પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિશન અમૃત સરોવરને બિરદાવ્યું

Posted On: 05 APR 2023 11:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન અમૃત સરોવરની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે જે ઝડપે દેશભરમાં અમૃત સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે તે અમૃત કાળ માટેના આપણા સંકલ્પોમાં નવી ઊર્જા ભરવા જઈ રહ્યું છે.

એક ટ્વીટમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે માહિતી આપી હતી કે 40 હજારથી વધુ અમૃત સરોવર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે 15 ઓગસ્ટ 2023 સુધીમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય છે.

કેન્દ્રીય મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;

ખૂબ અભિનંદન! દેશભરમાં જે ઝડપે અમૃત સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે તે અમૃત કાળ માટેના આપણા સંકલ્પોમાં નવી ઊર્જાનો સંચાર કરશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1913752) Visitor Counter : 181