પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સોમનાથ અમૃત મહોત્સવમાં તેમના સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
11 MAY 2026 5:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ અમૃત મહોત્સવમાં તેમના સંબોધનની ઝલક શેર કરી હતી, અને હાઇલાઇટ કર્યું હતું કે આ મહોત્સવ માત્ર ભૂતકાળની ઉજવણી નથી, પરંતુ આગામી એક હજાર વર્ષ માટે ભારત માટે પ્રેરણાનો ઉત્સવ પણ છે.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"સોમનાથ અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળની ઉજવણી નથી. તે આગામી એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ પણ છે."
"વર્ષ 1998 માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ સાથે વિશ્વએ ભારતના વૈજ્ઞાનિકોના સામર્થ્યનો અનુભવ કર્યો. ત્યારબાદ દેશે જે મજબૂતીથી દરેક પ્રકારના સંકટનો સામનો કર્યો, તેનાથી વિશ્વ પણ આશ્ચર્યચકિત થઈ ગયું."
"સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને કે. એમ. મુન્શી જી સહિત આપણા દેશમાં એવી અસંખ્ય મહાન વિભૂતિઓ થઈ છે, જેમણે સોમનાથની સેવામાં સર્વસ્વ અર્પણ કરી દીધું. તેમનું પુણ્ય સ્મરણ આપણને પ્રેરણા આપે છે કે આપણે ભારતવાસીઓએ આપણી સાંસ્કૃતિક વિરાસતને નિરંતર આગળ વધારવાની છે."
"આપણા સાંસ્કૃતિક સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. પરંતુ દુર્ભાગ્યે દેશમાં આજે પણ એવા લોકો છે, જેમના માટે સોમનાથ જેવા રાષ્ટ્રીય સ્વાભિમાનના વિષય કરતા વધુ મહત્વનું તુષ્ટિકરણ છે."
"મને દેશભરના પવિત્ર તીર્થોના વિકાસનું સૌભાગ્ય મળ્યું છે. પવિત્ર સોમનાથ પરિસર પણ આનું એક સશક્ત ઉદાહરણ છે."
"75 વર્ષ પહેલા જ્યારે પુનઃનિર્મિત સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા થઈ, ત્યારે ભારતે એક નવી યાત્રા શરૂ કરી. આજે આ યાત્રા વધુ વ્યાપક સ્વરૂપમાં આપણી સામે છે, જેને આપણે નવી ઊંચાઈ પર લઈ જવાની છે."
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2259924)
મુલાકાતી સંખ્યા : 18