સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર ડિફેન્સ 3-દિવસીય ભારતની મુલાકાતે આવ્યા; રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે 29 ઓગસ્ટે વાતચીત

प्रविष्टि तिथि: 28 AUG 2023 9:36AM by PIB Ahmedabad

કેબિનેટ સેક્રેટરી ફોર ડિફેન્સ, કેન્યા શ્રી એડન બેરે ડુઅલ 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ 29મી ઓગસ્ટે તેમના કેન્યાના સમકક્ષ સાથે વાતચીત કરશે. મુલાકાતી મહાનુભાવ તેમના રોકાણ દરમિયાન ગોવા અને બેંગલુરુમાં ભારતીય શિપયાર્ડ અને સંરક્ષણ ઉદ્યોગોની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

કેબિનેટ સેક્રેટરી ડુઅલની ભારતની આ પ્રથમ મુલાકાત છે અને સપ્ટેમ્બર 2022માં નવી સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી કેન્યાની સર્વોચ્ચ સ્તરની પ્રથમ રાજકીય મુલાકાત છે. આ મુલાકાત ભારત આફ્રિકન રાષ્ટ્રો સાથેના તેના સંબંધો અને વધતા જતા મહત્વના સૂચક છે. ખાસ કરીને ભારત અને કેન્યા વચ્ચે સહયોગ. તે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા માટે નવા માર્ગો ખોલવાની અપેક્ષા છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1952865) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu