સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં રક્તસ્રાવની વિકૃતિઓ પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
થીમ - 'એક્સેસ ફોર ઓલ: વુમન એન્ડ ગર્લ્સ બ્લીડ ટૂ'
Posted On:
18 APR 2025 6:59PM by PIB Ahmedabad
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ડીઇપીડબલ્યુડી)એ વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં તેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કમ્પોઝિટ રિજનલ સેન્ટર્સ (સીઆરસી) મારફતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
રક્તસ્રાવના વિકાર અંગે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્યસંભાળ પહેલ તરીકે આ દિવસ વાર્ષિક 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ સ્થાનિક નીતિ ઘડવૈયાઓ સાથે જોડાણ મારફતે હીમોફીલિયાના વધુ સારા નિયંત્રણ અને નિવારણને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ અસરગ્રસ્તો માટે સુધારેલી સારવાર અને સંભાળ સુનિશ્ચિત કરવાનો છે.
વર્લ્ડ હીમોફીલિયા ડે 2025ની થીમ હતી, 'એક્સેસ ફોર ઓલ: વુમન એન્ડ ગર્લ્સ બ્લીડ ટૂ'. તે રક્તસ્રાવની વિકૃતિઓ ધરાવતી મહિલાઓ અને છોકરીઓ માટે વધુ સારા નિદાન અને સારવારની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે અને તેનો હેતુ સ્ત્રી વસ્તીની સંભાળ માટે સમાન સુલભતા સુનિશ્ચિત કરવાનો છે.
17 એપ્રિલ 2025ના રોજ, સ્વામી વિવેકાનંદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિહેબિલિટેશન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (એસવીએનઆઈઆરટીએઆર), કટક, આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં આ નિર્ણાયક આરોગ્ય મુદ્દા પર જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નિષ્ણાતોએ હીમોફીલિયા સંબંધિત માહિતી, નિવારણ અને નિદાન અંગે ચર્ચા કરી હતી.

કોલકાતાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોકોમોટર ડિસેબિલિટીઝ (એનઆઇએલડી)એ જાગૃતિ કાર્યક્રમ અને વેબિનારનું આયોજન કર્યું હતું. સંસ્થાના પુનર્વસન નર્સિંગ વિભાગે હીમોફીલિયાના લક્ષણો અને નિવારણ પર આરોગ્ય પર વાત કરી હતી. ક્ષેત્રના વ્યાવસાયિકોએ આ દિવસના મહત્વને પ્રકાશિત કર્યું. આ કાર્યક્રમમાં અંદાજે 130 દિવ્યાંગજનો/દર્દીઓ અને તેમની સારસંભાળ રાખનારાઓએ ભાગ લીધો હતો.

મધ્ય પ્રદેશના સિહોરમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન (એનઆઇએમએચઆર)એ આ વિકાર વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી અસરકારક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સમુદાય-આધારિત કાર્યક્રમોની શ્રેણી સાથે આ દિવસની ઉજવણી કરી હતી.
નેલ્લોરના કમ્પોઝિટ રિજનલ સેન્ટર (સીઆરસી)એ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે રક્તસ્રાવની વિકૃતિઓ વિશે જાગૃતિ સત્રો યોજ્યા હતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરસી સ્ટાફ, ડીએડ તાલીમાર્થીઓ અને દિવ્યાંગજનોના વાલીઓ સહિત 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સીઆરસી ત્રિપુરાએ એક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં સંસ્થાના અધિકારીઓ અને નિષ્ણાતોએ હીમોફીલિયા વિશે વિગતવાર માહિતી શેર કરી હતી. સીઆરસી રાજનાંદગાંવે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જ્યારે નવી મુંબઈના એન.આઈ.ઈ.પી.આઈ.ડી.ના પ્રાદેશિક કેન્દ્રએ 'હીમોફીલિયા: કેર એન્ડ રિહેબિલિટેશન' વિષય પર વેબિનારનું આયોજન કર્યું હતું.

સીઆરસી દાવણગેરે, સીઆરસી જયપુર અને ડીઇપીડબલ્યુડી હેઠળ અન્ય કેટલીક રાષ્ટ્રીય સંસ્થાઓ અને સીઆરસીઓએ પણ આ પ્રસંગની ઉજવણી કરવા જાગૃતિ કાર્યક્રમોની શ્રેણીબદ્ધ કામગીરી હાથ ધરી હતી.


AP/IJ/GP/JD
(Release ID: 2122803)