પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 27 NOV 2017 9:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું સમગ્ર વિશ્વનાં લાખો હરિભક્તો સાથે જોડાઇને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમની જન્મજયંતિ પર વંદન કરૂ છું. તેઓ પવિત્ર આત્મા હતાં, એમણે સમાજનાં ઉત્કર્ષ માટે ઉત્કૃષ્ટ સેવા કરી હતી અને માનવતાસભર કાર્યો મારફતે લાખો લોકોનાં જીવન પર સકારાત્મક અસર પેદા કરી હતી.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં ઉચ્ચ વિચારો લોકોને માર્ગદર્શન આપતાં રહેશે અને સમાજનાં તમામ તબક્કાઓનાં લોકોને પ્રેરિત કરતાં રહેશે. તેઓ જરૂરિયાતમંદો, ગરીબો અને વંચિતોનાં જીવનની કાયાપલટ કરવાનું સ્વપ્ન ધરાવતાં હતાં અને આપણને તેમનાં સ્વપ્નને સાકાર કરવા હંમેશા પ્રેરણા મળી છે.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારો સંબંધ વિશેષ હતો. મેં તેમની સાથે પસાર કરેલો સમય યાદગાર હતો. હું તેમનાં આશીર્વાદ મળવા બદલ મારી જાતને નસીબદાર ગણું છું. ગયા વર્ષે સાળંગપુરમાં મેં તેમનાં વિશે વાત કરી હતી, જે તમને અહીં જોવા-સાંભળવા મળશે -https://www.youtube.com/watch?v=azaYIrMsx5g”.

NP/J.Khunt/RP



(Release ID: 1511016) Visitor Counter : 57


Read this release in: English , Tamil , Kannada