શ્રમ અને રોજગાર મંત્રાલય
PDUNASS અને GNLU દ્વારા “Labour Laws and Social Security Compliance (EPFO at Core) - લેબર લૉઝ એન્ડ સોશિયલ સિક્યુરિટી કમ્પ્લાયન્સ (ઈપીએફઓ એટ કોર)” પર એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાયો
ફ્લેગશિપ પહેલનો ઉદ્દેશ્ય ભારતના બદલાતા લેબર ગવર્નન્સ અને સોશિયલ સિક્યોરિટી ઇકોસિસ્ટમ માટે ભવિષ્ય માટે સજ્જ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે
પોસ્ટેડ ઓન:
30 MAY 2026 5:09PM by PIB Ahmedabad
લેબર ગવર્નન્સ (શ્રમ શાસન), સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (સામાજિક સુરક્ષા વહીવટ) અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ (નિયમનકારી અનુપાલન)માં વ્યાવસાયિક ક્ષમતાને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, પંડિત દીનદયાલ ઉપાધ્યાય નેશનલ એકેડેમી ઓફ સોશિયલ સિક્યોરિટી (PDUNASS), એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના સહયોગથી, 29 મે 2026 ના રોજ યોજાયેલા એક ઓનલાઇન ઉદ્ઘાટન સત્ર દરમિયાન “Labour Laws and Social Security Compliance (EPFO at Core)” પર એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામની પ્રથમ બેચનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રોગ્રામ વ્યાવસાયિક કાનૂની શિક્ષણ અને ઉદ્યોગ-લક્ષી ક્ષમતા નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, એવા સમયે જ્યારે ભારતનું શ્રમ અને સામાજિક સુરક્ષાનું પરિદ્રશ્ય નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. વ્યવહારુ-લક્ષી એક્ઝિક્યુટિવ લર્નિંગ પહેલ તરીકે ડિઝાઇન કરાયેલ, આ પ્રોગ્રામ કાનૂની સમજણ, નિયમનકારી અનુપાલન અને વાસ્તવિક દુનિયાના અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે, જે પ્રોફેશનલ્સને લેબર કોડ્સ (શ્રમ સંહિતા) પછીના યુગમાં ઉભરી રહેલા જટિલ અનુપાલન વાતાવરણમાં કામ કરવા માટે સજ્જ કરે છે.

આ ઉદ્ઘાટન સત્રમાં EPFO ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં PDUNASS ના ડાયરેક્ટર શ્રી કુમાર રોહિત; GNLU ના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમાર; GNLU ના રજિસ્ટ્રાર ડૉ. નીતિન મલિક; EPFO ના વરિષ્ઠ અધિકારીઓ, ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને દેશભરમાંથી આવેલા સહભાગીઓએ હાજરી આપી હતી.
આ પ્રોગ્રામમાં નિયોક્તાઓ (employers), એચઆર (HR) પ્રોફેશનલ્સ, લેબર લો પ્રેક્ટિશનર્સ, કમ્પ્લાયન્સ ઓફિસર્સ, શિક્ષણવિદો અને કોર્પોરેટ લીડર્સ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ભારે રસ જોવા મળ્યો છે. મૂળ આયોજિત 60 સહભાગીઓની ક્ષમતા સામે, પ્રથમ બેચમાં 66 સહભાગીઓની નોંધણી થઈ હતી, જેના કારણે તે શરૂ થતાં પહેલાં જ ઓવરસબસ્ક્રાઇબ થઈ ગઈ હતી. સતત માંગને ધ્યાનમાં રાખીને બીજી બેચ શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.
સહભાગીઓને સંબોધિત કરતી વખતે, શ્રી રમેશ કૃષ્ણમૂર્તિએ નોંધ્યું હતું કે ભારત લેબર ગવર્નન્સ અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનમાં એક પરિવર્તનકારી તબક્કાનું સાક્ષી બની રહ્યું છે. તેમણે અવલોકન કર્યું કે લેબર કોડ્સ, ખાસ કરીને સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 (Code on Social Security, 2020), અને તેની સાથે ઝડપી ડિજિટાઇઝેશને એવા પ્રોફેશનલ્સની જરૂરિયાત વધારી દીધી છે જેઓ કાનૂની સમજણને વ્યવહારિક અમલીકરણ ક્ષમતાઓ સાથે જોડી શકે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે કમ્પ્લાયન્સ (અનુપાલન) એ માત્ર વૈધાનિક જવાબદારીઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જવાબદાર શાસન, નૈતિક રોજગાર પદ્ધતિઓ, સંસ્થાકીય વિશ્વસનીયતા અને ટકાઉ સંગઠનાત્મક વિકાસનો પાયાનો પથ્થર બની ગયું છે. તેમણે કહ્યું કે જે સંસ્થાઓ મજબૂત અનુપાલન માળખામાં રોકાણ કરે છે, તેઓ માત્ર કામદારોના કલ્યાણ અને સામાજિક સુરક્ષામાં જ ફાળો આપતી નથી પરંતુ વિશ્વાસ, પારદર્શિતા, ઉત્પાદકતા અને ઔદ્યોગિક સંવાદિતા પણ વધારે છે.
EPFO ના પરિવર્તન પર પ્રકાશ પાડતા, તેમણે આધાર-સક્ષમ સેવાઓ, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ઇન્ટિગ્રેશન, ડિજિટલ કમ્પ્લાયન્સ પ્લેટફોર્મ્સ, ઓનલાઇન સર્વિસ ડિલિવરી મિકેનિઝમ્સ અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સ સુધારાઓ જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોગ્રામ ઉભરતા અનુપાલન પડકારો અને તકોને સંબોધવા માટે સરકાર, શિક્ષણ જગત અને ઉદ્યોગને એક સામાન્ય મંચ પર લાવીને વ્યાવસાયિક શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
આ અવસર પર, PDUNASS ના ડાયરેક્ટર શ્રી કુમાર રોહિતે આ લોન્ચિંગને નેશનલ એકેડેમી ઓફ સોશિયલ સિક્યોરિટી માટે એક નિર્ણાયક સીમાચિહ્ન અને PDUNASS અને GNLU વચ્ચેના સતત સહયોગ દ્વારા વિકસિત કરાયેલા સહિયારા વિઝનની પૂર્ણાહુતિ ગણાવી હતી.
આ પહેલની શરૂઆતને યાદ કરતાં તેમણે નોંધ્યું હતું કે, આ પ્રોગ્રામ એ માન્યતામાંથી ઉભરી આવ્યો છે કે ભારતના બદલાતા લેબર અને સોશિયલ સિક્યોરિટી ઇકોસિસ્ટમને એક એવા સંરચિત વ્યાવસાયિક પ્લેટફોર્મની જરૂર છે જે કાનૂની જ્ઞાન અને વ્યવહારિક અમલીકરણ વચ્ચેના લાંબા સમયના અંતરને દૂર કરી શકે. તેમણે અવલોકન કર્યું કે બદલાતા વર્કફોર્સ માળખાં, ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમ્સ અને પારદર્શિતા તેમજ જવાબદારીની વધતી જતી અપેક્ષાઓ એવા પ્રોફેશનલ્સની માંગ કરે છે જેઓ નિયમનકારી આવશ્યકતાઓને અસરકારક કાર્યસ્થળ પ્રણાલીઓ અને શાસન પદ્ધતિઓમાં અનુવાદિત કરી શકે.
સતત વ્યાવસાયિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા શ્રી રોહિતે જણાવ્યું હતું કે રોજગારી ક્ષમતા (employability) અને વ્યાવસાયિક સુસંગતતા વધુને વધુ અનુકૂલનક્ષમતા, વ્યવહારિક ક્ષમતા અને ઉભરતા નિયમનકારી તેમજ તકનીકી વિકાસ માટે સક્રિયપણે પ્રતિભાવ આપવાની ક્ષમતા પર આધારિત છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રમ કાયદાના પાલનને માત્ર વૈધાનિક જવાબદારી તરીકે જ નહીં પરંતુ ગૌરવ, ન્યાયીપણું, કામદાર કલ્યાણ અને સંસ્થાકીય વિશ્વાસ વધારવાના સાધન તરીકે પણ જોવું જોઈએ.
આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે નોંધ્યું હતું કે, આ પ્રોગ્રામ PDUNASS ની ઓપરેશનલ કુશળતા અને GNLU ની શૈક્ષણિક શ્રેષ્ઠતાના અનોખા સંગમનું પ્રતિનિધિત્વ કરે છે, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ભારતના 'વિકસિત ભારત 2047' ના વિઝનને ટેકો આપવા સક્ષમ ભવિષ્ય માટે સજ્જ કમ્પ્લાયન્સ પ્રોફેશનલ્સની કેડર તૈયાર કરવામાં યોગદાન આપશે.


પોતાના સંબોધનમાં, GNLU ના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમારે આ પ્રોગ્રામને અર્થપૂર્ણ શિક્ષણ-ઉદ્યોગ (academia-industry) સહયોગના અગ્રણી ઉદાહરણ તરીકે વર્ણવ્યો હતો. તેમણે અવલોકન કર્યું કે સમકાલીન લેબર ગવર્નન્સ માટે એવા પ્રોફેશનલ્સની જરૂર છે જેઓ કાનૂની જ્ઞાનને વ્યવહારિક સમજ અને અમલીકરણ કૌશલ્યો સાથે જોડી શકે.
તેમણે નોંધ્યું હતું કે આ પ્રોગ્રામ શૈક્ષણિક રીતે સખત, સામાજિક રીતે સુસંગત અને ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ એવા વ્યાવસાયિક શિક્ષણને આગળ ધપાવવાની GNLU ની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. તેમણે ટિપ્પણી કરી કે શ્રમ કાયદાઓ અને સામાજિક સુરક્ષાના માળખાને વધુને વધુ માત્ર નિયમનકારી આવશ્યકતાઓ તરીકે જ નહીં પરંતુ કર્મચારીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા, શાસન પ્રણાલીઓને મજબૂત કરવા, સંગઠનાત્મક સ્થિતિસ્થાપકતા વધારવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટેના વ્યૂહાત્મક સાધનો તરીકે સમજવા જોઈએ.
GNLU ના રજિસ્ટ્રાર ડૉ. નીતિન મલિકે આ પહેલને આવકારી હતી અને અવલોકન કર્યું હતું કે પ્રોફેશનલ્સ તરફથી મળેલો આ મજબૂત પ્રતિસાદ એવા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે જે શૈક્ષણિક ચોકસાઈને વ્યવહારિક સુસંગતતા સાથે જોડે છે.
આ પ્રોગ્રામની એક વિશિષ્ટ વિશેષતા તેની પ્રેક્ટિશનર-કેન્દ્રિત (પ્રેક્ટિસ કરનારાઓ માટેની) ડિઝાઇન છે. PDUNASS ની સ્ટેન્ડિંગ કમિટી અને એકેડેમિક કમિટી દ્વારા સંયુક્ત રીતે વિકસિત આ અભ્યાસક્રમને એડિશનલ CPFC શ્રી અમિત વશિષ્ઠ તેમજ રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે સેવા આપતા શ્રી રિઝવાન ઉદ્દીન, શ્રી ઉત્તમ પ્રકાશ, શ્રી વિજય કુમાર, શ્રી પ્રશાંત શર્મા, શ્રી સંજય કુમાર રાય, શ્રી અંકુર પી. ગુપ્તા, શ્રી હરીશ યાદવ અને શ્રી રામાનંદ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ ક્ષેત્રીય અનુભવ, નિયમનકારી આંતરદૃષ્ટિ, ઓપરેશનલ સમજ અને શૈક્ષણિક ચોકસાઈને જોડે છે જેથી સહભાગીઓને માત્ર કાયદો જ નહીં પરંતુ તેના વ્યવહારિક અમલીકરણને સમજવામાં પણ મદદ મળે.
આ ત્રણ મહિનાનો પ્રોગ્રામ ઓનલાઇન ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં દર શુક્રવારે અને શનિવારે સાંજે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ક્લાસ લેવામાં આવે છે, જે સમગ્ર ભારતમાં કામ કરતા પ્રોફેશનલ્સને ભાગ લેવા માટે સક્ષમ બનાવે છે. ઓનલાઇન ઘટક પછી ગાંધીનગરમાં GNLU કેમ્પસ ખાતે ચાર દિવસનો કોન્ટેક્ટ પ્રોગ્રામ યોજાશે જેમાં વર્કશોપ, કમ્પ્લાયન્સ સિમ્યુલેશન, કેસ સ્ટડીઝ, નિષ્ણાતો સાથે સંવાદ અને અદ્યતન ચર્ચાઓ સામેલ હશે.
ઉદ્ઘાટન સત્રનું સંયુક્ત રીતે સંચાલન GNLU ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હાર્દિક પરીખ અને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર શ્રી મનોરંજન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સ્કોલરશિપ, પ્રેક્ટિશનર કુશળતા અને ઉદ્યોગ સુસંગતતાના તેના વિશિષ્ટ મિશ્રણ સાથે, “Labour Laws and Social Security Compliance (EPFO at Core)” પરનો એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ શિક્ષણમાં એક બેન્ચમાર્ક પહેલ બનવા માટે તૈયાર છે. સરકાર, શિક્ષણ જગત અને ઉદ્યોગને એક સમાન પંચ પર લાવીને, આ પ્રોગ્રામ કમ્પ્લાયન્સ પ્રોફેશનલ્સની એક નવી પેઢી વિકસાવવા માંગે છે જે લેબર ગવર્નન્સ અને સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના બદલાતા પરિદ્રશ્યમાં કામ કરવા સજ્જ હોય અને સાથે જ ભારતના સામાજિક સુરક્ષા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં યોગદાન આપી શકે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2267087)
મુલાકાતી સંખ્યા : 6