી ટનલ તથા યશોભૂમિ, મેટ્રો કોરિડોર અને એરપોર્ટ સાથેના સીધા જોડાણનો સમાવેશ થાય છે.
- અર્બન એક્સટેન્શન રોડ-II (દિલ્હી, 2025): 76 કિમી લાંબા UER-II ને દિલ્હીના ત્રીજા રિંગ રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો.તેણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડ્યું અને બહાદુરગઢ તથા સોનીપત સાથેની કનેક્ટિવિટીમાં સુધારો કર્યો.આ પ્રોજેક્ટે NCRમાં માલસામાનની હેરફેરને પણ વેગ આપ્યો છે.
- NH-31 પર ગંગા નદી પરનો પુલ (બિહાર, 2025): આ પુલે મોકામા અને બેગુસરાઈને જોડ્યા હતા, જેનાથી ભારે વાહનો માટે મુસાફરીનું અંતર 100 કિમીથી વધુ ઘટ્યું હતું.તેણે ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કર્યો અને પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિને વેગ આપ્યો.
નાગરિક ઉડ્ડયન અને પ્રાદેશિક હવાઈ સુલભતા
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસને કારણે 2014 પછી પ્રાદેશિક હવાઈ સુલભતામાં વિસ્તરણ થયું છે. ₹1.4 લાખ કરોડથી વધુના રોકાણના ટેકાને કારણે, કાર્યરત એરપોર્ટ્સની સંખ્યા 2014માં 74 હતી જે વધીને 2026માં 165 થઈ ગઈ છે.નાના શહેરોને મુખ્ય શહેરી કેન્દ્રો સાથે વધુ મજબૂત હવાઈ સંપર્ક પ્રાપ્ત થયો છે.

વર્ષ 2016 માં શરૂ કરવામાં આવેલી ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાએ, સમાજના વિશાળ વર્ગો માટે હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સુલભ બનાવી છે.2026 સુધીમાં, 665 રૂટ્સ 95 એરપોર્ટ, હેલિપોર્ટ અને વોટર એરોડ્રોમને જોડે છે, જેનાથી 1.64 કરોડથી વધુ મુસાફરો લાભાન્વિત થયા છે. ₹28,840 કરોડના ખર્ચ સાથે 2026 માં શરૂ કરાયેલ સંશોધિત ઉડાન (UDAN) યોજનાનો ઉદ્દેશ્ય 120 નવા સ્થળોને જોડવાનો છે.
મુખ્ય અને પ્રાદેશિક સ્થળોએ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ અને આધુનિક ટર્મિનલ સુવિધાઓ દ્વારા એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવ્યું.2014 પછી મોપા, કન્નૂર, હોલોંગી, નવી મુંબઈ અને નોઈડા (જેવર) સહિત પચ્ચીસ ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપવામાં આવી છે.
ડિજિટલ સિસ્ટમોએ વિમાનમથકો પર મુસાફરોના અનુભવ અને કાર્યકારી ક્ષમતામાં સુધારો કર્યો છે.ડિજી યાત્રા જેવી પહેલોએ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ્સ દ્વારા અવરોધરહિત અને સંપર્કવિહોણી મુસાફરી સક્ષમ બનાવી છે. મે 2026 સુધીમાં, ડિજી યાત્રા 38 એરપોર્ટ પર કાર્યરત છે, જેનાથી 9.3 કરોડથી વધુ મુસાફરોને ફાયદો થયો છે.
2015 માં ગગન (GAGAN) ના કાર્યરત થવાથી, જે વિશ્વની પ્રથમ વિષુવવૃત્તીય સેટેલાઇટ-બેઝડ ઓગમેન્ટેશન સિસ્ટમ (SBAS) છે, નેવિગેશનની ચોકસાઈ અને વિમાન સુરક્ષામાં વધારો થયો છે.તે સ્થાનની બહેતર સચોટતા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તેમજ શોધ અને બચાવ કામગીરીમાં પણ સહાયરૂપ થાય છે.ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા વિસ્તરણે ઉત્તર-પૂર્વ અને ટાપુ વિસ્તારો સહિતના અંતરિયાળ પ્રદેશોમાં સુગમતા વધારી છે, તેમજ પ્રવાસન, વેપાર અને ગતિશીલતાને પણ પ્રોત્સાહન આપ્યું છે.
મેટ્રો અને રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ
મેટ્રો નેટવર્કની લંબાઈ વર્ષ 2014માં 248 કિમી હતી જે વધીને વર્ષ 2026માં 1,155 કિમીથી વધુ થઈ ગઈ છે.ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે.મેટ્રો કનેક્ટિવિટી ધરાવતા શહેરોની સંખ્યા 2014માં પાંચથી વધીને 2025માં 26 થઈ છે.દૈનિક મેટ્રો મુસાફરોની સંખ્યા પણ આશરે 28 લાખથી વધીને 1.15 કરોડથી વધુ થઈ ગઈ છે.

મેટ્રો કાર્યાન્વિત કરવાની ગતિ ઝડપી બની છે, જે 2014 પહેલાંના પ્રતિ માસ ૦.68 કિમીથી વધીને હવે પ્રતિ માસ લગભગ 6 કિમી સુધી પહોંચી ગઈ છે.મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું વાર્ષિક અંદાજપત્રીય સમર્થન વર્ષ 2013-14માં આશરે ₹5,798 કરોડથી વધીને વર્ષ 2025-26માં લગભગ ₹29,550 કરોડ થયું છે.છેલ્લાં બાર વર્ષોમાં, દેશભરમાં મેટ્રોના વિસ્તરણ માટે અંદાજે ₹3.7 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
મેટ્રો રેલ પોલિસી, 2017 દ્વારા વ્યાપક ગતિશીલતા આયોજન (કોમ્પ્રીહેન્સિવ મોબિલિટી પ્લાન્સ) અને અર્બન મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ દ્વારા સંકલિત શહેરી ગતિશીલતા આયોજનને મજબૂત બનાવવામાં આવ્યું છે.'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ, ભારત અર્થ મુવર્સ લિમિટેડ (BEML) દ્વારા માર્ચ 2026 સુધીમાં 2,100 થી વધુ મેટ્રો કોચનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.ખરીદીના ધોરણોએ મેટ્રો કોચ અને મુખ્ય પ્રણાલીઓના સ્વદેશી સ્ત્રોતોને પ્રોત્સાહન આપ્યું છે.
શહેરી પરિવહન ક્ષેત્રે થયેલા મુખ્ય નવાચારોએ વિવિધ શહેરોમાં ટકાઉ અને હાઈ-સ્પીડ ગતિશીલતાને મજબૂત કરી છે.કોલકાતાએ 2024માં હુગલી નદીની નીચે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલ શરૂ કરી.
દરમિયાન, કેરળનું કોચી શહેર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે શહેરની આસપાસના 10 ટાપુઓને જોડતા 'વોટર મેટ્રો પ્રોજેક્ટ' શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે.આ અભૂતપૂર્વ પહેલ અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે, જે અંતર્ગત પ્રથમ બોટ ડિસેમ્બર 2021 માં લોન્ચ કરવામાં આવી હતી.
દિલ્હી-મેરઠ કોરિડોર પર નમો ભારત રેપિડ રેલ (2025) દ્વારા અદ્યતન ETCS હાઇબ્રિડ લેવલ-III સિગ્નલિંગ ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે, જે ગતિ, સુરક્ષા અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
બંદરો, શિપિંગ અને સામુદ્રિક સંપર્ક
આજે ભારતના વેપારના જથ્થાના આશરે 95% અને મૂલ્યના 70% હિસ્સાનું વહન દરિયાઈ માર્ગે થાય છે, જે તેની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે. 2014 થી બંદર માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર મજબૂતીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી વિવિધ પ્રદેશોમાં ક્ષમતા, કાર્યક્ષમતા અને વેપાર સુવિધામાં વધારો થયો છે.મુખ્ય બંદરોની ક્ષમતા 2014માં 873 MMTPA થી લગભગ બમણી થઈને 2026માં 1,726 MMTPA થઈ છે.હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો 581 એમએમટીથી વધીને 915 એમએમટી થયો છે, જ્યારે વેસલ ટર્નઅરાઉન્ડ સમય 94 કલાકથી સુધરીને 48.8 કલાક થયો છે.
ક્ષમતા વિસ્તરણ અને કાર્યક્ષમતામાં થયેલા વધારાની સાથે ઓપરેશનલ અને નાણાકીય પ્રદર્શનમાં સુધારો થયો છે.ચોખ્ખો વાર્ષિક સરપ્લસ (વધારો) વર્ષ 2014માં ₹1,805 કરોડથી વધીને વર્ષ 2026માં ₹10,910 કરોડ થયો છે.તે જ સમયગાળા દરમિયાન ઓપરેટિંગ રેશિયો 65% થી સુધરીને 41% થયો છે, જે વધુ મજબૂત નાણાકીય ટકાઉપણું પ્રતિબિંબિત કરે છે.આ સિદ્ધિઓએ બંદરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે કાર્યક્ષમ પ્રવેશદ્વાર તરીકે મજબૂત બનાવ્યા છે.

વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલા સાગરમાલા કાર્યક્રમે બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટરો અને લોજિસ્ટિક્સ નેટવર્ક સાથે જોડીને બંદર-આધારિત વિકાસને વેગ આપ્યો છે.તેણે માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ, લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી અને દરિયાકાંઠાના આર્થિક ક્ષેત્રોના વિકાસમાં ટેકો પૂરો પાડ્યો હતો.માર્ચ 2026 સુધીમાં, ₹5,356.75 કરોડના ખર્ચે 78 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, જે કનેક્ટિવિટીમાં સુધારો કરી રહ્યા છે અને દરિયાકાંઠાના લોકોની આજીવિકામાં મદદરૂપ થઈ રહ્યા છે.
શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેરિટાઇમ ક્ષમતાનો પણ વિસ્તાર થયો છે, જેનાથી ભારતની સમુદ્રી હાજરી અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓ મજબૂત બની છે.ભારતીય ધ્વજ ધરાવતાં જહાજોની સંખ્યા 2014માં 1,250 હતી જે વધીને 2026માં 1,593 થઈ છે, જ્યારે ગ્રોસ ટનેજ 10.5 એમજીટીથી વધીને 14.2 એમજીટી થયું છે. દરિયાકાંઠાના શિપિંગ કાર્ગો 74 એમએમટીથી વધીને 215.29 એમએમટી થયો છે, જે દરિયાકાંઠાના માર્ગોના વધતા ઉપયોગને સૂચવે છે.નાવિકોની સંખ્યા 1.27 લાખથી વધીને 3.20 લાખ થઈ છે, જેનાથી દરિયાઈ રોજગાર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતામાં વધારો થયો છે.
આંતરદેશીય જળમાર્ગો માલસામાન અને મુસાફરોની અવરજવર માટે કાર્યક્ષમ અને ટકાઉ પરિવહન માધ્યમ તરીકે ઉભરી આવ્યા છે.ભારતે રાષ્ટ્રીય જળમાર્ગોના તેના નેટવર્કને વર્ષ 2014માં 5 થી વધારીને 2026માં 111 કર્યું છે, જે 23 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,187 કિમી સુધી વિસ્તરેલું છે. માર્ચ 2026 સુધીમાં, 32 જળમાર્ગો કાર્યરત છે, જે અંતરિયાળ જળ પરિવહન જોડાણને મજબૂત બનાવે છે. કાર્ગોની હેરફેર 29 MMT થી વધીને 218 MMT થઈ છે, જે પરિવહન પદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન સૂચવે છે.ફેરી અને રો-પેક્સ પેસેન્જર અવરજવર 10.55 કરોડ સુધી પહોંચી છે, જેનાથી નદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે.
જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટ (JMVP) એ ફેરવેના વિકાસ અને મલ્ટિમોડલ ટર્મિનલ્સ દ્વારા વારાણસી અને હલ્દિયા વચ્ચેના રાષ્ટ્રીય જળમાર્ગ-1 પર આંતરદેશીય જળપરિવહનને મજબૂત બનાવ્યું છે.આ પ્રોજેક્ટથી માલસામાનની હેરફેરમાં પણ સુધારો થયો છે, જે રાષ્ટ્રીય જળમાર્ગ-1 (NW-1) પર વર્ષ 2014-15માં 5.05 MMT થી વધીને વર્ષ 2024-25માં 16.38 MMT થયો છે.અર્થ ગંગા (JMVP-II) અંતર્ગત, સામુદાયિક જેટીઓ અને સ્થાનિક લોજિસ્ટિક્સ સિસ્ટમ્સે ગંગા કોરિડોર પર આજીવિકા અને આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપ્યો હતો. એપ્રિલ 2026 સુધીમાં, રાષ્ટ્રીય જળમાર્ગ-1 પર 66 સામુદાયિક જેટીઓ કાર્યરત હતી, જે સ્થાનિક આજીવિકાને ટેકો આપે છે અને દરરોજ આશરે 1.22 લાખ વપરાશકર્તાઓને સેવા આપે છે.
મોટા પાયાના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સે વિવિધ પ્રદેશોમાં લાંબા ગાળાની બંદર ક્ષમતા અને લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે.વાધવાન ડીપ ડ્રાફ્ટ પોર્ટ, ટુના ટેકરા કન્ટેનર ટર્મિનલ અને કોચીન ખાતેના ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (ISRF) પ્રોજેક્ટે કન્ટેનર હેન્ડલિંગ અને મેરીટાઇમ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે.ભારતે ડિસેમ્બર 2025માં વારાણસીમાં તેનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજ પણ કાર્યરત કર્યું હતું, જે સ્વચ્છ અને ટકાઉ અંતર્દેશીય જળ પરિવહનને સમર્થન આપે છે.
દરિયાઈ માળખાગત સુવિધાઓના વિસ્તરણને કારણે દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોમાં પ્રવાસન તેમજ પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.દરિયાઈ ક્રુઝ મુસાફરોની સંખ્યા 2014માં 1.10 લાખથી વધીને 2026માં 4.62 લાખ થઈ છે. તે જ સમયે, નદી પ્રવાસના માર્ગો 3 થી વધીને 17 થયા.લાઈટહાઉસ પ્રવાસન અને ફેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સે વિવિધ પ્રદેશોમાં સ્થાનિક આજીવિકા, પ્રવાસન અને દરિયાકાંઠાની સુલભતાને પણ મજબૂત બનાવી છે.
ઔદ્યોગિક અને ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઔદ્યોગિક પાર્ક અને મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર રોકાણને આકર્ષવામાં અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.મે 2026 સુધીમાં, ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ લેન્ડ બેંક પર 4,220 ઔદ્યોગિક પાર્ક નકશામાં અંકિત (મેપ) કરવામાં આવ્યા છે, જે લગભગ 6.98 લાખ હેક્ટર વિસ્તાર ધરાવે છે. લગભગ 1.33 લાખ હેક્ટર જમીન ઉપલબ્ધ છે, જે ભવિષ્યના ઔદ્યોગિક વિસ્તરણ અને રોકાણને સક્ષમ બનાવશે.
ઔદ્યોગિક પાર્ક્સ વધુને વધુ પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ વળ્યા છે, જેનાથી સેટઅપ સમયમાં ઘટાડો થયો છે અને વેપાર કરવાની સરળતામાં સુધારો થયો છે. મે 2026 સુધીમાં, સમગ્ર દેશમાં લગભગ 272 પ્લગ-એન્ડ-પ્લે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક કાર્યરત છે.નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અન્ય 20 ઔદ્યોગિક સ્માર્ટ સિટીઝ અને ઔદ્યોગિક વિસ્તારો વિકસાવવામાં આવી રહ્યા છે. માર્ચ 2026 માં મંજૂર કરાયેલ ભવ્ય (BHAVYA - બિલ્ડિંગ હબ ફોર એડવાન્સ્ડ એન્ડ વાઈબ્રન્ટ યોજના ફોર એક્સિલરેશન) યોજના, દેશભરમાં 100 નવા પ્લગ-એન્ડ-પ્લે ઇન્ડસ્ટ્રિયલ પાર્કના વિકાસની પરિકલ્પના કરે છે.
વિવિધ પ્રદેશોમાં સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન અને અમલીકરણ દ્વારા ઔદ્યોગિક કોરિડોરના વિકાસને વેગ મળ્યો.સાત કોરિડોરમાં 20 ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીઝને મંજૂરી આપવામાં આવી છે, જે પરિવહન, લોજિસ્ટિક્સ અને ઉપયોગિતાઓને એકીકૃત કરે છે.આ નોડ્સ કાર્યક્ષમ ઉત્પાદનને સક્ષમ બનાવે છે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરે છે અને સપ્લાય ચેઈન એકીકરણને સુદ્રઢ બનાવે છે.
મુખ્ય ઉદ્યોગો અને વેલ્યુ ચેઇન્સને ટેકો આપવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ (ઉત્પાદન નિવસનતંત્ર) વિકસાવવામાં આવી છે.કેન્દ્રીય બજેટ 2026-27માં મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ત્રણ કેમિકલ પાર્ક, સાત પીએમ મિત્ર (PM MITRA) પાર્ક, એમએસએમઈ (MSME) ક્લસ્ટર અને ₹10,000 કરોડના બાયોફાર્મા શક્તિ (Biopharma SHAKTI) કાર્યક્રમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.આ પહેલો કાર્યક્ષમ ઉત્પાદન માટે સહિયારી ઉપયોગિતાઓ, પરીક્ષણ સુવિધાઓ અને લોજિસ્ટિક્સ પ્રણાલીઓ પૂરી પાડે છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સે રોકાણકારો અને સાહસો માટે પારદર્શિતા તેમજ ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતામાં સુધારો કર્યો છે.ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક (IILB) વિવિધ પ્રદેશોમાં ઔદ્યોગિક જમીન અને માળખાગત સુવિધાઓનું GIS-આધારિત મેપિંગ પ્રદાન કરે છે.તે જમીનની ઉપલબ્ધતા અને કનેક્ટિવિટી અંગે વાસ્તવિક સમયના ડેટા પ્રદાન કરીને રોકાણના માહિતગાર નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.
પાયાની સુવિધાઓ આધારિત ઔદ્યોગિક વિકાસે મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવી છે અને વૈશ્વિક વેલ્યુ ચેઈન સાથેના જોડાણમાં સુધારો કર્યો છે.તેણે ટાયર-II અને ટાયર-III શહેરોમાં રોકાણ, રોજગારીના સર્જન અને ઉત્પાદન પ્રવૃત્તિઓના વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું.
લોજિસ્ટિક્સ અને રાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા
સંકલિત માળખાગત આયોજન, ડિજિટલાઇઝેશન અને નિયામક સુધારાઓ દ્વારા લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 2014 પહેલાં, લોજિસ્ટિક્સનું આયોજન વિવિધ પરિવહન માધ્યમો અને એજન્સીઓ વચ્ચે વિખરાયેલું હતું, જેના કારણે પરિવહનમાં વિલંબ અને સપ્લાય ચેઈન ખર્ચમાં વધારો થતો હતો.છેલ્લાં બાર વર્ષો દરમિયાન, સરકારે માલસામાનની હેરફેરને બહેતર બનાવવા અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે બહુવિધ પદ્ધતિઓ અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવ્યો છે.
ઓક્ટોબર 2021માં પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પ્રારંભે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી તરફ એક મોટા પરિવર્તનની શરૂઆત કરી હતી.જૂન 2026 ની સ્થિતિએ, GIS-આધારિત પ્લેટફોર્મે 3,202 થી વધુ ડેટા લેયર્સનો ઉપયોગ કરીને 58 મંત્રાલયો અને વિભાગોના આયોજનને એક મંચ પર લાવ્યું છે.તેણે મંત્રાલયો અને વિભાગો વચ્ચેના સંકલનમાં સુધારો કરવાની સાથે અંતિમ છેડા સુધીના જોડાણને પણ મજબૂત બનાવ્યું છે.
સપ્ટેમ્બર 2022માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને સપ્લાય ચેઇન ખર્ચમાં ઘટાડો કરવાનો હતો. વર્લ્ડ બેંક લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 2014માં 54 હતો જે 2023માં સુધરીને 38 પર પહોંચ્યો છે.ભારત 2030 સુધીમાં ટોચના 25માં પ્રવેશવાનું લક્ષ્ય રાખે છે.
નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી (NLP) ને ULIP, લોજિસ્ટિક્સ ડેટા બેંક અને NETC FASTag જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમર્થન મળે છે, જે કાર્ગો વિઝિબિલિટી, માહિતીની આપ-લે અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
- યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP), 2022: એક ડિજિટલ માધ્યમ જે વિવિધ મંત્રાલયો અને વિભાગોના લોજિસ્ટિક્સ સંબંધિત ડેટાને એક જ પ્લેટફોર્મ પર એકીકૃત કરે છે.તે માહિતીના ત્વરિત આદાનપ્રદાન, શિપમેન્ટ ટ્રેકિંગ અને અંદાજિત આગમન સમય (ETAs)ની સુવિધા પૂરી પાડે છે, જે સપ્લાય ચેઈન પ્લાનિંગમાં સુધારો કરવા અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે.માર્ચ 2025 સુધીમાં, યુએલઆઈપીએ 1૦૦ કરોડથી વધુ એપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધ્યા હતા.
- લોજિસ્ટિક્સ ડેટા બેંક (LDB), 2016: એક ટેકનોલોજી આધારિત પ્રણાલી જે બંદરો, ટર્મિનલ્સ અને લોજિસ્ટિક્સ નેટવર્ક પર EXIM કન્ટેનરની અવરજવરની એન્ડ-ટુ-એન્ડ (છેવાડા સુધીની) દેખરેખ પ્રદાન કરે છે.ઓક્ટોબર 2024 સુધીમાં, LDB દ્વારા 7.5 કરોડ (75 મિલિયન) થી વધુ નિકાસ-આયાત (EXIM) કન્ટેનરનું ટ્રેકિંગ કરવામાં આવ્યું છે, જેનાથી પારદર્શિતા અને કાર્ગોના રિયલ-ટાઇમ મોનિટરિંગમાં સુધારો થયો છે.
- NETC FASTag, 2016: એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત ટોલ ચુકવણી અને માલવાહક તથા મુસાફર વાહનોની ઝડપી અવરજવરને સક્ષમ બનાવે છે.ડિસેમ્બર 2025 સુધીમાં, 11.86 કરોડ ફાસ્ટેગ (FASTags) જારી કરવામાં આવ્યા હતા, જેમાં હાઈવે ટોલ ટેક્સની 98% થી વધુ વસૂલાત ફાસ્ટેગ-આધારિત ઈલેક્ટ્રોનિક વ્યવહારો દ્વારા થઈ હતી.
વધુ ઝડપી પ્રોજેક્ટ અમલીકરણ અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી પર સરકારનું ધ્યાન પ્રગતિ (PRAGATI - પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન) જેવા પ્લેટફોર્મ્સ દ્વારા પ્રતિબિંબિત થાય છે.વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલા આ પ્લેટફોર્મે મુખ્ય પ્રોજેક્ટ્સમાં વિલંબ, ખર્ચમાં વધારો અને સંકલનના પડકારોનું નિરાકરણ લાવવાનું કાર્ય કર્યું છે.પ્રગતિ (PRAGATI) હેઠળ ₹85 લાખ કરોડથી વધુની કિંમતના 382 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે, જ્યારે ઓળખવામાં આવેલી 2,958 સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
આ સુધારાઓએ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કર્યો, સપ્લાય ચેઈનને મજબૂત બનાવી અને એક સંકલિત મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ હબ તરીકે ભારતના ઉભરવામાં સહયોગ આપ્યો.
જળ આંતરમાળખું અને જળ સુરક્ષા
પીવાના પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ, નદી પુનર્જીવન અને સંરક્ષણ પ્રણાલીઓમાં મોટા પાયે રોકાણ દ્વારા જળ માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.અગાઉ, લાખો ગ્રામીણ પરિવારો નળ દ્વારા મળતા ખાતરીપૂર્વકના પાણીની સુવિધાથી વંચિત હતા, જ્યારે વિભાજિત સંસ્થાકીય માળખાં સંકલિત જળ વ્યવસ્થાપનને મર્યાદિત કરતા હતા. 2019માં જલ શક્તિ મંત્રાલયની રચના દ્વારા પીવાનું પાણી, સ્વચ્છતા અને જળ સંસાધન વ્યવસ્થાપનને એકીકૃત માળખા હેઠળ લાવવામાં આવ્યા.
વર્ષ 2019માં શરૂ કરવામાં આવેલા જલ જીવન મિશને ઘરગથ્થુ નળ જોડાણ દ્વારા ગ્રામીણ પીવાના પાણીની સુલભતામાં પરિવર્તન લાવી દીધું છે.લોન્ચિંગ સમયે, માત્ર 3.23 કરોડ ગ્રામીણ પરિવારો અથવા અંદાજે 17% પરિવારો પાસે નળ દ્વારા પાણીના જોડાણો હતા.જૂન 2026 સુધીમાં, આશરે 15.86 કરોડ પરિવારોને નળ દ્વારા પાણીનું જોડાણ પ્રાપ્ત થયું છે, જે 81.94% કવરેજ હાંસલ કરે છે.ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘર સુધી નળ વાટે પાણી પહોંચાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે.

ઘરગથ્થુ નળ દ્વારા પાણીની સુવિધાના વિસ્તરણે ગ્રામીણ વિસ્તારોમાં કઠિન પરિશ્રમમાં ઘટાડો કર્યો છે અને આરોગ્ય તેમજ આજીવિકાના પરિણામોમાં સુધારો કર્યો છે.સ્વચ્છ પાણીની પ્રાપ્યતાથી ખાસ કરીને પાણી ભરવા માટે ખર્ચવામાં આવતા સમયમાં ઘટાડો થતા મહિલાઓ અને પરિવારોના સુખાકારીમાં સુધારો થયો છે.
સરકારે મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો અને નદી જોડાણ પહેલ દ્વારા સિંચાઈ અને જળ સંરક્ષણ માળખાકીય સુવિધાઓનો પણ વિસ્તાર કર્યો છે:
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, 2015 (PMKSY): કૃષિ ક્ષેત્રોમાં સિંચાઈની પહોંચ અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો.
- નમામિ ગંગે કાર્યક્રમ, 2014: નદી પુનર્જીવન, ગટર વ્યવસ્થાની માળખાકીય સુવિધાઓ અને પ્રદૂષણ નિવારણ પ્રણાલીઓને સુદ્રઢ કરવામાં આવી.
- કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, 2021: અમલીકરણ હેઠળની ભારતની પ્રથમ નદી જોડાણ પરિયોજના, જે દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારો માટે લાભદાયી છે.
- વર્ષ 2014 પછી ટેકનોલોજી આધારિત શાસને પૂરની આગાહી, ડેમની સુરક્ષા અને જળવિજ્ઞાન નિરીક્ષણ પ્રણાલીઓને પણ વધુ મજબૂત બનાવી છે.ફ્લડવોચ ઈન્ડિયા એપ, ડેમ સેફ્ટી એક્ટ, 2021 અને ડિજિટલ મોનિટરિંગ પ્લેટફોર્મ્સ દ્વારા પૂર્વતૈયારી, જળાશય વ્યવસ્થાપન અને પુરાવા-આધારિત જળ શાસનમાં સુધારો થયો છે.
આવાસ અને ઘરગથ્થુ માળખાગત સુવિધાઓ
2014 પછી આવાસ વિકાસમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરવડે તેવા દરો, ગૌરવ અને પાયાની સેવાઓની સુલભતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.સરકારી કાર્યક્રમો આવાસ સાથે જોડાયેલા છે, જે સ્વચ્છતા, વીજળી, પીવાનું પાણી અને સ્વચ્છ રસોઈની સુવિધા પૂરી પાડે છે, જેનાથી લાખો પરિવારોની સુખાકારી સુનિશ્ચિત થાય છે.
વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી' (PMAY-U) એ 'સૌને માટે આવાસ' ના વિઝન હેઠળ પરવડે તેવા આવાસની સુલભતામાં પરિવર્તન લાવ્યું છે. સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલી PMAY-U 2.0 નો ઉદ્દેશ્ય વર્ષ 2028-29 સુધીમાં વધુ એક કરોડ પાત્ર શહેરી લાભાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે.મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે પરવડે તેવા આવાસને સહાય પૂરી પાડવા માટે આ કાર્યક્રમ હેઠળ અંદાજે ₹8.77 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
PMAY-U અંતર્ગત મંજૂર કરવામાં આવેલા 125.31 લાખ ઘરોમાંથી, મે 2026 સુધીમાં અંદાજે 98.10 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.વર્ષ 2005–2014 દરમિયાન બાંધવામાં આવેલા 8.04 લાખ મકાનોની સરખામણીમાં આ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.આ કાર્યક્રમે લાભાર્થી-આધારિત બાંધકામ, પોસાય તેવા આવાસની ભાગીદારી, સ્લમ પુનઃવિકાસ અને આર્થિક રીતે નબળા તેમજ મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે વ્યાજ સબસિડીને ટેકો આપ્યો હતો.
PMAY-U ની ક્રેડિટ-લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ ₹59,318 કરોડથી વધુની વ્યાજ સબસિડી આપવામાં આવી હતી, જેનાથી શહેરી પરિવારો માટે આવાસની પરવડે તેવી ક્ષમતામાં સુધારો થયો છે.આવાસ વિતરણને જેજેએમ, સૌભાગ્ય, એસબીએમ અને પીએમએવાય જેવી યોજનાઓ સાથે પણ સાંકળવામાં આવ્યું હતું, જેના કારણે પાયાની ઘરગથ્થુ સેવાઓની સુલભતામાં સુધારો થયો છે.PMAY-U 2.0 હેઠળ આશરે 96% આવાસો મહિલાઓને ફાળવવામાં આવ્યા હતા, જે માલિકી હકો અને નાણાકીય સર્વસમાવેશકતાને મજબૂત બનાવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં 'સૌ માટે આવાસ'નું લક્ષ્ય હાંસલ કરવા માટે 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય માર્ચ 2029 સુધીમાં પાત્ર ગ્રામીણ પરિવારોને પાયાની સુવિધાઓ સાથે 4.95 કરોડ ઘરો પૂરા પાડવાનો છે. વર્ષ 2024 માં, 2024-25 થી 2028-29 ના સમયગાળા માટેના કાર્યક્રમ અંતર્ગત વધારાના 2 કરોડ ઘરોના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી.જૂન 2026 સુધીમાં, 3.91 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને 3.06 કરોડ મકાનો પૂર્ણ થયા છે, જેનાથી સમગ્ર ગ્રામીણ ભારતમાં આવાસ સુરક્ષા અને જીવનધોરણમાં સુધારો થયો છે.આશરે 75% લાભાર્થીઓ મહિલાઓ છે, જે ગ્રામીણ પરિવારોમાં મિલકતની માલિકી અને આર્થિક સુરક્ષા વધારવામાં યોગદાન આપી રહી છે.
વર્ષ 2019 માં શરૂ કરવામાં આવેલ SWAMIH (સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ) ફંડ, મધ્યમ અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા ઘર ખરીદનારાઓ માટે અટકી પડેલા રહેણાંક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં સહાય પૂરી પાડે છે.₹15,531 કરોડના કોર્પસ (ભંડોળ) સાથે, આ ફંડે 63,000થી વધુ ઘરો પૂરા પાડ્યા છે, જેનાથી અંદાજે 2.52 લાખ લોકોને લાભ થયો છે.આ ફંડ 1,01,443થી વધુ ઘરોનો પોર્ટફોલિયો ધરાવે છે અને આવાસ ક્ષેત્રમાં ખરીદદારોનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી છે.
અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) અને AMRUT 2.0 દ્વારા શહેરી માળખાગત સુવિધાઓના વિકાસમાં વેગ આવ્યો છે.વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલું આ મિશન શહેરોમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, હરિયાળી જગ્યાઓ અને બિન-મોટરચાલિત પરિવહન સુવિધાઓને સુદ્રઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.2015 અને 2026ની વચ્ચે, અમૃત અને અમૃત 2.૦ હેઠળ આશરે ₹2.79 લાખ કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેની તુલનામાં 2015 પહેલાં JnNURM હેઠળ ₹62,983 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમે અમૃત (AMRUT), અમૃત 2.૦ અને કન્વર્જન્સ પહેલ દ્વારા આશરે 2.53 કરોડ નળના પાણીના જોડાણો પૂરા પાડ્યા છે, જેમાં 7,943થી વધુ શહેરી માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે.
ઊર્જા સુરક્ષા અને સાર્વત્રિક વીજળીકરણ
ઘરો અને ઉદ્યોગોને ઉર્જા પૂરી પાડવાથી લઈને પરિવહન નેટવર્કને ટેકો આપવા સુધી, ઉર્જા પરિવર્તનનો એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહી છે.સરકારે વીજળીની પહોંચ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સ્વચ્છ રસોઈ ઈંધણ, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતા બહુપરીમાણીય અભિગમને અપનાવ્યો છે.આ હસ્તક્ષેપોએ લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાને સમર્થન આપવાની સાથે સાથે પરિવારોના કલ્યાણને પણ સુદ્રઢ કર્યું છે.
વર્ષ 2014 પછી ભારતના વીજ ક્ષેત્રમાં વિશ્વસનીયતા, વીજળીની ઉપલબ્ધતા અને નાણાકીય કામગીરીમાં મોટા સુધારા જોવા મળ્યા છે.વીજ અછતમાં વર્ષ 2014માં 4.2% થી 2025-26માં ૦.૦૩% સુધીનો ધરખમ ઘટાડો થયો છે.આ જ સમયગાળા દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા દૈનિક 12.5 કલાકથી વધીને 22.6 કલાક થઈ છે.ડિસ્કોમ (DISCOM) ની નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે, જે નાણાકીય વર્ષ 2013-14 માં ₹67,962 કરોડની ખોટથી બદલાઈને નાણાકીય વર્ષ 2024-25 માં ₹2,701 કરોડના નફામાં આવી ગઈ છે.

ભારતની સ્થાપિત વીજ ક્ષમતા માર્ચ 2026 સુધીમાં 532.74 ગીગાવોટ પર પહોંચી ગઈ છે, જે 2014માં 248 ગીગાવોટ હતી.ભારતે નિર્ધારિત સમય કરતાં લગભગ એક દાયકા પહેલા બિન-અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતોમાંથી તેની વીજળી ક્ષમતાના 40 ટકા મેળવવાનું તેનું COP21 લક્ષ્ય પણ હાંસલ કર્યું છે.

વર્ષ 2014 પછી ભારત વિશ્વના અગ્રણી પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે:
- વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી સ્વચ્છ ઊર્જા ક્ષમતા
- વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા
વર્ષ 2024માં શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ સબસિડી અને નાણાકીય સહાય દ્વારા ઘરો માટે રૂફટોપ સોલર અપનાવવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે.આ કાર્યક્રમનો હેતુ ઘરોમાં વીજળી પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરવાની સાથે એક કરોડ પરિવારોને રૂફટોપ સોલર સિસ્ટમ પૂરી પાડવાનો છે.
સ્વચ્છ ઉર્જાના પરિવર્તનમાં કચરામાંથી ઉર્જા ઉત્પાદન કરવાની પહેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.ગોબરધન યોજના (2018) જૈવિક કચરાને બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહન આપે છે.આ યોજના સ્વચ્છ ઉર્જા ઉત્પાદન, ગ્રામીણ સ્વચ્છતા અને ચક્રીય અર્થતંત્રની પદ્ધતિઓને સમર્થન આપે છે. માર્ચ 2026 સ્થિતિએ સમગ્ર દેશમાં 5 ઘન મીટર અને તેથી વધુ ક્ષમતા ધરાવતા 1014થી વધુ ગોવર્ધન (GOBARdhan) પ્લાન્ટ્સ કાર્યરત છે.
2017માં શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજનાએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઘરોમાં વીજળીકરણની પ્રક્રિયાને વેગ આપ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ લગભગ 2.86 કરોડ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી હતી, જે લગભગ તમામ ઘરો સુધી વીજળી પહોંચાડવાના લક્ષ્યને ટેકો આપે છે.
ભારતે ફ્રાન્સ સાથે મળીને સંયુક્ત રીતે શરૂ કરેલા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) દ્વારા સ્વચ્છ ઉર્જા સહયોગમાં પોતાના વૈશ્વિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે. આ ગઠબંધનમાં 125 સભ્ય દેશોનો સમાવેશ થાય છે, જે સૌર ઊર્જાના પ્રસાર અને ટકાઉ વિકાસ પર વૈશ્વિક સહયોગને ટેકો આપે છે.ભારતે તેની G20 પ્રેસિડેન્સી દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (GBA) ના પ્રારંભ સહિત સ્વચ્છ ઇંધણ અને ઊર્જા સંક્રમણ પર વૈશ્વિક સહયોગને વેગ આપ્યો હતો. 1 જૂન 2026 સુધીમાં, GBA 33 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી વિસ્તર્યું છે, જે ટકાઉ ઇંધણ પર ભારતના નેતૃત્વમાં વૈશ્વિક વિશ્વાસ દર્શાવે છે.
સ્વચ્છ રસોઈની સુવિધા અને એલપીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
મોટા પાયે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને લક્ષિત કલ્યાણકારી યોજનાઓ દ્વારા 2014 પછી સ્વચ્છ રસોઈ ઈંધણની પહોંચમાં સુધારો થયો છે.પરવડે તેવી કિંમત, ઘરગથ્થુ ઊર્જાની સુલભતા, ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ અને પુરવઠાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું.એલપીજીની વ્યાપક પહોંચે, ખાસ કરીને ગ્રામીણ પરિવારોમાં, પરંપરાગત બાયોમાસ ઇંધણ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.
રાષ્ટ્રીય એલપીજી વ્યાપ વર્ષ 2014ના 55.9% થી વધીને વર્ષ 2026માં 107.2% થયો છે.આ વધારો દેશભરમાં એલપીજીની વ્યાપક પહોંચ, વિતરણ અને મજબૂત સપ્લાય નેટવર્કને પ્રતિબિંબિત કરે છે.વર્ષ 2014 થી 2026 દરમિયાન એલપીજી ગ્રાહકોની સંખ્યા 14.51 કરોડથી વધીને 33.39 કરોડ થઈ છે.દરમિયાન, એલપીજી (LPG) નો વપરાશ નાણાકીય વર્ષ 2014-15માં 17.6 MMT થી વધીને નાણાકીય વર્ષ 2025-26માં લગભગ બમણો થઈને 34 MMT થયો છે.એલપીજી વિતરણ કેન્દ્રો અને બોટલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પહોંચમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY), 2016 એ ગરીબ પરિવારોમાં સ્વચ્છ રસોઈના ઈંધણ સુધીની પહોંચ વધારવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે.નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન PMUY ના લાભાર્થીઓને રિફિલ વિતરણ આશરે 49.21 કરોડ સિલિન્ડર સુધી પહોંચ્યું છે, જેમાં દૈનિક સરેરાશ આશરે 15.9 લાખ ડિલિવરી નોંધાઈ છે. સરકારે સંતૃપ્તિ કવરેજ હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન PMUY હેઠળ વધારાના 25 લાખ LPG કનેક્શન આપવાની મંજૂરી પણ આપી છે.
પીએમયુવાય (PMUY) લાભાર્થીઓમાં વપરાશની પદ્ધતિમાં પણ સતત સુધારો જોવા મળ્યો છે, જે સ્વચ્છ રસોઈ ઈંધણના વ્યાપક સ્વીકારને પ્રતિબિંબિત કરે છે. નાણાકીય વર્ષ 2021-22 માં સરેરાશ વાર્ષિક રિફિલ વપરાશ 3.68 હતો, જે નાણાકીય વર્ષ 2025-26 માં વધીને 4.71 રિફિલ થયો છે.

સરકારે સમગ્ર એલપીજી પ્રણાલીઓમાં પારદર્શકતા, સબસિડીના લક્ષિત વિતરણ અને પુરવઠા સુરક્ષાને પણ વધુ સુદ્રઢ બનાવી છે.આધાર-આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને ડેટાબેઝ એકીકરણની પહેલોએ લાભાર્થીઓની ચકાસણી અને સબસિડી વિતરણની પ્રક્રિયામાં સુધારો કર્યો છે.
ડિજિટલ કનેક્ટિવિટી અને પબ્લિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
છેલ્લા એક દાયકામાં, ડિજિટલ પેમેન્ટ્સથી લઈને ઓનલાઇન જાહેર સેવાઓ સુધી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક જનસંખ્યા સ્તરના ડિજિટલ બેકબોનના નિર્માણ પર હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.તેણે નાણાકીય સર્વસમાવેશીતા, શાસન પ્રણાલીની સુવિધા, ડિજિટલ વાણિજ્ય, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાગરિક સેવાઓને સમર્થન આપ્યું હતું.
ભારતની ટેલી-ડેન્સિટી, જે દર 100 વ્યક્તિ દીઠ ટેલિફોન કનેક્શનની સંખ્યા માપે છે, તે 2014માં 75.23% થી વધીને 2025માં 86.23% થઈ છે. "આ જ સમયગાળા દરમિયાન, ઇન્ટરનેટ જોડાણો 25.15 કરોડથી વધીને 100.29 કરોડ થયા છે, જે લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે."}
બ્રોડબેન્ડ કનેક્શનની સંખ્યા 2014માં 6.1 કરોડથી વધીને 2025માં 99.56 કરોડ થઈ છે, જે ડિજિટલ એક્સેસમાં નોંધપાત્ર વૃદ્ધિ (+1,532.13) દર્શાવે છે.વપરાશકર્તા દીઠ સરેરાશ માસિક ડેટા વપરાશ 2014માં 61.66 MB થી વધીને 2025માં 24.01 GB થયો છે (~399 ગણો વધારો).ભારતના આશરે 85.5% પરિવારો હવે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન ધરાવે છે.
2020 માં શરૂ કરવામાં આવેલ PM-WANI (Wi-Fi એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ) માળખાએ, વિકેન્દ્રિત જાહેર Wi-Fi હોટસ્પોટ્સ દ્વારા સસ્તું પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ વિસ્તાર્યું છે.જૂન 2026 સુધીમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4.10 લાખથી વધુ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ કાર્યરત છે.

વર્ષ 2022માં 5G સેવાઓના પ્રારંભ પછી આગામી પેઢીના ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગતિ આવી છે.વર્ષ 2026 સુધીમાં, 5G સેવાઓ 99.9% જિલ્લાઓમાં ઉપલબ્ધ છે, જે લગભગ 85% વસ્તીને આવરી લે છે.ટેલિકોમ સેવા પ્રદાતાઓએ દેશભરમાં 5.08 લાખથી વધુ 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન્સ (BTS) સ્થાપિત કર્યા છે.ભારત 5G સ્માર્ટફોન માટે વિશ્વના બીજા સૌથી મોટા બજાર તરીકે પણ ઉભરી આવ્યું છે.સાથોસાથ, ભારતનેટ અને નેશનલ બ્રોડબેન્ડ મિશન જેવી પહેલોએ ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને જાહેર વાઈ-ફાઈ સુવિધાને સુદ્રઢ બનાવી છે.
જેએએમ (JAM) ત્રિપુટી — જનધન, આધાર અને મોબાઈલ કનેક્ટિવિટીની આસપાસ નિર્મિત ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ્સ દ્વારા ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ પણ ઝડપથી વિસ્તર્યું છે.આધાર-જનિત ડિજિટલ ઓળખ પ્રણાલીઓએ પ્રમાણીકરણ અને સીધા લાભ હસ્તાંતરણ માળખાને સુદ્રઢ બનાવ્યું છે, જ્યારે જન ધન ખાતાઓએ નાણાકીય સમાવેશીકરણને વધુ ગહન બનાવ્યું છે.આધાર જનરેશન વર્ષ 2014ના 63.22 કરોડથી વધીને માર્ચ 2026 સુધીમાં 144 કરોડથી વધુ થઈ ગયું છે. જન ધન ખાતાઓની સંખ્યા 2015માં 14.72 કરોડથી વધીને 2026માં 57.71 કરોડ થઈ છે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સમાંની એક તરીકે ઉભરી આવ્યું છે.માત્ર માર્ચ 2026 માં જ, UPI દ્વારા આશરે ₹29.53 લાખ કરોડથી વધુની કિંમતના 2,264 કરોડ વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) કરવામાં આવ્યા હતા.UPI-આધારિત ડિજિટલ પેમેન્ટ્સ હવે આઠ દેશોમાં કાર્યરત છે.આમાં યુએઈ, સિંગાપોર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરિશિયસ અને કતારનો સમાવેશ થાય છે.આ વિસ્તરણે વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિને વધુ સુદ્રઢ બનાવી છે.
નાગરિક-કેન્દ્રીત ડિજિટલ પ્લેટફોર્મ્સે શાસન, દસ્તાવેજીકરણ, આરોગ્ય સંભાળ અને જાહેર સેવાઓ સુધીની પહોંચમાં સુધારો કર્યો છે:
- 68.91 કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ અને 967 કરોડથી વધુ જારી કરાયેલા ડિજિટલ દસ્તાવેજો સાથે, ડિજીલોકર પ્રમાણપત્રો, ઓળખ દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્સ સુધી સુરક્ષિત ઍક્સેસ સક્ષમ કરે છે.
- UMANG (યુનિફાઇડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ), તેના 10.93 કરોડ વપરાશકર્તાઓ સાથે, એક જ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હજારો સરકારી સેવાઓ સુધી પહોંચ પૂરી પાડે છે.
- કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી), જે 2014માં 0.83 લાખ કેન્દ્રોથી વધીને એપ્રિલ 2026 સુધીમાં 5.01 લાખથી વધુ કાર્યરત કેન્દ્રો સુધી પહોંચી ગયા છે, તે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ પહોંચ અને નાગરિક સેવાઓના વિતરણમાં સુધારો કરે છે.
- ઈ-હોસ્પિટલ પ્લેટફોર્મ 4,100 હોસ્પિટલોને સાંકળે છે અને 55 કરોડથી વધુ વ્યવહારોની સુવિધા પૂરી પાડે છે, જે ડિજિટલ આરોગ્ય સેવા વિતરણ અને દર્દીઓની પહોંચને વધુ સુદ્રઢ બનાવે છે.
- પીએમ ઈ-વિદ્યા પહેલ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સને એકીકૃત કરે છે, જે શિક્ષણ સુધી રાષ્ટ્રવ્યાપી પહોંચ સુનિશ્ચિત કરે છે.
- DIKSHA (Digital Infrastructure for Knowledge Sharing) એક સંકલિત અને AI-સક્ષમ ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ પ્લેટફોર્મ પર 2 કરોડથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આમાં જોડાયેલા છે. તે 7,497 એનર્જાઈઝ્ડ પાઠ્યપુસ્તકો ધરાવે છે. તેમાં 3.74 લાખથી વધુ ઇ-કન્ટેન્ટ સંસાધનો પણ ઉપલબ્ધ છે.
- 6.1 કરોડથી વધુ નોંધણીઓ અને 280થી વધુ ‘સ્વયં પ્રભા’ ડીટીએચ (DTH) ચેનલો ધરાવતું ‘સ્વયં’ (સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ), 24x7 શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે.
ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) જેવી પહેલ હેઠળ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસે ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ઉત્પાદનને પણ મજબૂત બનાવ્યું છે.
વિકસિત ભારત માટે પાયાનું નિર્માણ
છેલ્લા બાર વર્ષોમાં ભારતની માળખાગત સુવિધાઓની સફરે તમામ ક્ષેત્રોમાં વિકાસના વ્યાપ અને ગતિને પુનઃ આકાર આપ્યો છે.ધોરીમાર્ગો, રેલવે, બંદરો અને વિમાનમથકો લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની ઝડપી અવરજવરમાં મદદરૂપ થાય છે.શહેરી અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં ટેકનોલોજી અને જાહેર સેવા વિતરણનો વધુ ગાઢ સમન્વય પણ જોવા મળ્યો છે.દેશભરમાં મોટા પાયે થયેલા રોકાણોએ નવા આર્થિક કોરિડોર, મેન્યુફેક્ચરિંગ હબ, લોજિસ્ટિક્સ નેટવર્ક અને ડિજિટલ ઇકોસિસ્ટમ્સનું સર્જન કર્યું છે.આ પાયા વિકસિત ભારત 2047 તરફની ભારતની યાત્રાને સતત પીઠબળ પૂરું પાડી રહ્યા છે.
સંદર્ભો
Prime Minister's Office
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2008763®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2011855®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1703457®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1703457®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2008763®=3&lang=2
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=160420®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1490914®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2092468®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2133723®=3&lang=2
https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-implementation-of-the-pradhan-mantri-awaas-yojana-gramin-pmay-g-during-fy-2024-25-to-2028-29/
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2090307®=48&lang=2
Ministry of Defence
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1796961®=3&lang=2
Ministry of Finance:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2219991®=1&lang=1
https://www.indiabudget.gov.in/doc/eb/sbe87.pdf
https://www.indiabudget.gov.in/doc/eb/sbe87.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS424_GwVTMo.pdf?source=pqals
Ministry of Civil Aviation
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=123209®=3&lang=2
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=123209®=3&lang=2
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256054®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248962&v=1&v=1fdkfdkfmdskf®v=s11%60®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1882109®=3&lang=1
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU6133_LyX607.pdf?source=pqals
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209846®=1&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241516®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1945922®=48&lang=2
Bharat Earth Movers Limited (BEML)
https://www.instagram.com/reel/DJ1FdaITHp0/?utm_source=ig_web_copy_link
https://ddnews.gov.in/en/pm-modi-inaugurates-indias-first-underwater-metro-in-kolkata/
Ministry of Housing & Urban Affairs
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2090364®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223878®=3&lang=1
Ministry of Information & Broadcasting
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098788®=3&lang=2
Ministry of Commerce and Industry
https://indiaindustriallandbank.gov.in/login1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241814®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156676&ModuleId=3®=3&lang=2
https://pmgatishakti.gov.in/pmgatishakti/login
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2131526®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2225808®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2167224®=3&lang=2
Ministry of Jal Shakti
https://www.jalshakti-dowr.gov.in/static/uploads/2026/02/71facba772426d78db2d39f8c0c2a34b.pdf
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1907654®=3&lang=1
https://www.jalshakti-dowr.gov.in/offerings/schemes-and-services/details/namami-gange-AO5ATNtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2109118®=3&lang=2
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
Ministry of Power
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215761®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2157549®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215761®=3&lang=2
Ministry of Road Transport & Highways
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2111286®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1589080®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223330®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2220128®=3&lang=2
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1683339®=48&lang=2
Ministry of Health and Family Welfare
https://nextgen.ehospital.gov.in/dashboard/
Ministry of Ports, Shipping and Waterways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2202412®=3&lang=2
Ministry of Electronics and Information Technology (MeitY)
https://www.digilocker.gov.in/web/statistics
https://pmwani.gov.in/wani
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241781®=3&lang=1
https://csc.gov.in/
Ministry of New and Renewable Energy
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238741®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777364®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2254626®=3&lang=1
Ministry of Rural Development
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201070®=3&lang=1
https://pmgsy.dord.gov.in/dbweb
Ministry of Communications
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206477®=3&lang=1
Ministry of Agriculture & Farmers Welfare
https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=124298®=3&lang=2
Ministry of Education
https://swayam.gov.in/
https://www.swayamprabha.gov.in/
Press Information Bureau
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2214471®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2240324®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206921®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154624&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=158151&NoteId=158151&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155082&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2003541®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156676&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239597®=3&lang=1
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/feb/doc2023227163101.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2235812®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2214258®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157295&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255798&lang=2®=3
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154355&ModuleId=3®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/jul/doc20227169101.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2214872®=3&lang=2
IBEF
https://www.ibef.org/blogs/india-s-one-district-one-product-programme
State of Mizoram
https://dipr.mizoram.gov.in/post/pm-modi-inaugrates-bairabi-sairang-railway-line-in-mizoram
NITI Ayog
https://iced.niti.gov.in/energy/electricity/generation
Global Biofuel Alliance
https://biofuelsalliance.com/about-us
Infrastructure at the Core of India’s Development
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2270920)
आगंतुक पटल : 5