પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
09 JUN 2025 1:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે તેમનું બલિદાન અને સમર્પણ દેશના લોકોને પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક, ભગવાન બિરસા મુંડાજીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ. તેમણે આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2135086)