મંત્રીમંડળ

મંત્રીમંડળે સંયુક્ત પણે ટપાલ ટિકિટ બહાર પાડવા માટે ભારત અને વિયેતનામ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપી

Posted On: 13 JUN 2018 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને ભારતીય ટપાલ વિભાગ અને વિયેતનામ ટપાલ વિભાગ વચ્ચે સંયુક્ત પણે ટપાલ ટિકિટ માટે થયેલી સમજૂતિ અંગે માહિતી આપવામાં આવી હતી.

ભારત-વિયેતનામ : ‘પ્રાચીન વાસ્તુશિલ્પ વિષય પર સંયુક્ત પણે ટપાલ ટિકિટ બહાર પાડવા માટે સંચાર મંત્રાલયના ટપાલ વિભાગ અને વિયેતનારા પોસ્ટ વચ્ચે સમજૂતિ કરવામાં આવી હતી. આ સંયુક્ત ટપાલ ટિકિટ 25-01-2018ના રોજ બહાર પાડવામાં આવી હતી.

ભારત-વિયેતનામની સ્મારક ટપાલ ટિકિટ પર ભારતના સાંચી સ્તૂપ અને વિયેતનામના મિન્હ પગોડાને ચિત્રાંકિત કરવામાં આવ્યા છે. ભારતીય ટપાલ વિભાગ અને વિયેતનામ ટપાલ વિભાગ દ્વારા 18-12-2017ના રોજ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

NP/RP



(Release ID: 1535399) Visitor Counter : 206