લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષને હટાવવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું સદનમાં વક્તવ્ય
પોસ્ટેડ ઓન:
12 MAR 2026 7:37PM by PIB Ahmedabad
માનનીય સભ્યગણ,
સ્વતંત્ર ભારતના સંસદીય ઇતિહાસમાં ત્રીજી વાર લોક સભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના સંકલ્પ પર સદનમાં છેલ્લા બે દિવસોમાં માનનીય સભ્યોએ 12 કલાકથી વધુ ચર્ચા કરી. વિવિધ દળોના માનનીય સભ્યોએ પોતાના-પોતાના વિચાર, પોતાના તર્ક અને પોતાની ચિંતાઓ આ સદન સમક્ષ મૂકી. પ્રતિપક્ષના માનનીય સભ્યોએ વિપક્ષના અવાજને દબાવવાની અને નિષ્પક્ષતાના અભાવની વાત કરી.
માનનીય સભ્યોએ આસનની નિષ્પક્ષતા, સદનની કાર્યકુશળતા તેમજ ભારતના સંસદની વૈશ્વિક ઉપલબ્ધિઓની વાત કરી. ત્યાં જ માનનીય સભ્યોએ આપણા સંસદીય લોકતંત્રની વ્યાખ્યા કરી અને સદનની ગરિમાપૂર્ણ પરંપરાઓ, નિયમો અને પ્રક્રિયાઓ પર પોતાનો દ્રષ્ટિકોણ પણ રાખ્યો.
માનનીય સભ્યગણ, આ સદન ભારતના 140 કરોડ નાગરિકોની સંપ્રભુ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં ઉપસ્થિત પ્રત્યેક સભ્ય લાખો નાગરિકોના જનાદેશને પોતાની સાથે લઈને આવે છે – દરેક માનનીય સભ્ય, ભારતના નાગરિકોની સમસ્યાઓ - અભાવો - મુશ્કેલીઓને દૂર કરવા અને તેમની અપેક્ષાઓ - આકાંક્ષાઓ - ઉમ્મીદોને પૂર્ણ કરવાની આશા પણ સાથે લઈને આવે છે.
મેં હંમેશા એ પ્રયાસ કર્યો છે કે સદનની અંદર પ્રત્યેક માનનીય સભ્ય નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ પોતાના વિષય/મુદ્દાઓ પર પોતાના વિચાર વ્યક્ત કરે અને તમામ માનનીય સભ્યોને આના માટે પર્યાપ્ત અવસર મળે. આ સદન સમાજની અંતિમ પંક્તિમાં ઉભેલા દરેક તે વ્યક્તિની અવાજ બને, જેની આજે આપણને સૌથી વધુ આવશ્યકતા છે.
મેં એ પણ નિરંતર પ્રયાસ કર્યો કે હું તે માનનીય સભ્યોને સદનની કાર્યવાહીમાં હિસ્સો લેવા માટે પ્રેરિત કરું જે કાં તો નવા છે અથવા બોલવામાં સંકોચ કરે છે. મેં બંને કાર્યકાળમાં તે તમામ માનનીય સભ્યોને બોલવાનો આગ્રહ કર્યો જેમણે સદનમાં એક વાર પણ નથી બોલ્યું, કારણ કે આ સદનમાં બોલવાથી લોકતંત્રનો સંકલ્પ અને મજબૂત થાય છે અને સરકારની જવાબદારી પણ નક્કી થાય છે. આ સદન વિચારોનો, ચર્ચાનો જીવંત મંચ રહ્યો છે. આપણા સંસદીય લોકતંત્રમાં સહમતી – અસહમતીની મહાન પરંપરા હંમેશાથી રહી છે.
માનનીય સભ્યગણ, જ્યારે આપણા બંધારણ નિર્માતાઓએ સ્વતંત્ર ભારત માટે બંધારણનું નિર્માણ કર્યું, ત્યારે તેમણે ગહન વિમર્શ અને અનુભવના આધાર પર સંસદીય લોકતંત્રની વ્યવસ્થાને અપનાવી. સંસદીય લોકતંત્રની વ્યવસ્થા આજે નિઃસંદેહ વિશ્વમાં શાસનની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. આ વ્યવસ્થામાં સંસદ માત્ર કાયદો બનાવવાનો મંચ ન હોઈને રાષ્ટ્રની લોકતાંત્રિક ચેતનાનું કેન્દ્ર પણ છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 93માં અધ્યક્ષની ચૂંટણીની જોગવાઈ છે. મને આ પાવન સદને બીજી વાર અધ્યક્ષ પદનું દાયિત્વ નિભાવવાનો અવસર આપ્યો છે. મેં હંમેશા એ પ્રયાસ કર્યો છે કે સદનની કાર્યવાહી નિષ્પક્ષતા, અનુશાસન, સંતુલન અને નિયમોની સાથે સંચાલિત થાય. સદનમાં બધાને સાથે લઈને સામંજસ્યથી વ્યવસ્થા અને કાર્યકુશળતા બનાવી રાખવી અધ્યક્ષનું મુખ્ય કાર્ય છે. મારો હંમેશા એ પ્રયાસ રહે છે કે સદનની ગરિમા, મર્યાદા અને પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે.
મંગળવાર, તારીખ 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રતિપક્ષના કેટલાક માનનીય સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી. આપણા મહાન બંધારણ દ્વારા સ્થાપિત સંસદીય લોકતંત્રની વ્યવસ્થામાં મારો અતૂટ વિશ્વાસ રહ્યો છે. મેં પોતાના નૈતિક કર્તવ્યનું નિર્વહન કરતા અવિશ્વાસના પ્રસ્તાવના પ્રસ્તુતીકરણની સાથે જ સદનની કાર્યવાહીથી પોતાને અલગ કરી લીધો.
છેલ્લા બે દિવસોમાં આ સદને લોકતંત્રની એક મહત્વપૂર્ણ સંસદીય પ્રક્રિયાને પૂરી કરી છે. આ ચર્ચા દરમિયાન અનેક વિચાર, અનેક દ્રષ્ટિકોણ અને અનેક ભાવનાઓ આ સદનની સામે રાખવામાં આવી. મેં સદનના પ્રત્યેક માનનીય સભ્યની વાતને ગંભીરતા અને ધ્યાન સાથે સાંભળી છે.
હું આ સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું - ભલે તેમણે સમર્થનમાં પોતાના વિચાર રાખ્યા હોય અથવા આલોચનાના રૂપમાં પોતાના સૂચનો આપ્યા હોય. લોકતંત્રની આ જ વિશેષતા છે કે અહીં દરેક અવાજ સાંભળવામાં આવે છે અને દરેક દ્રષ્ટિકોણને મહત્વ આપવામાં આવે છે.
માનનીય સભ્યગણ, આ પિઠાસન કોઈ વ્યક્તિનું નથી. આ ભારતની લોકતાંત્રિક પરંપરા, બંધારણની ભાવના અને આ મહાન સંસ્થાની પ્રતિષ્ઠાનું પ્રતીક છે. મારા પૂર્વવર્તી અધ્યક્ષોએ આ સદનની મર્યાદા અને પરંપરાને મજબૂત કરી છે અને હંમેશા આ સદનની પ્રતિષ્ઠા વધારી છે. સંસ્થાઓ, મર્યાદાઓ અને પરંપરાઓ સ્થાયી રહે છે. સદન દ્વારા મારા પર વ્યક્ત કરવામાં આવેલા વિશ્વાસનો હું હૃદયથી સન્માન કરું છું. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિશ્વાસને પોતાની જવાબદારી માનતા, પૂરી નિષ્ઠા, નિષ્પક્ષતા અને બંધારણીય મર્યાદાની સાથે આગળ નિભાવવાનો પ્રયાસ કરીશ. ચર્ચા દરમિયાન કેટલાક માનનીય સભ્યોએ કહ્યું કે પ્રતિપક્ષના નેતાને બોલવાથી રોકવામાં આવે છે અને તેમને બોલવાનો પર્યાપ્ત અવસર નથી આપવામાં આવતો.
હું આ પાવન પીઠથી એ સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલે સદનના નેતા હોય, ભલે નેતા પ્રતિપક્ષ હોય, મંત્રીગણ કે અન્ય કોઈ સભ્ય હોય – તમામ માનનીય સભ્યોને સદનના નિયમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરતા જ બોલવાનો અધિકાર મળે છે.
કેટલાક માનનીય સભ્યોનું એ માનવું છે કે પ્રતિપક્ષના નેતા સદનમાં ક્યારેય પણ ઉઠીને, કોઈ પણ વિષય પર, કંઈ પણ બોલી શકે છે. તેમને લાગે છે કે આ તેમનો વિશેષાધિકાર છે.
હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે સદન નિયમોથી ચાલે છે – અને સદનના કાર્ય-સંચાલન નિયમ સદન દ્વારા જ બનાવવામાં આવ્યા છે, ના સરકાર દ્વારા અને ના વિપક્ષ દ્વારા. આ નિયમ મને વારસામાં મળ્યા છે. આ સદનમાં તમામ સભ્યો પર નિયમ સમાન રૂપથી લાગુ છે.
સદનમાં જ્યારે પણ લોક મહત્વના કોઈ વિષય પર જો માનનીય પ્રધાનમંત્રીજી કે માનનીય મંત્રીગણને વક્તવ્ય આપવાનું હોય છે, તો તેમને નિયમ 372 હેઠળ અધ્યક્ષ પાસેથી પૂર્વ સંમતિ પ્રાપ્ત કરવી હોય છે. તેના માટે પણ નોટિસ આપવામાં આવે છે. કોઈ પણ માનનીય સભ્યને નિયમોથી પરે જઈને બોલવાનો વિશેષાધિકાર આ સદનમાં નથી. આપણા દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓની ગરિમા, મર્યાદા અને તેમના નિયમોના સન્માનની સમૃદ્ધ પરંપરા રહી છે. હું તમારી સમક્ષ આ જ સદનના માનનીય પૂર્વ અધ્યક્ષોના નિર્ણયોનો ઉલ્લેખ કરવા માંગુ છું.
1957માં માનનીય રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીજીએ જમ્મુ અને કાશ્મીરથી સંબંધિત કંઈક ફોટોઝને પોતાના દ્વારા કહેવામાં આવી રહેલી વાતના પ્રમાણના રૂપમાં સદનની સામે રાખવા ઈચ્છ્યા, તો આ જ ચેરથી આ વ્યવસ્થા આપવામાં આવી કે એવું કરતા પહેલા તે તે દસ્તાવેજને પહેલા સ્પીકરને બતાવે. પછી તે નિર્ણય લેશે કે એવું કરી શકાય કે નહીં. અટલજી સમેત સંપૂર્ણ સદને અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી આ વ્યવસ્થાને માની અને સસન્માન પાલના કરી.
1 માર્ચ 1958ના રોજ, જ્યારે માનનીયા સભ્ય શ્રીમતી રેણુ ચક્રવર્તીજીએ કોઈ એક ગેર-સરકારી દસ્તાવેજને સદનના પટલ પર રાખવા ઈચ્છ્યા, તો ચેર દ્વારા એ કહીને નામંજૂર કરી દેવામાં આવ્યું કે તેને સ્પીકરને બતાવ્યા વગર સભાપટલ પર નથી રાખી શકાતું.
26 માર્ચ 1958ના રોજ એક માનનીય સભ્ય એસ. એમ. બેનર્જીએ પોતાની વાતના સમર્થનમાં એક પત્રથી કોટ કરવા ઈચ્છ્યું, તો માનનીય ઉપાધ્યક્ષ મહોદયે એ કહીને મનાઈ કરી દીધી કે તમારે એવું કરતા પહેલા ચેરને બતાવવું જરૂરી હોય છે, અને તે તમે નથી કર્યું. આ બંને પ્રકરણોમાં પણ સદને અધ્યક્ષના નિર્ણય સસન્માન સ્વીકાર કર્યા.
આ પ્રકારના લોક સભામાં અને સંસદના બીજા સદન, રાજ્ય સભામાં પણ અનેક ઉદાહરણ છે, જ્યારે ચેરની પૂર્વ પરવાનગી લીધા વગર કોઈ દસ્તાવેજને સદનના પટલ પર રાખવા કે કોટ કરવાની પરવાનગી નથી આપવામાં આવી. આ પરંપરાનો દરેક હંમેશા સન્માન કર્યો છે.
અધ્યક્ષપીઠના નિર્ણયથી કોઈ પણ માનનીય સભ્ય વ્યક્તિગત રૂપથી સહમત કે અસહમત હોઈ શકે છે, પરંતુ સદનના નિયમ પ્રક્રિયા અને પરંપરાઓને લાગુ કરવું મારું કર્તવ્ય છે. જ્યારે પણ કેટલાક માનનીય સભ્યો સદનની મર્યાદાઓની વિરુદ્ધ આચરણ – વ્યવહાર કરે છે, ત્યારે સદનની મર્યાદાને બનાવી રાખવા માટે મને કઠોર નિર્ણય અને વ્યવસ્થા આપવી પડે છે.
ચર્ચા દરમિયાન એક માનનીય વિદ્વાન સભ્યએ બંધારણના આર્ટિકલ 105 હેઠળ સંસદના સભ્યોને સંસદમાં બોલવાની આઝાદી (Freedom of Speech)ના અધિકારની વાત કરી.
હું આ સદન સમક્ષ આપણા બંધારણના આર્ટિકલ 105 (1)ને વાંચીને આ સંબંધમાં સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છું –
‘’105 (1) - આ બંધારણના ઉપબંધો અને સંસદની પ્રક્રિયાનું વિનિમયન કરતા નિયમો અને સ્થાયી આદેશોના આધીન રહેતા, સંસદમાં વાક્ત – સ્વાતંત્ર્ય (Freedom of Speech) હશે.‘’
અર્થાત આપણને સંસદમાં બોલવાની આઝાદી તો છે પરંતુ સદન દ્વારા સ્વીકૃત પ્રક્રિયાના નિયમો અને સ્થાયી આદેશોના આધીન.
નિયમ 352ના 11 ઉપ-નિયમોમાં માનનીય સભ્યો માટે વિસ્તૃત નિર્દેશ અંકિત છે કે સદનમાં બોલતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કયા પ્રકારના તથ્ય અને કયા પ્રકારના વાક્યોને નથી બોલવા જોઈએ.
ચર્ચા દરમિયાન એ પણ કહેવામાં આવ્યું કે અધ્યક્ષપીઠના દ્વારા પ્રતિપક્ષના કેટલાક સભ્યોનો માઈક બંધ કરી દેવામાં આવે છે.
આ વિશે હું પહેલા પણ આ સ્પષ્ટ રૂપથી કહી ચૂક્યો છું કે આસન પાસે માનનીય સભ્યોના માઈક ઓન કે ઓફ કરવા માટે કોઈ બટન નથી. પ્રતિપક્ષના કેટલાક માનનીય સભ્ય પણ અહીં પીઠાસીન અધિકારીના રૂપમાં કાર્ય કરે છે – તેઓ આ વાતથી ભલીભાંતિ અવગત છે. સદનમાં આ વ્યવસ્થા છે કે જે માનનીય સભ્યને બોલવાની પરવાનગી હોય છે, તે માનનીય સભ્યનો જ માઈક ઓન રહે છે.
ચર્ચા દરમિયાન માનનીય મહિલા સભ્યોના સન્માનને લઈને પણ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા.
મારા મનમાં હંમેશા આપણી માનનીય મહિલા સભ્યોના પ્રતિ સર્વોચ્ચ સન્માનનો ભાવ રહ્યો છે. મારો હંમેશાથી એ પ્રયાસ રહ્યો કે દરેક માનનીય મહિલા સભ્યને સદનમાં બોલવાનો અવસર મળે. મને આ વાતનો ગર્વ છે કે મારા અધ્યક્ષીય કાર્યકાળમાં પ્રત્યેક મહિલા સભ્યએ સદનમાં પોતાના બહુમૂલ્ય વિચાર રાખ્યા છે, ભલે તેઓ પ્રથમ વાર જ ચૂંટાઈને આવ્યા હોય.
પરંતુ, જે પ્રકારથી પ્રતિપક્ષની કેટલીક માનનીય સભ્ય દ્વારા વેલને ક્રોસ કરી ટ્રેઝરી બેન્ચની તરફ જઈને નારેબાજી કરી રહી હતી અને જે પ્રકારથી બેનર બતાવવામાં આવી રહ્યું હતું, તે સમયે કોઈ પણ અપ્રત્યાશિત સ્થિતિ બની શકતી હતી. એવા કોઈ અપ્રત્યાશિત સ્થિતિની સંભાવનાને ટાળવા અને વ્યવસ્થા બનાવી રાખવા માટે મને માનનીય સદનના નેતાને સદનમાં ન આવવાનો આગ્રહ કરવો પડ્યો. એવી પ્રતિકૂળ સ્થિતિમાં સદનની વ્યવસ્થા અને પ્રતિષ્ઠા બનાવી રાખવા માટે જે ઉચિત હતું, મેં એ જ કર્યું.
કેટલાક માનનીય સભ્યોએ એ પણ કહ્યું કે અધ્યક્ષ - પ્રતિપક્ષના માનનીય સભ્યોને પર્યાપ્ત અવસર નથી આપતા.
17મી અને 18મી લોક સભામાં સંસદીય કાર્યવાહીના અધિકારિક આંકડા સત્ય ઉજાગર કરે છે. જો સંખ્યા બળના આધાર પર જોવામાં આવે, તો પ્રતિપક્ષના માનનીય સભ્યોને રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ, બજેટ, મહત્વપૂર્ણ વિધેયકો અને અન્ય વિશેષ ચર્ચાઓ, પ્રશ્ન કાલ અને શૂન્ય કાલ દરમિયાન ફાળવવામાં આવેલા સમયથી વધુ સમય બોલવાનો અવસર મળ્યો છે. આ તથ્ય છેલ્લા બે દિવસોની ચર્ચામાં અહીં ઘણી વાર પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
મારી હંમેશા આ કોશિશ રહે છે કે સમસ્ત સભ્યોને સદનમાં પર્યાપ્ત અવસર મળે. મેં એ પ્રયાસ કર્યો છે કે ઓછી સંખ્યા વાળા દળોના માનનીય સભ્યો, માત્ર એક સભ્ય વાળા દળો અને નિર્દલીય સભ્યોને પણ પર્યાપ્ત મોકો મળે. તેથી જ હું ઘણીવાર શૂન્ય કાલ અને ડિબેટના નિર્ધારિત ફાળવવામાં આવેલા સમયને વધારી દઉં છું.
કેટલાક માનનીય સભ્યોના દ્વારા નિલંબનના વિષય પર પણ ચર્ચા કરવામાં આવી.
મારા આપ તમામ માનનીય સભ્યો સાથે દળથી ઉપર ઉઠીને ઊંડા વ્યક્તિગત સંબંધ રહ્યા છે. હું ક્યારેય પણ નથી ઈચ્છતો કે કોઈ પણ સભ્ય વિરુદ્ધ કાર્યવાહી થાય. પરંતુ જ્યારે પણ સદનની વ્યવસ્થા બનાવી રાખવા માટે કોઈ પણ માનનીય સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, તો મને ઘણું દુઃખ થાય છે.
પરંતુ, આપણને એ વિચારવું પડશે કે એવી સ્થિતિ જ કેમ ઉત્પન્ન થઈ કે આ સદનને વ્યવસ્થા બનાવી રાખવા માટે નિલંબન જેવા કઠોર નિર્ણય લેવા પડ્યા. મારો હંમેશા એ આગ્રહ રહ્યો છે કે સદનમાં ઉચ્ચ કોટિની પરંપરા – મર્યાદા બની રહે. આજે પણ હું, આગ્રહપૂર્વક આપને કહેવા માંગુ છું કે નારેબાજી કરવી, નિયોજિત વ્યવધાન કરવું અને કરવો – એ આપણી સંસદીય પરંપરાનો હિસ્સો નથી રહ્યો.
વર્ષ 1997માં આઝાદીની પચાસમી વર્ષગાંઠ પર થયેલા સંમેલનમાં અને વર્ષ 2001માં નવી દિલ્હીમાં થયેલા માનનીય પીઠાસીન અધિકારીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ચીફ વ્હિપના સંમેલનમાં સર્વસંમતિથી આ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે સદનમાં અનુચિત આચરણ જેવા કે નારેબાજી કરવી, જાહેરાત બતાવવા, પત્રોને ફાડવા અને ફેંકવા, અનુચિત અને અભદ્ર મુદ્રાઓનું પ્રદર્શન કરવું, અધ્યક્ષના આસનની સમીપ જવું, પ્રદર્શન કરવું, ધરણા પર બેસવું, કાર્યવાહીમાં બાધા નાખવી અને અન્ય સભ્યોને ન બોલવા દેવા, વ્યવસ્થા બનાવી રાખવાના અધ્યક્ષપીઠના નિર્દેશો પર ધ્યાન ન દેવું, પીઠાસીન અધિકારીઓના નિર્ણયો પર પ્રશ્નચિહ્ન લગાવવું, આદિથી સંસદ અને વિધાન મંડળોના સમુચિત કાર્યકરણ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.
વર્ષ 2001માં થયેલા સંમેલનમાં માનનીય પ્રતિપક્ષની નેતા, જે કોંગ્રેસ પાર્ટીની વરિષ્ઠ નેતા છે, તેમણે કહ્યું હતું કે વ્યવધાનને નહીંવત કરવા માટે સદનની વચ્ચે (વેલ ઓફ ધ હાઉસ) આવવા પર સંપૂર્ણતા પર રોક લાગવી જોઈએ અને આ મૂળ નિયમનું ઉલ્લંઘન પર સ્વતઃ કડી અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ દ્રઢતાથી એ અનુભવે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણના સમયે કોઈ પણ પ્રકારના વ્યવધાનની પરવાનગી નથી આપવામાં આવવી જોઈએ.
આ સંમેલનમાં લગભગ તમામ મુખ્ય રાજકીય દળોના નેતાઓએ વ્યાપક રાષ્ટ્રહિતમાં સર્વસંમતિથી આ સંકલ્પ લીધા હતા. પીઠાસીન અધિકારીઓના સંમેલનમાં પણ હંમેશા સદનની મર્યાદા અને ગરિમા બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આપણને હંમેશા એ સ્મરણ રહેવું જોઈએ કે સદનમાં ચર્ચા દરમિયાન મતભેદ થશે – વિચારોની તીખી આપ-લે પણ થશે.
પરંતુ લોકતાંત્રિક વિમર્શ અને અવ્યવસ્થાની વચ્ચે એક સ્પષ્ટ રેખા હોય છે. તખ્તીઓ લહેરાવવી, નારા લગાવવા, કાગળ ફાડવા અને ફેંકવા, ટેબલ પર ચઢવું, આ પ્રકારના આચરણ આપણી મહાન સંસદીય પરંપરાઓની વિરુદ્ધ છે. આ માત્ર કાર્યવાહીને બાધિત નથી કરતા, પરંતુ સદનની પ્રતિષ્ઠાને પણ પ્રભાવિત કરે છે.
માનનીય સભ્યગણ, મારા માટે આપ તમામ સભ્ય માનનીય છે અને હું વ્યક્તિશઃ આપ તમામનું સન્માન કરું છું. હું આ સદનમાં બેસનારા પ્રત્યેક સભ્યમાં ભારતના તે લાખો નાગરિકોને જોઉં છું જેમનું આપ પ્રતિનિધિત્વ કરો છો.
માનનીય સભ્યગણ, છેલ્લા બે દિવસોની ચર્ચામાં ઘણા માનનીય સભ્યોના દ્વારા સંસદમાં 22 ભાષાઓમાં અનુવાદ, ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ, રિસર્ચ સપોર્ટ, કેપેસિટી બિલ્ડિંગ, પી-20, CSPOCના સફળ આયોજન, ફ્રેન્ડશિપ ગ્રુપ્સ અને અન્ય વિવિધ ઉપલબ્ધિઓની પણ વાત કરવામાં આવી.
મને આ વાતનો પણ ગર્વ છે કે મારા કાર્યકાળ દરમિયાન જ આપણી સંસદે અંગ્રેજોના દ્વારા બનાવવામાં આવેલા ભવનથી આપણા દ્વારા બનાવવામાં આવેલા આ નવા ભવનથી કાર્ય કરવું આરંભ કર્યું. જ્યારે પણ વિદેશોથી વિવિધ દેશોના રાષ્ટ્રધ્યક્ષ અને સંસદીય શિષ્ટમંડળ અહીં આવે છે, તેઓ આપણા આ નવા સંસદ ભવનની વાસ્તુકલાથી અભિભૂત થઈને પ્રશંસા કરે છે. મને આ વિશે બસ એટલું કહેવું છે કે આ સમસ્ત ઉપલબ્ધિઓ વ્યક્તિગત નથી પરંતુ આ સદનની સામૂહિક ઉપલબ્ધિઓ છે.
વિશ્વ ભરમાં ભારતના લોકતંત્રની ઘણી મોટી પ્રતિષ્ઠા છે. અન્ય દેશોના સાંસદ અને અધિકારીગણ આપણી સંસદમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા આવે છે. જ્યારે પણ હું અધ્યક્ષના રૂપમાં આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લઉં છું, મને આપણા બંધારણ અને આપણી સંસદ પર અત્યંત ગર્વની અનુભૂતિ થાય છે.
માનનીય સભ્યગણ, સદનના સંચાલન હેતુ સદન દ્વારા બનાવવામાં આવેલા નિયમોની પાલના કરવી આપણે તમામ સભ્યોની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે. પરંતુ જો કોઈ માનનીય સભ્ય નિયમોની અવહેલના કરે છે, અને સદનના સંચાલનમાં વ્યવધાન ઉત્પન્ન કરે છે, તો એવા સભ્યોનું માર્ગદર્શન કરવાનું, તેમને ચેતવણી આપવાની અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દાયિત્વ આ પાવન સ્થાન પર બેસનારા અધ્યક્ષ એટલે કે સ્પીકરનું છે.
નિયમ 378 સ્પષ્ટ કહે છે કે “અધ્યક્ષ દ્વારા વ્યવસ્થા બનાવી રાખવામાં આવશે અને પોતાના વિનિર્ણયોના પ્રવર્તનના પ્રયોજન માટે અધ્યક્ષને આવશ્યક શક્તિઓ હશે.“
માનનીય સભ્યગણ, લોકતંત્રની સંસ્થાઓ સ્થાયી હોય છે. મજબૂત સંસ્થાઓ જ એક મજબૂત લોકતંત્રનું નિર્માણ કરે છે. જો આપણે સ્વયં જ આ સંસ્થાઓની પ્રતિષ્ઠાને ઓછી કરીશું, તો આનાથી કોઈ વ્યક્તિ અથવા દળને નહીં, પરંતુ પૂરા રાષ્ટ્રને ક્ષતિ થશે. બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવું માત્ર ઔપચારિકતા નથી. આ લોકતંત્રની સ્થિરતાનો આધાર છે.
માનનીય સભ્યગણ, જ્યારે-જ્યારે અહીં સદનમાં શોર થાય છે, નિયોજિત વ્યવધાન થાય છે, ત્યારે-ત્યારે જનતાના મનમાં નિરાશા પેદા થાય છે. હું આપને વિનમ્રતાપૂર્વક આગ્રહ કરવા માંગુ છું કે ભારતના જનમાનસમાં સદનના પ્રતિ વિશ્વાસ અને ભરોસો બનાવી રાખવામાં આપ તમામ સહયોગ કરો.
માનનીય સભ્યગણ, આપણું મહાન બંધારણ, આપણા નિયમ અને આપણી પરંપરાઓ આપણને વારસામાં મળી છે – જ્યાં મને આપણી આ મહાન વિરાસત પર ગર્વ છે – ત્યાં મારો સંકલ્પ છે કે હું આ મહાન વિરાસતને હંમેશા આગળ વધારીશ અને ક્યારેય પણ આ સદનની મર્યાદામાં કમી નહીં થવા દઈશ.
હું સદનમાં પક્ષ- પ્રતિપક્ષ તમામ માનનીય સભ્યોને સંરક્ષકના રૂપમાં સમાન રૂપથી જોઉં છું. ભલે કોઈ કેટલી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા કરવાની કોશિશ કરે, આ મારો અટલ સંકલ્પ છે કે હું સદનની મર્યાદા અને પ્રતિષ્ઠા બનાવી રાખીશ. આ સદન હંમેશા નિયમ પ્રક્રિયાથી ચાલ્યું છે અને ભવિષ્યમાં પણ આ સદન નિયમ પ્રક્રિયાથી જ ચાલશે – ભલે કોઈ વિશિષ્ટ સભ્ય સહમત હોય કે નહીં.
માનનીય સભ્યગણ, પ્રશંસા હોય કે આલોચના — આ બધાની વચ્ચે મારો એક જ સંકલ્પ છે: સદનની મર્યાદા અને નિયમોની રક્ષા. આપણે માત્ર બંધારણના શબ્દોનું જ નહીં, પરંતુ બંધારણીય નૈતિકતા એટલે કે CONSTITUTIONAL MORALITY – (કન્સ્ટિટ્યુશનલ મોરાલિટી)નો પણ પાલન કરીએ.
ચાલો, આપણે સૌ મળીને આજથી એક નવા, સકારાત્મક અને રચનાત્મક અધ્યાયની શરૂઆત કરીએ. રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર નિર્માણના માર્ગ પર મળીને આગળ વધીએ.
આપ તમામનો આભાર. જય હિન્દ. જય ભારત.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2239187)
મુલાકાતી સંખ્યા : 12