ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ -2023ના પ્રસંગે આયોજિત 'સંત સંમેલન -2023' ને સંબોધન કર્યું


એક વ્યક્તિ, દેશ અને આખી દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન ગીતાના ઉપદેશોમાં રહેલું છે, ગીતાના સંદેશા દેશ-દુનિયાના દરેક ખૂણે પહોંચવા જોઈએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં આત્માને જાગૃત કરવાનું કામ કર્યું

અમારું માનવું છે કે આ દેશની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ વધારવી જોઈએ અને દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ધરતીની સુગંધ હોવી જોઈએ

ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના મોદીજીના વિઝન મુજબ મનોહરલાલજીએ 2016માં ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ કર્યું હતું

શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે.

આ ધરતી પર, 5 હજારથી વધુ વર્ષ પહેલાં, ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને શ્રી જ્ઞાનાનંદજી જેવા ઘણા મહાત્માઓ વિશ્વભરમાં તે જ્ઞાનને પુનર્સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે

Posted On: 22 DEC 2023 6:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ - 2023 ના પ્રસંગે આયોજિત 'સંત સંમેલન -2023' ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016YV6.jpg

આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ભૂમિ પર આજથી 5 હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને શ્રી જ્ઞાનાનંદજી જેવા અનેક મહાત્માઓ સમગ્ર વિશ્વમાં તે જ્ઞાનને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વ્યક્તિ, દેશ અને સમગ્ર વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન ગીતાના ઉપદેશોમાં રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા અને તેમની શંકાઓનું નિરાકરણ લાવવા માટે કર્યો હતો, પરંતુ તે યુદ્ધ પૃથ્વી પર ધર્મની સ્થાપના અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BDQ4.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં સરકાર વર્ષ 2014થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે અને મોદીજીએ જ ગીતા મહોત્સવને 2014માં જ આંતરરાષ્ટ્રીય આકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલનો આભાર વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી મનોહર લાલ વર્ષ 2015માં મુખ્યમંત્રી બન્યા અને વર્ષ 2016માં ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે ગીતાનો સંદેશ દેશ અને દુનિયાના દરેક ભાગ સુધી પહોંચવો જોઈએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00334DN.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં લોકોને જાગૃત કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકારે હંમેશા કહ્યું છે કે આ દેશની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ વધારવી જોઈએ અને દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ધરતીની સુગંધ હોવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે, એકતા અને અખંડિતતાના વાસ્તવિક અને નક્કર સ્વરૂપને જમીની સ્તર પર લાવવા માટે કલમ 370 નાબૂદ રહેવી જોઇએ અને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે એક થવું જોઇએ. તેમણે કહ્યું કે જો ભારતને ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ બનાવવું હોય તો ત્રણ તલાક જેવા કાયદા જે એક ખાસ ધર્મ માટે બનાવવામાં આવે છે તેને ખતમ કરી દેવા જોઇએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004X16C.jpg

શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે અને રામ લલ્લા પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં હશે. આ સાથે પ્રધાનમંત્રી મોદીજીએ કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ મહાલોક, સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ, કેદારનાથ અને બદ્રીનાથમાં નવા સ્વરૂપમાં દર્શનની વ્યવસ્થા, કાશ્મીરમાં શારદા પીઠનો જીર્ણોદ્ધાર અને દક્ષિણની સનાતન પરંપરાના પ્રતિક સમા સેંગોલની સ્થાપનાના કામો સંસદમાં કર્યા છે.

YP/JD



(Release ID: 1989703) Visitor Counter : 121