સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 108.21 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 98.24%, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 10,853 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,44,845), 260 દિવસમાં સૌથી ઓછા
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.28%) 44 દિવસથી 2% કરતા ઓછો
Posted On:
07 NOV 2021 9:35AM by PIB Ahmedabad
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 108.21 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 98.24%, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 10,853 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,44,845), 260 દિવસમાં સૌથી ઓછા
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.28%) 44 દિવસથી 2% કરતા ઓછો
નવી દિલ્હી, તા. 07-11-2021
છેલ્લા 24 કલાકમાં 20,75,942 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 108.21 કરોડ (1,08,21,66,365)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,09,75,652 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,79,576
|
બીજો ડોઝ
|
92,63,326
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,72,573
|
બીજો ડોઝ
|
1,60,27,565
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
42,39,18,322
|
બીજો ડોઝ
|
15,03,76,212
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,62,24,682
|
બીજો ડોઝ
|
9,89,98,585
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
11,05,34,942
|
બીજો ડોઝ
|
6,80,70,582
|
કુલ
|
1,08,21,66,365
|
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,37,49,900 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,432 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.24% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
133 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 10,853 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ હાલમાં 1,48,922 છે, 253 દિવસમાં સૌથી નીચું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.43% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,19,996 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 61.48 કરોડથી વધારે (61,48,85,747) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.28% છે જે છેલ્લા 44 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.18% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 34 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 69 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1769824)