સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 75 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 97.58%

છેલ્લા 24 કલાકમાં 25,404 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,62,207), કુલ કેસનાં 1.09%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.07%) 81 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 14 SEP 2021 9:27AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 78,66,950 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 75.22 કરોડ (75,22,38,324) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 76,12,687 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,64,718

બીજો ડોઝ

86,13,207

FLWs

પ્રથમ ડોઝ

1,83,38,867

બીજો ડોઝ

1,41,07,030

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

30,32,52,342

બીજો ડોઝ

4,54,19,375

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

14,47,82,266

બીજો ડોઝ

6,38,06,413

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,37,73,048

બીજો ડોઝ

4,97,81,058

કુલ

75,22,38,324

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,24,84,159 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 37,127 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.58% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TM4T.jpg

79 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 25,404 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023415.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,62,207 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.09% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WA7L.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,30,891 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 54.44 કરોડથી વધારે (54,44,44,967) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 81 દિવસોથી 2.07% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.78%છે. છેલ્લા 15 દિવસથી 3% કરતા ઓછો અને સતત 98 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004DXJ2.jpg

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1754704) Visitor Counter : 198