નીતિ આયોગ
અટલ ઇનોવેશન મિશને ફ્રન્ટિયર રિઝન પ્રોગ્રામ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 500 નવી ATL માટે અરજીઓ શરૂ કરી
જમ્મુ અને કાશ્મીરમાં સક્રિયપણે ભાગ લેવા માટે નોન-ATL શાળાઓને આમંત્રણ આપ્યું
પોસ્ટેડ ઓન:
20 MAY 2026 3:41PM by PIB Ahmedabad
ભારતના સરહદી પ્રદેશોમાં એક મજબૂત ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવા તરફના એક મોટા પગલાં તરીકે, અટલ ઇનોવેશન મિશન (AIM), નીતિ (NITI) આયોગે, જમ્મુ અને કાશ્મીર સરકારના શાળા શિક્ષણ વિભાગ અને કાશ્મીર યુનિવર્સિટીના સહયોગથી, આજે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 500 નવી અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs) ની સ્થાપના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે.
આ 500 નવી ATL એ AIMના વ્યાપક ફ્રન્ટિયર રિઝન પ્રોગ્રામ (સરહદી પ્રદેશ કાર્યક્રમ) નો મુખ્ય હિસ્સો છે, જે ગહન સંસ્થાકીય સંકલન અને સ્થાનિક અમલીકરણ મોડેલો દ્વારા ભૌગોલિક રીતે પડકારરૂપ પ્રદેશોમાં અનુકૂળ અને સમાવેશી નવપ્રવર્તન ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરે છે. શાળાઓ, યુનિવર્સિટીઓ, ઉદ્યોગો અને નવપ્રવર્તન સંસ્થાઓ વચ્ચેના જોડાણોને મજબૂત કરીને, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી યુવા નવપ્રવર્તકો અને પરિવર્તન લાવનારાઓની નવી પેઢીને તૈયાર કરવાનો છે, જ્યારે તમામ જિલ્લાઓમાં નવપ્રવર્તનની તકો સમાન રીતે સુનિશ્ચિત કરવાનો છે.
આ પહેલનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ખાસ કરીને દૂરના, સરહદી, ડુંગરાળ અને પછાત ભૌગોલિક વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓમાં ઉભરતી ટેકનોલોજી, ડિઝાઇન વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ શિક્ષણની પહોંચનો વિસ્તાર કરીને સરહદી-પ્રદેશ નવીનતા માટે એક અગ્રણી મોડેલમાં પરિવર્તિત કરવાનો છે.
સપ્ટેમ્બર 2025માં ATL સારથી અને ફ્રન્ટિયર રિજન પ્રોગ્રામના લોન્ચ દરમિયાન જાહેર કરાયેલા વિઝનને કાર્યરત કરવામાં આ એપ્લિકેશન લોન્ચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જ્યાં કાશ્મીર યુનિવર્સિટીને કેન્દ્રશાસિત પ્રદેશમાં ATL ઇકોસિસ્ટમને ટેકો આપવા અને મજબૂત કરવા માટે નોડલ માર્ગદર્શન સંસ્થા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
આ વ્યૂહરચનાના ભાગ રૂપે, AIM એ શાળા શિક્ષણ વિભાગ અને કાશ્મીર યુનિવર્સિટી સાથે ગાઢ સંકલનમાં, જમ્મુ અને કાશ્મીરની ભૌગોલિક અને સંસ્થાકીય વાસ્તવિકતાઓને અનુરૂપ એક કસ્ટમાઇઝ્ડ એપ્લિકેશન ફ્રેમવર્ક વિકસાવ્યું છે. એપ્લિકેશન ફ્રેમવર્કમાં સરકારી, ખાનગી અને સહાયિત, કેન્દ્રીય વિદ્યાલય, આર્મી ગુડવિલ શાળાઓ અને જવાહર નવોદય વિદ્યાલય જેવી વિવિધ શાળા શ્રેણીઓનો સમાવેશ, શાળાની જગ્યા અને નોંધણી સંબંધિત માપદંડોમાં છૂટછાટ અને દૂરસ્થ, સરહદી, પર્વતીય અને પછાત વિસ્તારોમાં સ્થિત શાળાઓ માટે વિશેષ વિચારણા સહિત અનેક સંદર્ભિત ફેરફારોનો સમાવેશ થાય છે.
કેન્દ્રશાસિત પ્રદેશના તમામ જિલ્લાઓની શાળાઓ મહત્તમ ભાગીદારી કરે તે સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક આઉટરીચ (સંપર્ક) અને જાગૃતિ વ્યૂહરચના પણ વિકસાવવામાં આવી છે. આમાં જિલ્લા સ્તરે જાગૃતિ સત્રો, શાળાના વડાઓ અને શિક્ષકો માટે ઓરિએન્ટેશન, વિભાગીય ચેનલો દ્વારા સત્તાવાર સંદેશાવ્યવહાર અને સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે હાલના ATL નેટવર્ક અને સંસ્થાકીય ભાગીદારીનો લાભ લેવાનો સમાવેશ થાય છે.
નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર દીપક બાગલાએ લોન્ચ દરમિયાન જણાવ્યું હતું કે, “આજે, જ્યારે અમે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં 500 ATL માટે અરજીઓ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે અમે માત્ર આ લેબ્સની સ્થાપના જ નથી કરી રહ્યા, પરંતુ અમે સમસ્યાઓનો ઉકેલ લાવનારાઓ, સર્જકો અને રાષ્ટ્ર-નિર્માતાઓ ધરાવતી નવી પેઢીને તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આ લેબ્સ કેન્દ્રશાસિત પ્રદેશના દૂરના અને સરહદી વિસ્તારો સહિત દરેક ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને હિંમતભેર સપના જોવા, નિર્ભયપણે પ્રયોગો કરવા અને વાસ્તવિક દુનિયાના પડકારો માટે ઉકેલો વિકસાવવા સક્ષમ બનાવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, અટલ ઇનોવેશન મિશન એક સમાવેશી નવપ્રવર્તન ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક યુવા મનને વિકસિત ભારત 2047ના વિઝનમાં યોગદાન આપવાની તક મળે. અમે દ્રઢપણે માનીએ છીએ કે નવપ્રવર્તકો, સાહસિકો અને ટેકનોલોજી અગ્રણીઓની આગામી લહેર જમ્મુ અને કાશ્મીરના વર્ગખંડોમાંથી ઉભરી શકે છે.”
તેમણે શાળાઓને જમ્મુ અને કાશ્મીરની ઇનોવેશન ઇકોસિસ્ટમના નવપ્રવર્તન હબ બનવા માટે અરજી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.
જમ્મુ અને કાશ્મીરના શાળા શિક્ષણ વિભાગના સચિવ શ્રી રામ નિવાસ શર્માએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, "શાળા શિક્ષણ વિભાગ એ AIM અને ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યો છે જેથી ખાતરી કરી શકાય કે ભૂગોળ કે વ્યવસ્થાપન પ્રકારને ધ્યાનમાં લીધા વિના, તમામ જિલ્લાઓની શાળાઓ આ તકનો લાભ લઈ શકે. આ પહેલ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા અને અનુભવલક્ષી શિક્ષણને મજબૂત બનાવશે, જ્યારે દૂરના અને મહત્વાકાંક્ષી વિસ્તારોની શાળાઓને ભારતના નવીનતા ચળવળમાં સક્રિય સહભાગી બનવા સક્ષમ બનાવશે."
કાશ્મીર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીલોફર ખાને તેમના સંદેશમાં જમ્મુ અને કાશ્મીરમાં મજબૂત પાયાના સ્તરે નવીનતા સંસ્કૃતિના નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કેન્દ્રશાસિત પ્રદેશની શાળાઓમાં ઉભરતી નવીનતા ઇકોસિસ્ટમને માર્ગદર્શન આપવા તેમજ મજબૂત બનાવવામાં ATL સારથી દ્વારા યુનિવર્સિટીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
આ લોન્ચની મુખ્ય વિશેષતા એ હતી કે "ઇનોવેશન મશાલ" પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે AIM અને જમ્મુ અને કાશ્મીર સરકારના શાળા શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે અનેક જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી હતી. ATL શાળાઓમાં એક પ્રતીકાત્મક મશાલ યાત્રા તરીકે કલ્પના કરાયેલ, આ પહેલનો ઉદ્દેશ્ય J&K માં નવીનતા, સર્જનાત્મકતા અને વિદ્યાર્થી-નેતૃત્વની જીવંત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
આ ઇનોવેશન મશાલ શ્રીનગરથી શરૂ થઈને ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના બહુવિધ જિલ્લાઓમાંથી પસાર થઈને અંતે જમ્મુ પહોંચી હતી, જેણે ATL શાળાઓને નવપ્રવર્તન અને વૈવજ્ઞાનિક અભિગમની સહિયારી ભાવના દ્વારા જોડી હતી.
આ પહેલમાં જિલ્લા સ્તરની સંલગ્નતાઓ, નિષ્ણાતોના જાગૃતિ ભાષણો, સમુદાય સુધી પહોંચવાની પ્રવૃત્તિઓ અને આ પ્રદેશની ATL શાળાઓની ભાગીદારીનો સમાવેશ થતો હતો. ભાગ લેનારી દરેક ATL શાળાએ જમ્મુ અને કાશ્મીરની વધતી જતી નવપ્રવર્તન ચળવળમાં સામૂહિક માલિકી અને ભાગીદારીની પ્રતીકાત્મક રજૂઆત તરીકે આ મશાલ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ દરમિયાન, અરજીની આ શરૂઆત મોટા પાયે રાજ્યવ્યાપી આઉટરીચ (સંપર્ક) અને અમલીકરણના પ્રયાસોની શરૂઆત દર્શાવે છે, જેમાં શાળાઓની મજબૂત અને પારદર્શક પસંદગી સુનિશ્ચિત કરવા માટે માળખાગત મૂલ્યાંકન અને પસંદગી પદ્ધતિઓ ગોઠવવામાં આવી રહી છે. આ પહેલથી જમ્મુ અને કાશ્મીરમાં પાયાના સ્તરે નવપ્રવર્તન ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવાની, નવપ્રવર્તન-આધારિત શિક્ષણ વાતાવરણના વિકાસને વેગ આપવાની અને સમાવેશી તેમજ ભવિષ્યલક્ષી શિક્ષણ દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાની અપેક્ષા છે.
આ ઓનલાઈન લોન્ચિંગ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં 500 ATL માટેની એપ્લિકેશન મેન્યુઅલ (અરજી પુસ્તિકા) ના ઔપચારિક વિમોચન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. ઉપરોક્ત શ્રેણીઓમાં આવતી તમામ નોન-ATL શાળાઓ અહીં અરજી કરી શકે છે: https://aimapp2.aim.gov.in/atl_application_frp/



RHHD.jpeg)

IJ/BS/JD
(રીલીઝ આઈડી: 2263238)
મુલાકાતી સંખ્યા : 19