માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો

प्रविष्टि तिथि: 04 FEB 2026 7:07PM by PIB Ahmedabad

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે માર્ગ સુરક્ષાની શ્રેષ્ઠ પદ્ધતિઓ દેશમાં લાવવા અને શૈક્ષણિક જગત, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રોડ સેફ્ટી (CoERS) ની સ્થાપના કરી છે. તમામ નેશનલ હાઈવે (NHs) ના કામો ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ (IRC) ના ધોરણો, માર્ગદર્શિકા, મેન્યુઅલ, કોડ ઓફ પ્રેક્ટિસ તેમજ રોડ અને બ્રિજ વર્ક્સ માટેના સ્પષ્ટીકરણો મુજબ હાથ ધરવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ અને માર્ગદર્શિકાઓના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

નેશનલ હાઈવે પર માર્ગ સુરક્ષા સુધારવા અને અકસ્માતો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ (ATMS) ની તૈનાતીની પરિકલ્પના કરવામાં આવી છે. ATMS માં AI-આધારિત વિડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન એન્ડ એન્ફોર્સમેન્ટ સિસ્ટમ્સ (VIDES), ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા, પેન ટુ ઝૂમ (PTZ) કેમેરા અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ, એન્ફોર્સમેન્ટ, ઘટનાઓની વહેલી ઓળખ અને રીઅલ-ટાઇમ ફિલ્ડ રિસ્પોન્સ માટે સર્વેલન્સ કેમેરાનો સમાવેશ થાય છે. વાહનોને સુરક્ષિત બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે, જેમાં મધ્યમ અને હેવી-ડ્યુટી વાહનોમાં એક્ટિવ સેફ્ટી ફીચર્સ માટેના નિયમોના પ્રકાશનનો સમાવેશ થાય છે, જે M2, M3, N1, N2, N3 અને ક્વાડ્રિસાઇકલ માટે એન્ટી-લોક બ્રેકિંગ સહિતની બ્રેકિંગ સિસ્ટમ, એન્ડ્યુરન્સ બ્રેકિંગ સિસ્ટમની જોગવાઈ કરે છે (નવા મોડલ માટે 1 જાન્યુઆરી, 2027 થી અને હયાત મોડલ માટે 1 ઓક્ટોબર, 2027 થી અમલી), અને M2, M3, N2 અને N3 કેટેગરીના વાહનો માટે વ્હીકલ સ્ટેબિલિટી ફંક્શન (VSF), લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ (LDWS), ડ્રાઈવર ડ્રોઝીનેસ એન્ડ એટેન્શન વોર્નિંગ સિસ્ટમ્સ, બ્લાઈન્ડ સ્પોટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને મૂવિંગ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ સહિત એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) (નવા મોડલ માટે 1 ઓક્ટોબર, 2027 થી અને હયાત મોડલ માટે 1 જાન્યુઆરી, 2028થી અમલી).

સરકારે નેશનલ હાઈવે પર હાઈ ફેટાલિટી કોરિડોર (વધુ મૃત્યુદર ધરાવતા કોરિડોર) ની ઓળખ કરી છે અને અકસ્માતો ઘટાડવા માટે સાઇટની જરૂરિયાતોને આધારે વિવિધ ઉપચારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. માર્ગ સુરક્ષા વિશે જાગૃતિ લાવવા માટે રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જાગૃતિ ફેલાવવા અને માર્ગ સુરક્ષા મજબૂત કરવા માટે દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી મન્થ (રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ) ઉજવવામાં આવે છે. મહિના દરમિયાન જાહેર જાગૃતિ અભિયાનો, પેમ્ફલેટનું વિતરણ, હેલ્મેટનું વિતરણ વગેરે હાથ ધરવામાં આવે છે જેથી માર્ગ અકસ્માતો અને મૃત્યુઆંક ઘટાડી શકાય.

માહિતી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી શ્રી નિતિન જયરામ ગડકરી જી દ્વારા રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2223441) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Kannada