PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 04 SEP 2021 4:28PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 67.72 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.23% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,05,681 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.43% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,618 નવા કેસ નોંધાયા
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,21,00,001 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 36,385 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી 2.63% છે, જે છેલ્લા 71 દિવસથી 3%થી ઓછો છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.50% પહોંચ્યો
  • કુલ 52.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

#Unite2FightCorona#IndiaFightsCorona

માહિતી અને પ્રસારણ મંત્રાલય 

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો

ભારત સરકાર

Image

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 66.07 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 4.49 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને હજુ 85 લાખ ડોઝ આપવાના બાકી છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(04 સપ્ટેમ્બર, 2021 સુધી)

પુરવઠો

66,07,19,455

આપવાના બાકી

85,63,780

બાકી ઉપલબ્ધ

4,49,68,620

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 66.07 કરોડ (66,07,19,455) થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 85 લાખ (85,63,780) ડોઝ હજુ ઉપલબ્ધ છે.

હાલમાં, કોવિડ-19 રસીના 4.49 કરોડ (4,49,68,620) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

વિગતો: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1751951

 

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 67.72 કરોડને પાર

છેલ્લા 24 કલાકમાં 58 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.43%

છેલ્લા 24 કલાકમાં 42,618 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,05,681) કુલ કેસનાં 1.23% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.63%) 71 દિવસથી 3% કરતા ઓછો

 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 58,85,687 રસી ડોઝના આપવામાં આવ્યા. ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 67.72 (67,72,11,205) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 70,88,424 સત્રોનું આયોજન કરવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,60,248

બીજો ડોઝ

84,49,196

FLWs

પ્રથમ ડોઝ

1,83,28,477

બીજો ડોઝ

1,34,55,994

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

26,70,05,166

બીજો ડોઝ

3,20,99,433

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,52,11,337

બીજો ડોઝ

5,70,43,478

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,89,60,985

બીજો ડોઝ

4,62,96,891

કુલ

67,72,11,205

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,21,00,001 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 36,385 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.43% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NRY9.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,618 નવા કેસ નોંધાયા છે.

69 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003W6V9.jpg

સક્રિય કેસનું ભારણ આજે 4,05,681 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.23% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IQHB.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,04,970 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.82 કરોડથી વધારે (52,82,40,038) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.63% છે જે છેલ્લા 71 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.50% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 89 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

વિગતો: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1751941

 

 

 

 

SD/GP/BT



(Release ID: 1752023) Visitor Counter : 191