મંત્રીમંડળ
મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
16 MAY 2018 3:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. આ સમજૂતી પર 9 એપ્રિલ, 2018ના રોજ હસ્તાક્ષર થયા હતા.
સમજૂતી સહયોગમાં નીચે જણાવેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે :-
i) દવા અને ઔષધિય ક્ષેત્રનાં ઉત્પાદનો;
ii) તબીબી ઉપભોક્તા ઉત્પાદનો;
iii) તબીબી સંશોધન;
iv) તબીબી સાધનો;
v) જાહેર આરોગ્ય;
vi) ચેપી રોગ નિયંત્રણ અને દેખભાળ;
vii) આરોગ્ય પ્રવાસન; અને
viii) પારસ્પરિક હિતનાં કોઈપણ અન્ય ક્ષેત્ર.
આ સમજૂતીને આગળ વધારવા અને તેના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કાર્યકારી સમિતિની સ્થાપના કરવામાં આવશે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1532355)
Visitor Counter : 83