પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 05 SEP 2018 9:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું, “શિક્ષક દિવસના અવસર પર શિક્ષક સમુદાયને શુભેચ્છા. શિક્ષકો યુવાઓના માનસિક ઘડતર અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 

આપણે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક પ્રતિષ્ઠિત શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જયંતિ પર નમન કરીએ છીએ.”

 

 

NP/J.Khunt/GP



(Release ID: 1544935) Visitor Counter : 105