મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

આંગણવાડી કાર્યકરોની ભરતી માટેના માપદંડ

Posted On: 20 JUL 2022 2:45PM by PIB Ahmedabad

માર્ગદર્શિકા મુજબ, રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આંગણવાડી સેવા યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોની પસંદગી સ્થાનિક ગામમાંથી કરવામાં આવે છે. આંગણવાડી વર્કર્સ (AWWs) અને આંગણવાડી હેલ્પર્સ (AWHs)ની એંગેજમેન્ટ માટે લઘુત્તમ નિર્ધારિત લાયકાત મેટ્રિક અને વય મર્યાદા 18-35 વર્ષ છે.

AWWs અને AWHs, માનદ કામદારો હોવાને કારણે, સરકાર દ્વારા સમયાંતરે નક્કી કર્યા મુજબ માસિક માનદ વેતન ચૂકવવામાં આવે છે, જે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન છે. મુખ્ય આંગણવાડી કેન્દ્રો (AWCs) પર AWW ને દર મહિને ₹ 4,500/-નું માનદ વેતન ચૂકવવામાં આવે છે; મિની- AWCs પર AWWsને દર મહિને ₹3,500/- અને AWHsને દર મહિને ₹2,250/- ચૂકવવામાં આવે છે. ઉપરાંત, AWHs ને દર મહિને ₹ 250/-નું પ્રદર્શન સાથે જોડાયેલ પ્રોત્સાહન અને AWWs ને @ ₹ 500/-પ્રતિ મહિને ચૂકવવામાં આવે છે.

વધુમાં, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમના પોતાના સંસાધનોમાંથી આ કાર્યકર્તાઓને વધારાના નાણાકીય પ્રોત્સાહનો/માનદવેતન પણ ચૂકવી રહ્યા છે. હાલમાં આંગણવાડી વર્કરોના પગારમાં વધારો કરવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

આ માહિતી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ આજે ​​રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843037) Visitor Counter : 252


Read this release in: English , Urdu , Tamil