વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ગત વર્ષની સરખામણીએ આ નાણાંકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બમણા કરતાં વધારે અને વધીને 23.62 અબજ ડૉલર થઈ: શ્રી પિયુષ ગોયલ


ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઉભરી શકે છે, કહે છે શ્રી પિયુષ ગોયલ

ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીને વિશ્વમાં અગ્રેસર ઉદ્યોગ બનાવવા શ્રી ગોયલે ચાર મુદ્દા તૈયાર કર્યા

સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને વિશ્વનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સંભાવના ધરાવે છે: શ્રી પિયુષ ગોયલ


Posted On: 27 NOV 2021 6:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સ્ટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઊભરી શકે છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા આયોજિતજેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શૉ-2021”ના ઉદઘાટન સમારોહ દરમ્યાન એક વીડિયો સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે.

ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં આપણે આપણી જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી છે, આપણે સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડિંગ હબ બની શકીએ છીએ”, એમ તેમણે કહ્યું હતું.

જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષનાં પ્રથમ 7 મહિનામાં ઓક્ટોબર 2021 સુધીમાં 23.62 અબજ ડૉલર હતી જે અગાઉના વર્ષના સમયગાળામાં 11.69 અબજ ડૉલર (+102.09%) હતી.

આપણા ઉત્પાદકો-વસ્તુ નિર્માતાઓની ચઢિયાતી ગુણવત્તાએ આપણને દુબઈ-યુએઈ, યુએસએ, રશિયા, સિંગાપોર, હૉંગકૉંગ અને લેટિન અમેરિકા જેવા બજારોમાં પેસવા સમર્થ બનાવ્યા છે”, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી ગોયલે કહ્યું હતું કે સરકારે ક્ષેત્રની વૃદ્ધિ માટે રોકાણને ઉત્તેજન આપવા વિવિધ પગલાં લીધા છે,- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સુધારી, ગોલ્ડની આયાત ડ્યુટીમાં ઘટાડો અને ફરજિયાત હૉલમાર્કિંગ.

વિશ્વમાં ડિઝાઇનિંગ અને હસ્તકલા માટે આપણી પાસે શ્રેષ્ઠ કારીગર-કસબી દળ છે, કારીગરોની સર્જનશીલતા અને યોજનાબદ્ધ કૌશલ્ય વિકાસને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છેએમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે, “હાલનાં બજારોમાં હાજરીને ગાઢ બનાવવા અને નવાં બજારોમાં વધુ વિસ્તરણ કરવા આપણે આપણી પ્રોડક્ટ્સને ગુણવત્તાનો માનદંડ બનાવવી જોઇએ.”

ભારતના જેમ્સ અને જ્વેલરીને વિશ્વમાં અગ્રેસર ઉદ્યોગ બનાવવા શ્રી ગોયલે ચાર મુદ્દા તૈયાર કર્યા હતા:

 

 

1. આપણી વસ્તુઓની મૂલ્ય વૃદ્ધિ વધારવા અને આપના ઉત્પાદનને વધુ નફાકારક બનાવવા ડિઝાઇન (પેટન્ટેડ ડિઝાઇનનું સર્જન) પર ધ્યાન કેન્દ્રીત કરવું.

2. નિકાસ પ્રોડક્ટ્સનું વૈવિધ્ય: મોતી, ચાંદી, પ્લેટિનમ, સિન્થેટિક સ્ટૉન્સ, કૃત્રિમ હીરા, ફેશન જ્વેલરી, બિન-સોનાનાં ઝવેરાત ઇત્યાદિ જેવી પ્રોડક્ટ્સ પર ભાર.

3. મિશ્ર-ફ્યુશન જ્વેલરીના ઉત્પાદનને વધારવા ખર્ચ અસરકારક પદ્ધતિઓ માટે અન્ય દેશો સાથે સહયોગ.

4. લૅબ-ગ્રોન ડાયમંડને પ્રોત્સાહન: હીરા પર્યાવરણીય રીતે અનુકૂળ છે અને પરવડે એવા છે અને રોજગાર સર્જનની સાથે ભારતની નિકાસમાં યોગદાન આપશે.

શ્રી ગોયલે કહ્યું કે સુરત, કદાચ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને 450થી વધારે સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો ધરાવે છે. તેની પાસે વિશ્વનું જ્વેલરી ઉત્પાદન હબ બનવાની ક્ષમતા અને સંભાવના છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિને સપ્ટેમ્બરમાં મેં ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી અને વિશ્વની સૌથી મોટી ઑફિસ બિલ્ડિંગ ઊભી કરવા કરાયેલાં પ્રયાસોથી હું પ્રભાવિત થયો હતો જે તમામ ડાયમંડ ટ્રેડિંગ પ્રવૃત્તિઓના હબ તરીકે કામ કરશે. પ્રધાનમંત્રીની આત્મનિર્ભરતા અને તમારા આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. હકીકતની સાબિતી છે કે જો આપણે પૂરતી ઇચ્છા રાખીએ તો આપણે આપણી જાતે કંઇ પણ કરી શકીએ છીએ. જ્વેલર્સ આપણા રાષ્ટ્રના તાણામાં વણાયેલા છે. આપણા દેશમાં લોકો જ્યારે સોનું અને ઝવેરાત ખરીદે છે ત્યારે માત્ર નાણાં નથી ખર્ચતા પણ એમનાં જીવનની બચતનું રોકાણ કરે છે. જ્વેલર્સ આપણાં લોકોનાં વિશ્વાસ અને શ્રદ્ધાનાં સંગ્રાહક છે”. એમ શ્રી ગોયલે કહ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે એસજીએમએ, 2016માં એની શરૂઆતથી સુરતમાં જ્વેલરી ઉદ્યોગને સુધારવા અગ્રેસર છે. “તેમનામેક ઇન સુરતકાર્યક્રમે તંદુરસ્ત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા નવીનીકરણ સુગમ બનાવ્યું છે અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.”

ભારતનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સમગ્ર વિશ્વમાં એની મોહકતા અને ખર્ચ અસરકારકતા માટે જાણીતું છે એમ જણાવતા શ્રી ગોયલે કહ્યું કે ક્ષેત્ર નૂતન ભારતની ભાવનાને સાકાર કરે છે, ભારતના કુલ જીડીપીમાં 7% યોગદાન આપે છે અને 50 લાખથી વધુ કામદારોને રોજગાર આપે છે. “ આપણા ઝવેરીઓ-જ્વેલર્સ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ઝવેરાત બનાવવાની કલામાં પાવરધા છે અનેમેક ઇન ઇન્ડિયાનું એને ઝળહળતું ઉદાહરણ બનાવ્યું છે”, એમ તેમણે કહ્યું હતું.

પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જેઓ પોતાનું મન નથી બદલી શકતા કશું નથી બદલી શકતા કહેણીને ટાંકતા શ્રી ગોયલે કહ્યું કે આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરલોકલ ગોઝ ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડનાં લક્ષ્યને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે અને નૂતન ભારતનું ચાલક દળ બની શકે છે. “પ્રગતિ માટે માનસિકતામાં પરિવર્તનની જરૂર છે”, એમ તેમણે કહ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1775709) Visitor Counter : 198


Read this release in: English , Marathi , Hindi