PIB Headquarters
azadi ka amrit mahotsav

ચિત્રિત વિશ્વ


ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટિવલ 2026નો અવાજ

પોસ્ટેડ ઓન: 16 MAR 2026 11:12AM by PIB Ahmedabad

3 માર્ચ થી 13 માર્ચ 2026 દરમિયાન, નવી દિલ્હીમાં આવેલા ત્રાવનકોર પેલેસના મેદાન સર્જનાત્મક ઊર્જાથી ગુંજી ઉઠ્યા હતા. અહીં કાર્યરત કલાકારો, આદિવાસી પરંપરાઓનો પરિચય મેળવતા મુલાકાતીઓ અને વપરાયેલા કુદરતી રંગોની સૂક્ષ્મ સુગંધ વાતાવરણમાં ભળી રહી હતી. આ ટ્રાઈબ્સ આર્ટ ફેસ્ટ 2026 હતો. તે એક રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 75 થી વધુ આદિવાસી કલાકારોને એકઠા કરવામાં આવ્યા હતા. તેમાં એક છત નીચે 1,000 થી વધુ કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કલાકૃતિઓ દેશભરની 30થી વધુ વિશિષ્ટ આદિવાસી કલા પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) અને ફિક્કીના સહયોગથી આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન કરતાં ઘણો વધારે હતો. કલાકૃતિઓમાં આદિવાસી વાર્તાઓ, પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને સામુદાયિક જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે ભારતના સ્વદેશી સાંસ્કૃતિક વારસાની વિવિધતાને ઉજાગર કરે છે. આ એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ નવા પ્રેક્ષકોને મળતી હતી, જ્યાં કલાકૃતિઓને ખરીદદારો મળતા હતા, અને જ્યાં જીવંત વારસાને તેનું યોગ્ય સન્માન પ્રાપ્ત થતું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034WQD.png

પ્રદર્શન ઉપરાંત, ટ્રાઈબ્સ આર્ટ ફેસ્ટમાં આદિવાસી કલાના પુનરુત્થાન અને ટકાઉ ભવિષ્ય, સમકાલીન જગ્યાઓમાં આદિવાસી કલા, તથા આજીવિકા અને બજાર જોડાણો જેવા વિષયો પર પેનલ ચર્ચાઓનો સમાવેશ થતો હતો. કાર્યક્રમમાં સહભાગી વર્કશોપ, આદિવાસી કલા દ્વારા વાર્તાલાપ, સચિત્ર પ્રવચનો અને જીવંત નિદર્શનનો પણ સમાવેશ થતો હતો. ભારતના વિવિધ ભાગોમાંથી કલાનો અભ્યાસ કરતા 100થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને સંગઠિત પ્રવાસો, અનુભવી આદિવાસી કલાકારો સાથે માર્ગદર્શનની તકો અને જીવંત સર્જનાત્મક પ્રથાઓમાં સમજ મળી હતી.

Text Box: Tribal Art in India includes a wide range of forms such as paintings, metal crafts, wood carvings, textiles, pottery, and body art, many of which originate in rural and forested regions where tribal communities live. Common themes include nature, animals, mythology, ancestral spirits, agricultural life, and community celebrations. These artworks are often created using locally available materials such as natural pigments, bamboo, wood, clay, and metal.

વારલી ચિત્રકળા: પ્રાચીન પરંપરાઓની જીવંત કડી

મધુકર રામભાઉ વાડુએ આઠ વર્ષની ઉંમરે વર્લી ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો અને લગભગ પાંચ દાયકાથી આ કળા પ્રત્યે સમર્પિત છે. હાલ 56 વર્ષના તેઓ માત્ર કલાકાર જ નથી, પરંતુ લેખક, સંશોધક, અને એક એવી પરંપરાના સમર્પિત રક્ષક છે જેનાં રહસ્યો ખોલવામાં તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.પ્રાગૈતિહાસિક ગુફા ચિત્રો અને પ્રાચીન ખડક કોતરણીને વારલી કલા સાથે જોડતી અદૃશ્ય કડીને શોધવા અને તેના પર સંશોધન કરવાનો તેમનો જુસ્સો છે.

Text Box: Warli painting has held a Geographical Indication (GI) tag since 2014. It is a legal recognition, under the Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999, that ties the art form to its place of origin and ensures only authorised practitioners can use its name commercially. https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006SREV.png

મહારાષ્ટ્રની એક લોકકલા પરંપરા, વાર્લી ચિત્રકલા વાર્લી આદિવાસીઓ દ્વારા ચીતરવામાં આવે છે. તેની ઉત્પત્તિ 10મી સદી એડી અથવા તો નિયોલિથિક સમયગાળા (2,500-3,000 બીસી) માં થઈ શકે છે, જે પ્રકૃતિ સાથેના ઊંડા બંધનનું પ્રદર્શન કરે છે. ખેતી આદિજાતિનું ગુજરાન ચલાવે છે, જે કુદરતી તત્ત્વોને તેમની કલાના કેન્દ્રબિંદુ બનાવે છે. પરંપરાગત રીતે, પ્રાચીન ગુફા ચિત્રોની જેમ, કલાકારો તેમની સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના આદરને દર્શાવવા માટીની ઝૂંપડીઓની દીવાલોનો કેનવાસ તરીકે ઉપયોગ કરે છે. ચોખાના લોટની ઘટ્ટ પેસ્ટમાંથી બનેલા સફેદ રંગનો ઉપયોગ કરીને, તેઓ દૈનિક જીવનની જટિલતાને મૂળભૂત ભૌમિતિક આકારો વર્તુળો, ત્રિકોણ અને ચોરસ દ્વારા સૂક્ષ્મ સ્વરૂપમાં રજૂ કરે છે, ખેતી અને શિકારના દ્રશ્યો, ગામડાના રીતરિવાજો અને જોશીલા તરપા નૃત્યને ચિત્રિત કરે છે. દરેક ચિત્ર, મૂળભૂત રીતે, સમુદાય અને તેના નિવાસસ્થાન સમા કુદરતી વિશ્વ વચ્ચેનો સંવાદ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0075LDF.png

મધુકર માટે, ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ જેવા કાર્યક્રમો માત્ર પ્રદર્શનો નથી તે સંસ્કૃતિના સમર્થનના કાર્યો છે. આદિવાસી કલા પરંપરાઓ ખરા અર્થમાં જે દર્શકોને તે લાયક છે ત્યાં સુધી પહોંચે તે માટે આવા ઉત્સવો દેશના વધુ ભાગોમાં અને વધુ વાર યોજાવા જોઈએ, એમ તેમનું માનવું છે

ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે,“આદિવાસી કલા વિશે લોકોને જાણ કરવામાં મદદ કરે છે અને જે યુવાન કલાકારો તેને વ્યવસાય તરીકે અપનાવવા માંગે છે તેમને પ્રોત્સાહન આપે છે.” મહોત્સવમાં તેમના પોતાના કાર્યને સારો આવકાર મળ્યો છે, તેમની કેટલીક પેઇન્ટિંગ્સ એવા મુલાકાતીઓએ ખરીદી હતી જેમને વારલી કલાનો પ્રથમ વાર પરિચય થયો હતો.

વાર્તાઓ કહેતા મહોરાં: રાભા અને તામાંગ પરંપરાઓ

થોડા સ્ટોલ દૂર, મુલાકાતીઓ સામે જોઈ રહેલા ચહેરા જીવંત લોકોના નથી, પરંતુ દેવી-દેવતાઓ, આત્માઓ અને પૌરાણિક જીવોના છે. પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના 64 વર્ષીય કલાકાર શાંતિ રામ રભાએ રભા અને તામાંગ શૈલીના આ મુખવટા તૈયાર કર્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0083ZVI.pnghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009C4N1.png

રાભા આદિજાતિમાં, જે મુખ્યત્વે આસામ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં જોવા મળે છે, મુખોટા બનાવવાની કળા એ લોક નાટ્ય અને ધાર્મિક નૃત્યથી અવિભાજ્ય એક પ્રાચીન કળા છે. લાકડા, વાંસ, સૂકા કોળા કે માટીમાંથી કોતરીને આકર્ષક રંગોથી રંગાયેલા આ દરેક મુખવટા પૌરાણિક પાત્રો, પ્રાણીઓ અથવા વિધિ દરમિયાન આહ્વાન કરાતા આત્માઓને દર્શાવે છે. હિમાલય પ્રદેશની તામાંગ પરંપરાઓ સમાન આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે: કલાકારો દેવતાઓ અને પૌરાણિક જીવોને ધારણ કરવા માસ્ક પહેરે છે, માનવ અને દૈવી વચ્ચેની સીમા રેખાને ઓગાળી દે છે.

રાભાની વાર્તાને ખાસ કરીને નોંધપાત્ર બનાવે છે કે તેઓ યુવાનીમાં નહીં, પરંતુ દાયકાઓની લશ્કરી સેવા પછી આ કલામાં આવ્યા. માસ્ક બનાવવાનો વ્યવસાય અપનાવતા પહેલા તેઓ સેનામાંથી નિવૃત્ત થયા હતા. વ્યક્તિગત જિજ્ઞાસાથી શરૂ થયેલું આ કાર્ય ઝડપથી તેમના જીવનનો ધ્યેય બન્યો. ટ્રાઇબ્સ આર્ટ મહોત્સવમાં, બજારના પ્રતિભાવે તેણે પહેલેથી જે અનુમાન કર્યું હતું અને તેની પુષ્ટિ કરી હતી: મહોત્સવના પ્રથમ દિવસે તેના ઘણા માસ્ક વેચાયા.

તેમના માટે માસ્કનું વેચાણ ગૌણ છે, મુખ્ય મહત્વ એ આ આદાનપ્રદાનનું છે જે વાર્તા કહેવાની આ પરંપરાઓને નવા લોકો સુધી પહોંચાડવાની તક પૂરી પાડે છે, અને આ પરંપરાઓના વાહક કારીગરો વિદાય લે ત્યારે તે ભૂલાઈ ન જાય તેની ખાતરી આપે છે.

ગોંડ કલા: ભાત અને રંગ દ્વારા વાર્તાઓ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010LQPQ.png

ગોંડ ચિત્રકળાના મૂળ મધ્ય ભારતના ઘરોની દિવાલો અને જમીન પર આવેલા છે, ખાસ કરીને મધ્ય પ્રદેશમાં, જ્યાં ગોંડ સમુદાયના કલાકારો એક સમયે માટી, પથ્થરો, ફૂલો અને વનસ્પતિઓમાંથી તેમના રંગો ભેળવી રોજિંદા જીવનની સપાટીઓ પર પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો ચિત્રિત કરતા હતા. આ કલા સ્વરૂપ તેની આગવી ટેકનિક માટે પ્રખ્યાત છે, જે દરેક આકારને ટપકાં અને રેખાઓની જટિલ પેટર્નથી ભરી દે છે અને રચનાઓને લયબદ્ધ, લગભગ સંગીતમય ગુણવત્તા બક્ષે છે. આ ચિત્રો માત્ર સુશોભિત કૃતિઓ નથી, પરંતુ એવી વાર્તાઓ છે જે લોકકથાઓ, સમુદાયની સ્મૃતિ અને જંગલ જીવનની ઊંડી ઇકોલોજીમાંથી પ્રેરણા મેળવે છે.

 

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ભૌગોલિક સંકેતોની નોંધણી કચેરી દ્વારા મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો છે. આ ટેગ કલા સ્વરૂપના અનન્ય પ્રાદેશિક મૂળની ઔપચારિક માન્યતા છે અને તેના કારીગરોની પરંપરાગત જાણકારીને કાયદેસરનું સુરક્ષા કવચ પૂરું પાડે છે. [2]

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011N27B.png

જાપાની શ્યામ હર્લીના ચિત્રને નિહાળવું એટલે રંગો અને ભાતથી ધબકતી એક એવી દુનિયામાં પ્રવેશ કરવો, જે પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોથી છલકાઈ રહી છે, અને જાણે જીવંત હોય તેમ શ્વાસ લેતી હોય છે. ભોપાલની ગોંડ પ્રધાન સમુદાયની એક યુવા કલાકારના ચિત્રકામમાં પ્રાચીન વારસા અને જીવંત પરંપરાનો સુભગ સમન્વય જોવા મળે છે.

તેમના પિતા જંઘર સિંહ શ્યામે તેમને ગોંડ કલાકાર બનવા પ્રેરણા આપી હતી. તહેવારમાં પ્રદર્શિત તેના એક કેનવાસ પર, એકબીજાથી તદ્દન ભિન્ન સ્વભાવના બે મિત્રોની કથા રજૂ કરવામાં આવી હતીએક સૌમ્ય અને કરુણામય, જ્યારે બીજો વધુ ઘેરા પ્રભાવોથી ઘડાયેલો હતો. રંગો અને ભાત દ્વારા જીવંત કરવામાં આવેલી આ એક બોધકથા છે. આ ચિત્ર એક શાંત દાર્શનિક સત્ય ઉજાગર કરે છે કે આપણે જે સંગત રાખીએ છીએ તે આપણું ઘડતર કરે છે. જાપાનીના મતે, એક સાચો મિત્ર ગંગા જેવો છે જે એક પછી એક વાતચીત દ્વારા આપણને શુદ્ધ કરી ફરીથી ઘડવાની ક્ષમતા ધરાવે છે.

ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ જેવા મંચો કળાને પ્રોત્સાહન આપવા ઉપરાંત લોકોને હિંમત આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. આવા પ્લેટફોર્મ આપણા સમુદાયના વધુ લોકોને આગળ આવી કલા સાધવા માટે પ્રોત્સાહિત કરે છે, એમ તેમણે અવલોકન કર્યું. તેઓ માને છે કે પ્રોત્સાહન વેપાર જેટલું જ મહત્વનું છે.

ભીલ પેઇન્ટિંગ: બિંદુઓ અને રંગોની વાર્તાઓ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image012NPSB.png

ભીલ ચિત્રકલા ભીલ સમુદાય દ્વારા પ્રચલિત છે, જે ભારતનાં સૌથી મોટા આદિવાસી સમુદાયોમાંનો એક છે. આ ચિત્રો ઉપમહાદ્વીપ પરની સૌથી જૂની કલા પરંપરાઓમાંની એક હોવાનો શ્રેય પણ ધરાવે છે. તેની સૌથી વિશિષ્ટ વિશેષતા તરત જ નજરને કેદ કરે તેવી છે: દરેક રચના એક હજારથી વધુ સૂક્ષ્મ ટપકાંના સમુહમાંથી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી દરેક બીજ, અનાજના દાણા અથવા પ્રકૃતિના છંદના ધબકારાને દર્શાવે છે. આ બિંદુમય વિશ્વમાંથી પ્રાણીઓ, દેવી-દેવતાઓ, જંગલો અને દૈનિક જીવનના દ્રશ્યો ઉભરી આવે છે, જે સદીઓથી ભૂમિ સાથે ગાઢ સંબંધ ધરાવતા લોકોએ ઘડેલા સૃષ્ટિ અંગેના તેમના દર્શનમાં આ કલાને મજબૂત રીતે સ્થાપિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0131XRI.png

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કલાકાર રામ સિંહ ભાવોરને બરાબર યાદ છે જ્યારે તેમણે પહેલી વાર ભીલ ચિત્રકામ જોયું હતું: તે તેમના ગામના ઘરોની દિવાલો પર હતું, જ્યાં કલા હંમેશા હાજર હતી, જાણે કે કંઈક કુદરતી રીતે ત્યાં વિકસ્યું હોય. તેમને ખ્યાલ આવે તે પહેલાં સમજવામાં સમય લાગ્યો કે તેઓ જે જોઈને મોટા થયા છે તે ભારતની સૌથી જૂની અને સૌથી મહત્વપૂર્ણ આદિવાસી કલા પરંપરાઓમાંની એક છે.

નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે રામ સિંહે જ્યારે વરિષ્ઠ આદિવાસી કલાકારોને તેમના ગામના દિવાલ ચિત્રો જેવા કાર્યોને રાષ્ટ્રીય મંચ પર લઈ જતા જોયા. કંઈક બદલાયું. જે કલા તેઓ હંમેશા સાથે રહેતા હતા તે અચાનક એવી વસ્તુ તરીકે પ્રગટ થઈ જે વિશાળ વિશ્વ જોવા માંગતું હતું - અને તેમણે તે વાર્તાનો ભાગ બનવાનું નક્કી કર્યું.

તેમણે ગંભીરતા અને હેતુપૂર્વક ચિત્રકલા અપનાવી, એવી આશા સાથે કે આમ કરવાથી તેઓ પોતાના સમુદાયના યુવા કલાકારો માટે પથ પ્રગટાવી શકે. ટ્રાઈબ્સ આર્ટ ફેસ્ટમાં, તેમને તેમની કલાકૃતિઓ માટે ખરીદદારો મળ્યા, પરંતુ આશ્ચર્યજનક રીતે, તેમને લોકો સાથે વાર્તાલાપ પણ થયા. અગાઉ ક્યારેય અનુભવ ન કર્યો હોય તેવી પરંપરાઓના કલાકારો તેમની પાસેથી થોડા સ્ટોલ દૂર કામ કરી રહ્યા હતા ત્યારે, પ્રાદેશિક અને સાંસ્કૃતિક સીમાઓ ઓળંગીને વાર્તાલાપની આ આપ-લે તેમના માટે આ મહોત્સવનો સૌથી મોટો લાભ બની હતી.

આટલા વૈવિધ્યસભર ઉત્સવમાં દરેક આદાનપ્રદાન પણ શિક્ષણ સમાન છે, તેમ તેમણે જણાવ્યું. આ એક એવી તક છે જે આપણને અન્ય કલા સ્વરૂપોને જ નહીં, પરંતુ જેમાંથી તેમનો જન્મ થયો તે જીવનશૈલી અને ભૂગોળને પણ જાણવાનો અવસર પૂરો પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014PNVW.png

જીવંત પરંપરાઓનો ઉજવણી મહોત્સવ

ટ્રાઈબ્સ આર્ટ ફેસ્ટ 2026 માં સમગ્ર ભારતમાંથી કુશળ કલાકારોએ ભાગ લીધો હતો, જેમાંથી દરેક આધુનિક ભારત કરતાં સદીઓ જૂની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રદર્શનમાં મુકાયેલી દરેક કલાકૃતિ માત્ર સૌંદર્યલક્ષી મૂલ્ય જ નહીં, પરંતુ એક સમુદાયની દુનિયાને જોવાની રીત, પ્રકૃતિ સાથેનો તેનો સંબંધ, તેની નૈતિક કથાઓ અને તેની સ્મૃતિ પણ ધરાવતી હતી. આ અવશેષો નથી. આ જીવંત, વિકસતી પરંપરાઓ છે, અને જે કલાકારો તેમનું પાલન કરે છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમને વિલય થવા દેવા માંગતા નથી.

 

સંદર્ભો:

Press Information Bureau:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2234758

Ministry of Textiles, Government of India

https://handicrafts.nic.in/crafts/All_Crafts/Craft_Categories/Miscellaneous/Folk_Painting/Warli_Painting/Warli_Painting

Economic Advisory Council to the Prime Minister (EAC-PM)

https://tribal.nic.in/downloads/Livelihood/Resource%20and%20Publications/tribalFaces.pdf

Government of Tamil Nadu

https://govtmuseumchennai.org/uploads/topics/16527874636788.pdf

Pictures

See in PDF

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2240726) મુલાકાતી સંખ્યા : 29
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR