પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુનિટી ઇન ક્રિએટીવીટી સ્પર્ધાના વિજેતાઓ તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા

Posted On: 08 FEB 2023 9:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સર્જનાત્મકતામાં એકતા સ્પર્ધાના વિજેતાઓને તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા છે.

આ સ્પર્ધામાં દેશભરમાંથી 5 લાખથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી 272 વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે તેમને તેમની સર્જનાત્મકતા માટે પુરસ્કાર આપ્યો છે. હરીફાઈની ગ્રાન્ડ ફિનાલે દિલ્હીના નેહરુ પાર્કમાં આયોજિત કરવામાં આવી હતી.

અમૃત મહોત્સવની શ્રેણીબદ્ધ ટ્વીટ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અદ્ભુત સર્જનાત્મકતાથી ભરેલી દેશભક્તિની આ ભાવનાએ #UnityInCreativityનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જેમાં લાખો દેશવાસીઓએ જે રીતે સક્રિયપણે ભાગ લીધો, તે દરેકને પ્રેરણા આપશે. વિજેતાઓ તેમજ તમામ સહભાગીઓને ખૂબ ખૂબ અભિનંદન.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1897192) Visitor Counter : 146