સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 84.89 કરોડના સીમાચિહ્નને પાર


છેલ્લા 24 કલાકમાં 71 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.78%

છેલ્લા 24 કલાકમાં 29,616 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,01,442) કુલ કેસનાં 0.90% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.99%) 92 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 25 SEP 2021 9:33AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 71,04,051 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 84.89 કરોડ (84,89,29,160) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 82,99,312 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,70,844

બીજો ડોઝ

88,15,174

FLWs

પ્રથમ ડોઝ

1,83,48,481

બીજો ડોઝ

1,47,62,466

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

34,40,24,505

બીજો ડોઝ

7,10,15,322

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,53,09,749

બીજો ડોઝ

7,28,88,465

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,91,21,295

બીજો ડોઝ

5,42,72,859

કુલ

84,89,29,160

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,28,76,319 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 28,046 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.78% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002823R.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 29,616 નવા કેસ નોંધાયા છે.

90 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FNVZ.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,01,442 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.90% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043XIR.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,92,421 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 56.16 કરોડથી વધારે (56,16,61,383) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.99% છે જે છેલ્લા 92 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.86% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 26 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 109 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0051SRO.jpg

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757973) Visitor Counter : 210