લઘુમતિ બાબતોનું મંત્રાલય

શ્રી એસ. ઈકબાલ સિંહ લાલપુરાએ રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો

Posted On: 13 APR 2022 4:29PM by PIB Ahmedabad

શ્રી એસ. ઇકબાલ સિંઘ લાલપુરાએ 12.4.2022 ના રોજ લઘુમતી બાબતોના મંત્રાલયના જાહેરનામા દ્વારા અધ્યક્ષ તરીકે ફરીથી નામાંકિત થયા બાદ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ, NCM ના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. NCMના અધ્યક્ષ તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, તેમણે લઘુમતીઓની ફરિયાદોનું નિવારણ થાય અને તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા કેન્દ્રિત અભિગમ સાથે તમામ લઘુમતીઓના કલ્યાણ માટે અથાક કામ કર્યું છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816413) Visitor Counter : 201