સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકની દેખરેખ અને કલ્યાણ અધિનિયમ, 2007માં સંશોધન
Posted On:
20 JUL 2022 3:08PM by PIB Ahmedabad
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ (સંશોધન) બિલ, 2019 11-12-2019 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે હોમકેર સેવાઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ શારીરિક અથવા માનસિક ક્ષતિના કારણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યનો વિષય છે. વરિષ્ઠ નાગરિકો સામેના ગુનાઓને રોકવા માટે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ (સુધારા) બિલ, 2019માં દરેક પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નાગરિકો માટે એક નોડલ અધિકારી અને દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ પોલીસ યુનિટની જોગવાઈ છે.
નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડર્લી (તૃતીય)નો વર્તમાન આદેશ યોજનામાં ચાલી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો છે.
આ માહિતી સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્ય મંત્રી સુશ્રી પ્રતિમા ભૌમિકે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1843075)