યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રીનગરમાં યુવા બાબતો અને રમતગમત મંત્રીઓની ચિંતન શિબિરની અધ્યક્ષતા કરી
“વૈશ્વિક રમતગમતની શક્તિ બનવા માટેનો આપણો 10 વર્ષનો રોડમેપ માત્ર કાગળ પર રહેવો જોઈએ નહીં, તે દરેક રમતના મેદાનમાં, દરેક જિલ્લામાં અને દરેક યુવાન સપનામાં જીવંત થવો જોઈએ.”— ડૉ. માંડવિયા
“ખેલો ભારત મિશન એ આપણા યુવાનોની ઉર્જા અને રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે” — ડૉ. મનસુખ માંડવિયા
વિવિધ રાજ્યોના રમતગમત મંત્રીઓએ એથ્લેટ અને ખેલાડી-કેન્દ્રી અભિગમની આસપાસ સર્વસંમતિ સાધવાની પહેલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
25 APR 2026 6:05PM by PIB Ahmedabad
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓની ચિંતન શિબિર આજે શ્રીનગરમાં સંકલિત કાર્યવાહી, પ્રણાલીગત સુધારાઓ, નીતિગત અભિસરણ અને પાયાના સ્તરના અમલીકરણ દ્વારા ભારતના રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત વિચાર-વિમર્શ સાથે શરૂ થઈ.
ઉદ્ઘાટન સત્રને સંબોધતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ જમીન પરના અમલીકરણ દ્વારા સાકાર થશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “વૈશ્વિક રમતગમતની શક્તિ બનવા માટેનો આપણો 10 વર્ષનો રોડમેપ માત્ર કાગળ પર રહેવો જોઈએ નહીં, તે દરેક રમતના મેદાનમાં, દરેક જિલ્લામાં અને દરેક યુવાન સપનામાં જીવંત થવો જોઈએ.”

જમ્મુ અને કાશ્મીરના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા અને ભારતને રમતગમતનું પાવરહાઉસ બનાવવાના વિઝનને બિરદાવ્યું હતું.
કેન્દ્રીય રમતગમત મંત્રીએ રાજ્યોને નીતિ અપનાવવાથી આગળ વધીને સક્રિય અમલીકરણ તરફ જવા આહવાન કર્યું હતું, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક પ્રગતિ જિલ્લાઓ, તાલીમ પ્રણાલીઓ અને પાયાના સ્તરના રમતગમત ઇકોસિસ્ટમમાં દેખાતા પરિણામો દ્વારા માપવામાં આવશે.
તેમણે ઉમેર્યું, “ખેલો ભારત મિશન એ માત્ર એક આંકડો નથી, તે આપણા યુવાનોની ઊર્જા અને રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”
ડૉ. માંડવિયાએ રાજ્ય સરકારો અને સ્પોર્ટ્સ ફેડરેશન વચ્ચેના લાંબા સમયથી ચાલતા ડિસ્કનેક્ટ (સંપર્કનો અભાવ) ને દૂર કરવા હાકલ કરી હતી, અને એક મજબૂત અને એકીકૃત ટેલેન્ટ પાઇપલાઇન બનાવવા માટે ગાઢ સંકલનનો આગ્રહ રાખ્યો હતો.

અભિસરણના મહત્વ પર ભાર મૂકતા, તેમણે હાઇલાઇટ કર્યું કે પ્રતિભાની વહેલી ઓળખ માટે શિક્ષણ પ્રણાલી સાથેનું સંકલન આવશ્યક છે અને શારીરિક શિક્ષણના શિક્ષકો પાયાના સ્તરના રમતગમત ઇકોસિસ્ટમની કરોડરજ્જુ સમાન છે.
તેમણે વધુમાં કહ્યું, “જો તકના અભાવે એક પણ પ્રતિભાશાળી બાળક પાછળ રહી જાય છે, તો તે માત્ર વ્યક્તિગત નુકસાન નથી, તે આખા રાષ્ટ્રનું નુકસાન છે.”
તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમત એક પરિવર્તનકારી સાધન તરીકે કામ કરે છે, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર અને અન્ય પડકારરૂપ વિસ્તારોમાં, જે સામાજિક સંવાદિતા અને રાષ્ટ્રીય એકીકરણમાં યોગદાન આપે છે.
પ્રણાલીગત અંતરને સંબોધતા, મંત્રી ડૉ. માંડવિયાએ કોચના નિયમિત પ્રમાણીકરણ અને અપગ્રેડેશન, એથ્લેટ્સની વૈજ્ઞાનિક તાલીમ અને રમતગમત વહીવટમાં ક્ષમતા નિર્માણ માટે આહવાન કર્યું હતું.

સીમલેસ ઇકોસિસ્ટમના મહત્વ પર ભાર મૂકતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભાની ઓળખ અને પ્રશિક્ષિત માનવશક્તિ એક અખંડ શૃંખલા તરીકે એકસાથે આવે છે, ત્યારે ઓલિમ્પિક પોડિયમ્સ આપોઆપ અનુસરશે,” તેમણે એક સંરચિત માર્ગ દ્વારા પાયાની ભાગીદારીને ઉચ્ચ પ્રદર્શન સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ડૉ. માંડવિયાએ લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર દ્વારા ધોરણ 9-12 વચ્ચેના વિદ્યાર્થીઓ માટે રમતગમતમાં સહભાગિતા, ખેલદિલી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે YES-PE (Young Engagement in Sports & Physical Education) પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો હતો.
સભાને સંબોધતા, સચિવ (રમતગમત), શ્રી હરિ રંજન રાવે સહભાગીઓનું સ્વાગત કર્યું અને સામૂહિક પ્રતિબિંબ અને કાર્યવાહી માટેના પ્લેટફોર્મ તરીકે શિબિરના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

ચિંતન શિબિરના મહત્વની રૂપરેખા આપતા તેમણે કહ્યું, “આ મેળાવડો માત્ર એક પરિષદ નથી, તે પ્રતિબિંબ, સંકલ્પ અને નવેસરથી પ્રતિબદ્ધતાની સામૂહિક ક્ષણ છે.”
ચિંતન શિબિરમાં મેડલ વ્યૂહરચના, નીતિ સંકલન, સ્વચ્છ અને સુરક્ષિત રમત, અને પ્રતિભા ઓળખ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા થીમેટિક સત્રો જોવા મળ્યા હતા.

15 થી વધુ રાજ્ય રમતગમત મંત્રીઓ, આદિલ સુમરીવાલા, અભિનવ બિન્દ્રા, પુલેલા ગોપીચંદ અને ગગન નારંગ સહિતની જાણીતી રમતગમતની હસ્તીઓએ ચિંતન શિબિરમાં હાજરી આપી હતી અને હિતધારકો સાથે તેમના વિચારો શેર કર્યા હતા, જે ભારતની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને સહયોગી નીતિ સંવાદને આગળ વધારવા માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિવિધ રાજ્યોના રમતગમત મંત્રીઓએ એથ્લેટ અને ખેલાડી-કેન્દ્રી અભિગમની આસપાસ સર્વસંમતિ સાધવાની પહેલની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં મજબૂત રમતગમત ઇકોસિસ્ટમ મજબૂત કરવા અને વિકસાવવા માટે આ મોડેલને દેશના વિવિધ પ્રદેશોમાં લાગુ કરી શકાય છે.

વિચાર-વિમર્શમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા, કોચિંગ પ્રણાલીમાં વધારો કરવા, કેન્દ્ર-રાજ્ય અભિસરણ સુધારવા, નૈતિક અને સુરક્ષિત રમતગમત વાતાવરણ સુનિશ્ચિત કરવા અને શાળાઓ, અકાદમીઓ અને ભદ્ર તાલીમ કેન્દ્રોમાં સંકલિત વૈજ્ઞાનિક, ટેકનોલોજી-સંચાલિત ટેલેન્ટ પાઇપલાઇન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સત્રોએ પ્રતિભાની ઓળખથી લઈને ઉચ્ચ પ્રદર્શન તાલીમ સુધી એથ્લેટ વિકાસમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે સંરચિત માર્ગો અને સંસ્થાકીય અભિસરણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
સહભાગીઓએ નીતિ વિષયક હેતુ માપી શકાય તેવી, જમીન પરની અસરમાં પરિવર્તિત થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યોમાં સતત દેખરેખ, મૂલ્યાંકન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો.

વિચાર-વિમર્શમાં ભારતને વૈશ્વિક રમતગમત પાવરહાઉસ તરીકે ઉભરી આવવાના લાંબા ગાળાના વિઝન સાથે સંરેખિત મજબૂત, સર્વસમાવેશક અને ભાવિ-તૈયાર રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે કેન્દ્ર, રાજ્યો અને તમામ હિતધારકોને સંલગ્ન એકીકૃત અને સંકલિત અભિગમના મહત્વનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
(રીલીઝ આઈડી: 2255550)
મુલાકાતી સંખ્યા : 13