PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 25 SEP 2021 5:48PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 84.89 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,616 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,01,442 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 28,046 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,28,76,319 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 92 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.99% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.86% પહોંચ્યો, છેલ્લા 26 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 56.16 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

કોવિડ-19 અપડેટ

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 84.89 કરોડના સીમાચિહ્નને પાર

છેલ્લા 24 કલાકમાં 71 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.78%

છેલ્લા 24 કલાકમાં 29,616 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,01,442) કુલ કેસનાં 0.90% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.99%) 92 દિવસથી 3% કરતા ઓછો

 

છેલ્લા 24 કલાકમાં 71,04,051 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 84.89 કરોડ (84,89,29,160) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 82,99,312 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,70,844

બીજો ડોઝ

88,15,174

FLWs

પ્રથમ ડોઝ

1,83,48,481

બીજો ડોઝ

1,47,62,466

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

34,40,24,505

બીજો ડોઝ

7,10,15,322

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,53,09,749

બીજો ડોઝ

7,28,88,465

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,91,21,295

બીજો ડોઝ

5,42,72,859

કુલ

84,89,29,160

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,28,76,319 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 28,046 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.78% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002823R.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 29,616 નવા કેસ નોંધાયા છે.

90 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FNVZ.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,01,442 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.90% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043XIR.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,92,421 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 56.16 કરોડથી વધારે (56,16,61,383) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.99% છે જે છેલ્લા 92 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.86% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 26 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 109 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 82.57 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 4.15 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને હજુ 94 લાખથી વધુ ડોઝ આપવાના બાકી છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(25 સપ્ટેમ્બર, 2021 સુધી)

પુરવઠો

82,57,88,115

આપવાના બાકી

94,37,525

બાકી ઉપલબ્ધ

4,15,40,690

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 82.57 કરોડ (82,57,88,115) થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 94 લાખ (94,37,525) ડોઝ હજુ ઉપલબ્ધ છે.

હાલમાં, કોવિડ-19 રસીના 4.15 કરોડ (4,15,40,690) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

મહત્વપૂર્ણ ટ્વીટ્સ

 

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758093) Visitor Counter : 246