પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ ચકલી દિવસ 2025


આપણા નાના પીંછાવાળા મિત્રોના કલરવને સાચવવો

Posted On: 18 MAR 2025 5:40PM by PIB Ahmedabad

ગામડાંઓમાં શાંતિપૂર્ણ સવારથી માંડીને શહેરોની ધમાલ સુધી, ચકલીઓ એક વખત તેમની ખુશખુશાલ ચિચિયારીઓથી વાતાવરણને ભરી દેતી હતી. આ નાનાં પક્ષીઓનાં ટોળાંઓએ, આમંત્રણ વિના છતાં આવકાર્ય, અવિસ્મરણીય યાદો સર્જી હતી. પરંતુ સમય જતાં, આ નાના મિત્રો આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ ગયા છે. એક સમયે વિપુલ પ્રમાણમાં, ઘરની ચકલી હવે ઘણી જગ્યાએ એક દુર્લભ દૃશ્ય અને રહસ્ય બની ગઈ છે. આ નાના જીવોને જાગૃત કરવા અને તેની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MZBY.png

2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા "નેચર ફોરએવર" દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ 50થી વધુ દેશોમાં ફેલાયો છે. તેનો ધ્યેય ચકલીઓનું રક્ષણ કરવાનું અને તેમના પતનને રોકવાનું છે. 2012માં, ઘરની ચકલી દિલ્હીની રાજ્ય પક્ષી બની હતી. ત્યારથી આ ઘટનાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. દરેક જગ્યાએ લોકો ચકલીઓની ઉજવણી કરે છે અને તેમને બચાવવાનું કામ કરે છે.

ચકલીઓ નાના પરંતુ નોંધપાત્ર પક્ષીઓ છે. જે ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ વિવિધ જીવાતોને ખાઈને જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તદુપરાંત, પરાગનયન અને બીજના વિસ્તરણમાં ચકલીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમની હાજરી જૈવવિવિધતામાં વધારો કરે છે, જે તેમને ગ્રામીણ અને શહેરી એમ બંને પ્રકારની ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ બનાવે છે.

ભારતમાં, ચકલીઓ માત્ર પક્ષીઓ જ નથી, પરંતુ તે સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક છેહિન્દીમાં "ગોરૈયા", તમિલમાં "કુરુવી" અને ઉર્દૂમાં "ચિર્યા" જેવા વિવિધ નામોથી જાણીતી  ચકલીઓ પેઢીઓથી દૈનિક જીવનનો એક ભાગ રહી છે. તેઓ તેમના ખુશખુશાલ ગીતોથી હવાને ભરી દેતા હતા, ખાસ કરીને ગામડાઓમાં, ઘણા લોકો માટે યાદોનું સર્જન કરતા હતા.

તેમનું મહત્વ હોવા છતાં, ચકલીઓ ભયજનક દરે અદૃશ્ય થઈ રહી છે. આ ઘટાડામાં અનેક પરિબળો ફાળો આપે છે. અનલીડ પેટ્રોલના ઉપયોગથી ઝેરી સંયોજનો થાય છે જે જંતુઓને નુકસાન પહોંચાડે છે. જેના પર ચકલીઓ ખોરાકનો આધાર રાખે છે. શહેરીકરણે તેમની કુદરતી માળાની જગ્યાઓ પણ છીનવી લીધી છે. આધુનિક ઇમારતોમાં ચકલીઓને માળો બાંધવા માટે જરૂરી જગ્યાઓનો અભાવ છે, જે તેમના બચ્ચાને ઉછેરવા માટેના સ્થળોને ઘટાડે છે.

તદુપરાંત, કૃષિમાં જંતુનાશકોના ઉપયોગથી જંતુઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જેણે ચકલીઓના ખોરાકના પુરવઠાને વધુ અસર કરી છે. કાગડાઓ અને બિલાડીઓની વધતી જતી હાજરી, સાથે સાથે લીલી જગ્યાઓના અભાવે સમસ્યામાં વધારો કર્યો છે. આ પરિબળો, જીવનશૈલીમાં ફેરફારની સાથે સાથે ચકલીઓને ખીલવવાનું મુશ્કેલ બનાવ્યું છે.

આ પડકારો વચ્ચે ચકલીઓને બચાવવા અને તેમને આપણા જીવનમાં પાછા લાવવાના અનેક પ્રેરક પ્રયાસો થઈ રહ્યા છે. આવી જ એક પહેલ પર્યાવરણીય  સંરક્ષણવાદી જગત કિનખાબવાલાની આગેવાની હેઠળની "સેવ ધ સ્પેરો" અભિયાન છે. તેમણે પર્યાવરણીય સંરક્ષણ સાથે વિકાસને સંતુલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 2017માં આ અભિયાન માટે પીએમ મોદીના સમર્થનથી જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FXLB.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005COHT.png

બીજી નોંધપાત્ર પહેલ ચેન્નઈના કુડુગલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાએ શાળાના બાળકોને ચકલીના માળા બનાવવામાં સામેલ કર્યા છે. બાળકો લાકડાના નાના મકાનો બનાવે છે, જે ચકલીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. 2020 થી 2024 સુધીમાં, ટ્રસ્ટે 10,000થી વધુ માળા બનાવ્યા, જેના કારણે ચકલીઓની સંખ્યામાં વધારો થયો. આવા પ્રયત્નો યુવા પેઢીને સંરક્ષણમાં સામેલ કરવાના મહત્વને પ્રકાશિત કરે છે.

 કર્ણાટકના મૈસૂરમાં "અર્લી બર્ડ" અભિયાન બાળકોને પક્ષીઓની દુનિયાથી પરિચિત કરાવે છે. આ કાર્યક્રમમાં એક પુસ્તકાલય, પ્રવૃત્તિ કીટ અને પક્ષીઓના નિરીક્ષણ માટે ગામોની યાત્રાઓનો સમાવેશ થાય છે. આ શૈક્ષણિક પ્રયત્નો બાળકોને પ્રકૃતિમાં ચકલીઓ અને અન્ય પક્ષીઓના મહત્વને ઓળખવામાં અને સમજવામાં મદદ કરી રહ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006I7XX.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00788WY.png

રાજ્યસભાના સાંસદ બ્રિજલાલે પણ ચકલીના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેણે પોતાના ઘરમાં 50 માળાઓ સ્થાપ્યા છે, જ્યાં ચકલીઓ દર વર્ષે ઇંડા મૂકવા પાછી ફરે છે. તે સુનિશ્ચિત કરે છે કે તેઓને ખવડાવવામાં આવે છે અને તેમની સંભાળ લેવામાં આવે છે. તેમના પ્રયત્નોની પીએમ મોદીએ પણ પ્રશંસા કરી હતી, જેમણે ચકલીઓની સુરક્ષામાં આ પ્રકારની પહેલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

વિશ્વ ચકલી દિવસ એ આપણા નાના પીંછાવાળા મિત્રોને સાચવવાના મહત્વની યાદ અપાવે છે. પછી ભલે તે વધુ હરિયાળી વાવીને, જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડીને અથવા સલામત માળાની જગ્યાઓ બનાવીને, દરેક નાના પ્રયત્નોની ગણતરી થાય છે. વિશ્વ ચકલી દિવસ ઉજવીને, આપણે આ નાના પક્ષીઓને આપણા જીવનમાં પાછા લાવવામાં મદદ કરી શકીએ છીએ અને પ્રકૃતિ અને માનવતા વચ્ચેના સુમેળને જાળવી શકીએ છીએ.

સંદર્ભો

મહેરબાની કરીને pdf ફાઇલ જૂઓ

AP/IJ/GP/JD


(Release ID: 2112557) Visitor Counter : 906


Read this release in: English , Urdu , Hindi , Bengali