પ્રધાનમંત્રીનું કાર્યાલય

17મા પ્રવાસી ભારતીય દિવસની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Posted On: 09 JAN 2023 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) ની સાથે સાથે સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપરસાદ સંતોખી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ સંતોખી 7-14 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 17મા PBD ખાતે તેઓ વિશેષ અતિથિ છે.

તેમની બેઠકમાં, બંને નેતાઓએ હાઇડ્રોકાર્બન, સંરક્ષણ, દરિયાઇ સુરક્ષા, ડિજિટલ પહેલ અને આઇસીટી, અને ક્ષમતા નિર્માણ સહિતના પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકાર પર ચર્ચા કરી હતી.

સુરીનામે સુરીનામ દ્વારા મેળવેલી લાઈન્સ ઓફ ક્રેડિટથી ઉદ્ભવતા સુરીનામના દેવાના ભારત દ્વારા પુનઃરચના કરવાની પ્રશંસા કરી.

રાષ્ટ્રપ્રમુખ સંતોખી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા કરશે અને 10 જાન્યુઆરી 2023ના રોજ વિદાય સત્ર અને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. તેઓ ઈન્દોરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સત્રમાં પણ હાજરી આપશે. ત્યારબાદ તેઓ અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત લેશે.

 

YP/GP/JD



(Release ID: 1889910) Visitor Counter : 192


Read this release in: Kannada , Hindi , Tamil , Malayalam