PIB Backgrounder
દરેક શાળા, એક આદર્શ શાળા
PM SHRI: ભવિષ્યલક્ષી શાળાઓના નિર્માણ તરફ ભારતનું પગલું
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 12:17PM by PIB Ahmedabad
7 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના વિઝન સાથે જોડાયેલી 14,500થી વધુ આદર્શ શાળાઓ વિકસાવવાનો પ્રયાસ કરે છે. 2022-23 થી 2026-27 દરમિયાન ₹27,360 કરોડના કુલ ખર્ચ સાથે, આ યોજના પાયાની સુવિધાઓ, શિક્ષણશાસ્ત્ર, સમાવેશીતા અને ટકાઉપણાને મજબૂત કરે છે, જ્યારે વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યોથી સજ્જ કરે છે. જુલાઈ 2026 સુધીમાં, KVS, NVS અને NCERT હેઠળની શાળાઓ સહિત 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13,092 શાળાઓ - લક્ષ્યના લગભગ 90% - પસંદ કરવામાં આવી છે. વ્યાખ્યાયિત ગુણવત્તાના માપદંડોના આધારે ત્રણ તબક્કાની ચેલેન્જ મોડ દ્વારા શાળાઓની પસંદગી કરવામાં આવે છે. આસપાસની શાળાઓ માટે માર્ગદર્શક સંસ્થાઓ તરીકે પરિકલ્પના કરાયેલ, PM SHRIશાળાઓ પાયાની સુવિધા-કેન્દ્રિત વિકાસથી સમગ્ર, ન્યાયી અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ તરફના બદલાવને દર્શાવે છે.
પીએમ શ્રી: ઉદાહરણ પૂરું પાડતી શાળાઓનું નિર્માણ

ભારત તેની શાળા શિક્ષણ પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે, જે ગુણવત્તા, સમાનતા, સમાવેશીતા અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પર વધતા ભાર દ્વારા ચિહ્નિત થયેલ છે. 14.71 લાખ શાળાઓ 24.69 કરોડથી વધુ વિદ્યાર્થીઓને સેવા આપે છે, શિક્ષણ પ્રણાલી શીખવાના પરિણામોને વધારવા અને સક્ષમ વાતાવરણ ઊભું કરવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે દરેક શીખનારના સર્વાંગી વિકાસને સમર્થન આપે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 આ પરિવર્તન માટે વ્યાપક માળખું પૂરું પાડે છે, જ્યારે PM SHRIપહેલ શાળા સ્તરે તેના વિઝનને કાર્યરત કરે છે, નીતિના ઉદ્દેશ્યને સંસ્થાકીય પ્રેક્ટિસમાં રૂપાંતરિત કરે છે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજના એ શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવેલી કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આ યોજના વિધમાન શાળાઓને ગુણાત્મક રીતે મજબૂત કરવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અસરોકારક અમલીકરણને દર્શાવતી આદર્શ સંસ્થાઓ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરે છે. ₹27,360 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચ સાથે, આ યોજના આદર્શ સંસ્થાઓ તરીકે 14,500થી વધુ શાળાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળાઓ ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ, યોગ્ય શિક્ષણ સંસાધનો અને વિવિધ શિક્ષણ અનુભવો દ્વારા સમર્થિત સલામત, ઉત્તેજક અને આવકારદાયક શિક્ષણ વાતાવરણ પૂરું પાડે તેવી પરિકલ્પના કરવામાં આવી છે.
જુલાઈ 2026 સુધીમાં, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS), નવોદય વિદ્યાલય સમિતિ (NVS) અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) હેઠળની શાળાઓ સહિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13,092 શાળાઓ PM SHRIશાળાઓ તરીકે પસંદ કરવામાં આવી છે. આ પરિકલ્પના કરાયેલા લક્ષ્યના લગભગ 90% દર્શાવે છે. આ યોજનાથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ થવાની અપેક્ષા છે.
પીએમ શ્રીનું વ્યૂહાત્મક ફોકસ
આ યોજના વ્યક્તિગત શાળાઓને મજબૂત કરવાથી આગળ સપોર્ટ લંબાવે છે. PM SHRI શાળાઓને તેમના પ્રદેશો માટે મોડેલ તરીકે પરિકલ્પિત કરવામાં આવી છે, જે તેમની પદ્ધતિઓ શેર કરે છે અને માર્ગદર્શન, હેન્ડહોલ્ડિંગ, સહયોગ અને ક્લસ્ટરિંગ દ્વારા આસપાસની શાળાઓને ટેકો આપે છે. આનો ઉદ્દેશ્ય એક વ્યાપક અસર (રિપલ ઈફેક્ટ) ઉભી કરવાનો છે, જેથી વધુ શાળાઓ સમય જતાં આદર્શ ધોરણો તરફ વિકસિત થઈ શકે.
આ યોજનાના કેન્દ્રમાં એવી શિક્ષણની પરિકલ્પના છે, જે આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપે અને વિદ્યાર્થીઓને શીખવાની, જે શીખ્યા હોય તેને ભૂલવાની અને ફરીથી શીખવાની ક્ષમતા તથા વલણથી સજ્જ કરે. તેનો વ્યાપક ઉદ્દેશ એવા સક્રિય, ઉત્પાદક અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવાનો છે, જેઓ સમાનતાયુક્ત, સર્વસમાવેશક અને બહુવિધતાવાળા સમાજના નિર્માણમાં યોગદાન આપી શકે.
PM SHRI દ્વારા શાળા શિક્ષણને મજબૂત બનાવવું

પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજના 2022-23 થી 2026-27 સુધી પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાનો કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹27,360 કરોડ છે, જેમાં ₹18,128 કરોડનો કેન્દ્રીય હિસ્સો શામેલ છે. મંજૂર થયેલ પ્રોજેક્ટ એપ્રૂવલ બોર્ડ (PAB) ખર્ચનો કેન્દ્રીય હિસ્સો 2023-24માં ₹2,520 કરોડથી વધીને 2026-27માં ₹5,224 કરોડ થયો છે. આ લગભગ 107% નો વધારો દર્શાવે છે, જે PM SHRI શાળાઓને મજબૂત કરવા માટેના રોકાણના વધતા જતા પ્રમાણને રજૂ કરે છે.
PM SHRI શાળાઓ: NEP 2020 ના વિઝનને આગળ ધપાવવું
PM SHRI યોજનાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના તમામ ઘટકોને પ્રદર્શિત કરવાનો છે અને તે માત્ર જ્ઞાનાત્મક વિકાસ પર જ નહીં પરંતુ મુખ્ય 21મી સદીના કૌશલ્યોથી સજ્જ સર્વાંગી અને સુસંગત વ્યક્તિઓનું નિર્માણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના એક ન્યાયી, સમાવેશી અને આનંદદાયક શિક્ષણ વાતાવરણ ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ શૈક્ષણિક ક્ષમતાઓને પૂરી પાડે છે. આ શાળાઓ વિદ્યાર્થીઓને તેમની શીખવાની પ્રક્રિયામાં સક્રિયપણે જોડવા માટે તૈયાર કરવામાં આવી છે, જેથી દરેક બાળક સલામત અને ઉત્તેજક વાતાવરણમાં આવકારદાયક, સંભાળ અને ટેકો અનુભવે.

PM SHRI હેઠળ ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાના મુખ્ય પરિમાણો
PM SHRI શાળાઓને આદર્શ શાળાઓ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક પાયાની સુવિધાઓ, સમાવેશી પદ્ધતિઓ અને ટકાઉ વિકાસ દ્વારા NEP 2020ના મુખ્ય સિદ્ધાંતોનું પ્રદર્શન કરે છે.
સમાવેશી શિક્ષણ: વિવિધ પૃષ્ઠભૂમિ, બહુભાષી જરૂરિયાતો અને વિવિધ શીખવાની ક્ષમતાઓને સંબોધિત કરતી વખતે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, ન્યાયી અને આનંદદાયક શિક્ષણ પૂરું પાડે છે.
માર્ગદર્શન (મેંટોરશિપ): PM SHRI શાળાઓ આદર્શ શાળાઓ તરીકે સેવા આપશે અને તેમના પ્રદેશોની અન્ય શાળાઓને નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડશે.
ગ્રીન સ્કૂલ્સ: શાળાની ગુણવત્તાના એક મહત્વપૂર્ણ માપદંડ તરીકે ટકાઉ અને પર્યાવરણ-અનુકૂળ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે છે.
પ્રાયોગિક શિક્ષણ (એક્સપિરિયન્શિયલ લર્નિંગ): પાયાના વર્ષોમાં રમત અને રમકડાં આધારિત શિક્ષણ સહિત પ્રાયોગિક, સર્વાંગી, એકીકૃત, પૂછપરછ-આધારિત અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમો પર ભાર મૂકે છે.
શીખવાના પરિણામો: જ્ઞાનના ઉપયોગ અને શીખવાના પરિણામોને મજબૂત કરવા માટે અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર અને મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ: પર્યાપ્તતા, કાર્યક્ષમતા, સૌંદર્ય શાસ્ત્ર અને સલામતી સહિતના પરિમાણો પર શાળાની પાયાની સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે.
ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો: 21મી સદીના કૌશલ્યોના સંપર્કને પ્રોત્સાહિત કરે છે અને શાળાઓને સ્થાનિક સાહસિકતા ઈકોસિસ્ટમ સાથે જોડે છે.
ગુણવત્તા મૂલ્યાંકન: સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (SQAF) PM SHRIશાળાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન અને નિરીક્ષણ કરવા માટે એક સંરચિત પદ્ધતિ પૂરી પાડે છે.
PM SHRI શાળાઓના છ સ્તંભો
PM SHRI શાળાઓની યોજના NEP 2020 ના 9 પ્રકરણોમાંથી મેળવેલા છ મુખ્ય સ્તંભોના ઉપ-ક્ષેત્રોના વિકાસ પર આધારિત છે, જે નીચે મુજબ છે:
|
સ્તંભ 1
|
સ્તંભ 2
|
સ્તંભ 3
|
સ્તંભ 4
|
સ્તંભ 5
|
સ્તંભ 6
|
|
સમગ્ર વિઝન, વિષયવસ્તુ અને શિક્ષણશાસ્ત્ર (Curriculum, Pedagogy & Assessment)
|
સુવિધાઓ, પાયાની સુવિધાઓ અને સંસાધનો (Access & Infrastructure)
|
માનવ સંસાધનો અને નેતૃત્વ (Human Resources & Leadership)
|
સમાવેશી વ્યવહાર અને વિદ્યાર્થી કલ્યાણ (Inclusive Practices & Gender Equality)
|
વ્યવસાયિક શિક્ષણ અને ભવિષ્યના કૌશલ્યો (Management, Governance & Leadership)
|
લાભાર્થીઓઅને સમુદાય સહભાગિતા (Beneficiary Satisfaction)
|
PM SHRI શાળાઓ શાળા શિક્ષણને કેવી રીતે રૂપાંતરિત કરે છે

બાળકની આસપાસ ડિઝાઇન કરાયેલ શિક્ષણ
PM SHRI શાળાઓ તેમની જોડાણ (એફિલિએશન) મુજબ CBSE અથવા સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના અભ્યાસક્રમનું પાલન કરે છે. તેમનો અભ્યાસક્રમ NEP 2020 હેઠળ 5+3+3+4 શૈક્ષણિક અને શિક્ષણશાસ્ત્રના માળખા અનુસાર વિકસાવેલ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (National Curriculum Framework) અથવા રાજ્ય અભ્યાસક્રમ માળખાને અનુસરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મુખ્ય સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું પાલન કરતી વખતે સ્થાનિક જરૂરિયાતો અનુસાર અભ્યાસક્રમનું સંદર્ભીકરણ કરવાની સુગમતા છે.
PM SHRI શાળાઓ બેગલેસ દિવસો, સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશિપ, સ્થાનિક કલાઓ, હસ્તકલા અને પરંપરાઓનો અભ્યાસ, મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી અને સ્વદેશી જ્ઞાન અને પદ્ધતિઓની જાળવણી દ્વારા પ્રાયોગિક શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે.
સમાનતા, સમાવેશ અને બહુભાષી શિક્ષણ
PM SHRI શાળાઓએ સમાવેશી અને ન્યાયી શિક્ષણ પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રામીણ અને વંચિત સમુદાયો સહિત વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ સુધી પહોંચ મળે. શૈક્ષણિક અસમાનતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ શાળાઓએ સમગ્ર ભારતમાં વધુ ન્યાયી શિક્ષણ વાતાવરણ ઊભું કરવામાં મદદ કરી છે.
આ યોજના ખાસ કરીને પ્રારંભિક ગ્રેડમાં શીખવવા અને શીખવાના માધ્યમ તરીકે માતૃભાષા, સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે. તાજેતરના UDISE+ 2025-26 ડેટા PM SHRI શાળાઓમાં 6,102 સંસ્કૃત શિક્ષકો, 1,994 ઉર્દૂ શિક્ષકો અને 9,152 પ્રાદેશિક ભાષાના શિક્ષકો નોંધે છે.
તે સ્થાનિક ભાષાઓ દ્વારા શિક્ષણને ટેકો આપવા માટે સમુદાયની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે. દરેક બાળક મજબૂત પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મક કૌશલ્યો વિકસાવે તે સુનિશ્ચિત કરવા માટે આ અભિગમ અત્યંત મહત્વપૂર્ણ છે.
ટેકનોલોજી સક્ષમ શિક્ષણ
PM SHRI શાળાઓની એક મહત્વપૂર્ણ સિદ્ધિ અધ્યાપન-શિક્ષણ વાતાવરણમાં ટેકનોલોજીના પદ્ધતિસરના એકીકરણમાં રહેલી છે. માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) સુવિધાઓ, સ્માર્ટ વર્ગખંડો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ અને STEM-આધારિત કાર્યક્રમોની જોગવાઈ વધુ અરસપરસ (ઇન્ટરેક્ટિવ), પ્રાયોગિક અને વિદ્યાર્થી-કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ બનાવવા માટે યોગદાન આપી રહી છે. આ હસ્તક્ષેપો માત્ર વિવિધ શિક્ષણ સંસાધનો સુધી પહોંચ વધારતા નથી પરંતુ ડિજિટલ સાક્ષરતા, તકનીકી ક્ષમતાઓ, જટિલ વિચારસરણી (ક્રિટિકલ થિંકિંગ) અને સમસ્યા હલ કરવાના કૌશલ્યોના વિકાસને પણ ટેકો આપે છે. દીક્ષા (DIKSHA) જેવા પ્લેટફોર્મ્સ ઉચ્ચ-ગુણવત્તાવાળા ડિજિટલ શૈક્ષણિક સંસાધનોના ભંડાર તરીકે સેવા આપે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણ સામગ્રીના વિતરણ અને પ્રસારને સરળ બનાવે છે, જેથી ટેકનોલોજી-સક્ષમ શૈક્ષણિક પદ્ધતિઓ મજબૂત બને છે.
સર્વાંગી વિદ્યાર્થી વિકાસ
PM SHRI શાળાઓ શૈક્ષણિક શિક્ષણને ઇતર પ્રવૃત્તિઓ, રમતગમત, કલા અને જીવન-કૌશલ્ય શિક્ષણ સાથે સાંકળીને વિદ્યાર્થીઓના વિકાસ માટે સર્વાંગી અભિગમ અપનાવે છે. આ બહુપરિમાણીય અભિગમ નેતૃત્વ ક્ષમતાઓ, સર્જનાત્મકતા, સામાજિક-ભાવનાત્મક ક્ષમતાઓ અને આંતરવ્યક્તિત્વ કૌશલ્યોના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે પરંપરાગત શૈક્ષણિક સિદ્ધિઓથી આગળ વધે છે. શિક્ષણ અને ભાગીદારીના વિવિધ સ્વરૂપો માટે તકો પૂરી પાડીને, શાળાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યના શૈક્ષણિક, વ્યાવસાયિક અને સામાજિક પડકારોનો સામનો કરવા માટે જરૂરી ક્ષમતાઓ, સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતાથી સજ્જ કરવાનો પ્રયાસ કરે છે.
શિક્ષકો અને શાળાના નેતાઓને સશક્ત બનાવવું
PM SHRI શાળાઓમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ (DIETs) દ્વારા સહાયિત સંરચિત વ્યાવસાયિક વિકાસ પહેલો મારફતે શિક્ષકોની ક્ષમતા અને સંસ્થાકીય નેતૃત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પહેલ હેઠળ ક્ષમતાનિર્માણ કાર્યક્રમો માટે દરેક DIETને ₹3 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે, જ્યારે વિષય શિક્ષકો, આચાર્યો, વિશેષ શિક્ષકો, ICT શિક્ષકો અને માસ્ટર ટ્રેનર્સની તાલીમ માટે પ્રતિ શિક્ષક ₹2,500 સુધીની સહાય આપવામાં આવે છે.
આચાર્યોને શૈક્ષણિક નેતૃત્વ, શાળા સંચાલન અને ક્ષમતા-આધારિત શૈક્ષણિક આયોજનમાં તાલીમ આપવામાં આવે છે, જે તેમને સંસ્થાકીય આયોજન અને શૈક્ષણિક શાસનને મજબૂત કરવા માટે સક્ષમ બનાવે છે. શિક્ષકો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, શાળા સલામતી, માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ, પ્રથમ-સ્તરનું કાઉન્સેલિંગ અને ICT એકીકરણ સહિતના ક્ષેત્રોમાં વ્યવસાયિક વિકાસ પ્રાપ્ત કરે છે. આ હસ્તક્ષેપોનો ઉદ્દેશ્ય શૈક્ષણિક ક્ષમતાઓને વધારવાનો, શાળાના નેતૃત્વને મજબૂત કરવાનો અને શૈક્ષણિક કર્મચારીઓમાં સતત વ્યવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
એક વધતું જતું રાષ્ટ્રીય નેટવર્ક
PM SHRI પહેલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13,092 પસંદગીની શાળાઓ ધરાવતું એક મોટું રાષ્ટ્રીય નેટવર્ક સ્થાપિત કર્યું છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS), નવોદય વિદ્યાલય સમિતિ (NVS) અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) હેઠળની સંસ્થાઓ શામેલ છે. આ પહેલે વ્યાપક ભૌગોલિક કવરેજ પ્રાપ્ત કર્યું છે, જેમાં 725 જિલ્લાઓ અને 8,340 બ્લોક્સ/ULBs નો સમાવેશ થાય છે, જેથી સમગ્ર દેશમાં એક વ્યાપક સંસ્થાકીય અને અવકાશી છાપ ઊભી થઈ છે.
પસંદ કરાયેલી 13,092 શાળાઓમાંથી, 1,305 પ્રાથમિક શાળાઓ, 3,102 ઉચ્ચ પ્રાથમિક શાળાઓ, 3,141 માધ્યમિક શાળાઓ અને 5,544 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આ નેટવર્કમાં 80 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો (KGBVs), 913 KVS શાળાઓ, 620 NVS શાળાઓ અને 4 NCERT શાળાઓ પણ શામેલ છે. આ નેટવર્કનું પ્રમાણ અને વિવિધતા PM SHRIશાળાઓની વિસ્તરતી પહોંચ દર્શાવે છે.

ગુણવત્તાના માપદંડો પર નિર્મિત પસંદગી
PM SHRI શાળાઓની પસંદગી ચેલેન્જ મોડ દ્વારા કરવામાં આવે છે, જેમાં શાળાઓ આદર્શ શાળાઓ બનવા માટે સપોર્ટ મેળવવા સ્પર્ધા કરે છે. પસંદગી ચોક્કસ સમયમર્યાદા સાથે ત્રણ તબક્કાની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જે નીચે મુજબ છે:
તબક્કો 1: સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) કેન્દ્ર સાથે સમજૂતી કરાર (MoU) કરે છે, જેમાં PM SHRI શાળાઓ માટે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પ્રાપ્ત કરવા માટે જરૂરી સપોર્ટ પૂરો પાડવા અને પસંદ કરેલી શાળાઓને સક્ષમ કરવા તરફની તેમની પ્રતિબદ્ધતાઓની રૂપરેખા આપવામાં આવે છે.
તબક્કો 2: પાત્ર શાળાઓની ઓળખ
PM SHRI શાળાઓ તરીકે પસંદગી માટે પાત્ર શાળાઓના પૂલની ઓળખ નિર્ધારિત લઘુત્તમ માપદંડો અને UDISE+ ડેટા દ્વારા ઉપલબ્ધ સંબંધિત સૂચકોના આધારે કરવામાં આવે છે.
તબક્કો ૩: ચેલેન્જ પદ્ધતિ દ્વારા પસંદગી
તબક્કા 2 માં ઓળખાયેલી પાત્ર શાળાઓ નિર્ધારિત માપદંડોનું અનુપાલન પ્રદર્શિત કરવા માટે ચેલેન્જ-આધારિત પસંદગી પ્રક્રિયામાં ભાગ લે છે. શાળાઓ નિર્ધારિત શરતોની પરિપૂર્તિ સાથે, નિર્ધારિત ચેલેન્જ પરિસ્થિતિઓ સામે સ્પર્ધા કરે છે.
શરતોની પરિપૂર્તિ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, KVS, અથવા NVS સત્તામંડળો દ્વારા ભૌતિક નિરીક્ષણ દ્વારા ચકાસવામાં આવે છે અને પ્રમાણિત કરવામાં આવે છે, અને મંત્રાલયને શાળાઓની યાદીની ભલામણ કરવામાં આવે છે.
શાળાઓની અંતિમ પસંદગી માટે શિક્ષણ મંત્રાલયના સચિવ (SE&L) ની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે છે. શાળાઓએ પાકા મકાન, અવરોધ મુક્ત પહોંચ, સલામતીના પગલાં, અલગ શૌચાલય, પીવાનું પાણી, હાથ ધોવાની સુવિધાઓ, વીજળી, શિક્ષકો માટે આઈડી કાર્ડ, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે નોંધણી રાજ્યની સરેરાશ નોંધણી કરતાં વધુ હોવી જોઈએ અને પુસ્તકાલય અથવા રમતગમતની સુવિધાઓ જેવા લઘુત્તમ ધોરણો પૂરા કરવા આવશ્યક છે. ચેલેન્જ પદ્ધતિ માટે, શહેરી વિસ્તારોની શાળાઓએ લઘુત્તમ 70 ટકા સ્કોર મેળવવો જરૂરી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની શાળાઓ માટે લઘુત્તમ 60 ટકા સ્કોર જરૂરી છે. આ મૂલ્યાંકન પાયાની સુવિધાઓ, શીખવાના પરિણામો, શિક્ષણશાસ્ત્ર, પીએમ પોષણ (PM POSHAN), વ્યાવસાયિક શિક્ષણ, ગ્રીન પહેલો અને ભાગીદારોની પ્રતિબદ્ધતાને આવરી લે છે.
વ્યાપક પરિવર્તન માટે મોડેલ તરીકે શાળાઓ
PM SHRI શાળાના વિકાસ તરફના પાયાની સુવિધા-કેન્દ્રિત અભિગમથી સમગ્ર, સમાવેશી, ન્યાયી અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના તરફના પેરાડાઈમ શિફ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલ ગુણવત્તાયુક્ત અને ક્ષમતા-આધારિત શિક્ષણ, સતત શિક્ષક વ્યવસાયિક વિકાસ, ટેકનોલોજી-સક્ષમ શિક્ષણ અને સલામત, સમાવેશી અને સક્ષમ શાળા વાતાવરણના નિર્માણ પર ભાર મૂકીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના વિઝન અને પ્રાથમિકતાઓને કાર્યરત કરે છે.
આદર્શ સંસ્થાઓ તરીકે, PM SHRI શાળાઓ આસપાસની શાળાઓ દ્વારા અપનાવી શકાય અને પુનરાવર્તિત કરી શકાય તેવી નવીન શૈક્ષણિક પદ્ધતિઓનું પ્રદર્શન અને પ્રસાર કરે તેવી પરિકલ્પના કરવામાં આવી છે, જેથી શાળા શિક્ષણમાં વ્યાપક પદ્ધતિસરના સુધારામાં યોગદાન આપી શકાય. વ્યાપક ઉદ્દેશ્ય વધુ ન્યાયી, સમાવેશી અને ભવિષ્ય માટે તૈયાર ભારતમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ સક્ષમ, આત્મવિશ્વાસી, સર્જનાત્મક અને જવાબદાર શીખનારાઓને પ્રોત્સાહિત કરવાનો છે.
સંદર્ભો
શિક્ષણ મંત્રાલય
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290004®=48&lang=2
https://pmshri.education.gov.in/#aboutPmshri
https://pmshri.education.gov.in/assets/pdf/part1_pmshri.pdf
https://pmshri.education.gov.in/faqs
https://pmshri.education.gov.in/#main-content
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2291330®=1&lang=1
https://education.vikaspedia.in/viewcontent/education/policies-and-schemes/pm-schools-for-rising-india-scheme?lgn=en
https://sansad.in/getFile/annex/271/AU1144_1PgQNc.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291279®=1&lang=1
https://x.com/EduMinOfIndia/status/1567485212476702721
નીતિ આયોગ (NITI Aayog)
https://www.niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf?utm_source=chatgpt.com
પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2308313)
મુલાકાતી સંખ્યા : 7