પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જેમાં તેમણે બધા માટે શાશ્વત સમૃદ્ધિ, સુખ અને ખુશાલી માટે પ્રાર્થના કરી

प्रविष्टि तिथि: 25 MAY 2026 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિની અનંત કૃપા, સૂર્ય દેવની ઊર્જા અને વરસાદના પવિત્ર આશીર્વાદ આપણા જીવનને ખુશી અને સૌભાગ્યથી   ભરી દે છે. શ્રી મોદીએ પૃથ્વી હંમેશા જીવંત, લીલી અને સમૃદ્ધ રહે તેવી હૃદયપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પ્રકૃતિની અનંત કૃપા, સૂર્યદેવની ઊર્જા અને વરસાદના પવિત્ર આશીર્વાદ આપણા બધાના જીવનને સુખ  અને સૌભાગ્યથી સમૃદ્ધ બનાવે છે. હું ઈચ્છું છું કે પૃથ્વી હંમેશા લીલીછમ અને સમૃદ્ધ રહે."

शं नो देवः सविता त्रायमाणः शं नो भवन्तूषसो विभातीः।

शं नः पर्जन्यो भवतु प्रजाभ्यः शं नः क्षेत्रस्य पतिरस्तु शम्भुः॥"

વિશ્વના તેજસ્વી રક્ષક શાશ્વત દેવ આપણને સમૃદ્ધિ આપે. તેજસ્વી પ્રભાત આપણા જીવનમાં સુખ અને  સમૃદ્ધિ લાવે. વરસાદના દેવતા પર્જન્ય આપણા લોકોને આશીર્વાદ આપે અને ખેતરો, પાક અને જમીનના   કૃપાળુ સ્વામી આપણને સુખ અને સમૃદ્ધિ આપે.

 

SM/BS/GP/JT


(रिलीज़ आईडी: 2264875) आगंतुक पटल : 83
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam