પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સ્વદેશી દરિયાઈ સંશોધનને વેગ આપવા માટે ભારતના અદ્યતન ઓશન રિસર્ચ વેસલ ‘ORV સાગર મંથન’નું લોન્ચિંગ કર્યું

પોસ્ટેડ ઓન: 09 SEP 2026 12:56PM by PIB Ahmedabad

કોલકાતા, સપ્ટેમ્બર 09, 2026 — સમુદ્રશાસ્ત્ર વિજ્ઞાન અને દરિયાઈ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા તરફની સફરમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ, અત્યાધુનિક ઓશન રિસર્ચ વેસલ (યાર્ડ 3041), જેને અધિકૃત રીતે ORV સાગર મંથન નામ આપવામાં આવ્યું છે, તે આજે ઋષિ બંકિમ શિપયાર્ડ, કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) હેઠળના નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) માટે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા ડિઝાઇન, એન્જિનિયર્ડ અને ઉત્પાદિત કરવામાં આવેલા આ જહાજને ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના માનનીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના પત્ની શ્રીમતી મંજુ સિંહ પણ જોડાયા હતા, જેમણે પરંપરા જાળવી રાખીને જહાજનું નામકરણ કર્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. ટી. શ્રીનિવાસ કુમારની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમની સાથે તેમના પત્ની શ્રીમતી કવિતા એલાંટી પણ કોલકાતામાં શિપ લોન્ચિંગ માટે જોડાયા હતા.

માનનીય મંત્રીએ રાષ્ટ્રીય ગૌરવ, ગ્લોબલ ઓસન જીઓપોલિટિક્સ અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. કીનોટ એડ્રેસ આપતાં (વર્ચ્યુઅલ), પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ પ્રસંગને NCPOR, મંત્રાલય અને રાષ્ટ્ર માટે "સુવર્ણ દિન" ગણાવ્યો હતો. તેમણે કરાર પર હસ્તાક્ષર કર્યાના માત્ર બે વર્ષમાં અને કીલ લેઇંગના માત્ર પાંચ મહિના પછી જ લોન્ચિંગ હાંસલ કરવા બદલ ટીમની પ્રશંસા કરી હતી, જેને કાર્યક્ષમતાના અસાધારણ પ્રદર્શન તરીકે બિરદાવ્યું હતું.

જહાજની વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક જરૂરિયાત પર પ્રકાશ પાડતા, ડૉ. જિતેન્દ્ર સિંહે (તેમના સંદેશ દ્વારા) જણાવ્યું હતું કે: "આ શ્રેષ્ઠ જહાજ GRSE દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ અદ્યતન ઓશન રિસર્ચ વેસલ છે, જે આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણ તરફ જરૂરી વેગ દર્શાવે છે જેના પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખુબ ભાર મૂકી રહ્યા છે. જ્ઞાન એ જ શક્તિ છે, અને આ જ્ઞાન માત્ર સંશોધન દ્વારા જ મેળવી શકાય છે. આજે, વિશ્વ આપણા મહાસાગરો વિશે ખૂબ ઓછું જાણે છે, તેમ છતાં તે પીગળતા ધ્રુવીય હિમનદીઓ, દરિયાઈ અસરો અને આબોહવા ગતિશીલતા વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ORV સાગર મંથન જેવા જહાજો દ્વારા એકત્રિત કરવામાં આવેલા સચોટ ડેટા ભારતને આપત્તિ નિવારણમાં વૈશ્વિક માર્ગનું નેતૃત્વ કરવા, પર્યાવરણીય સુધારાત્મક પગલાં લેવા અને વૈશ્વિક મહાસાગર ભૌગોલિક રાજનીતિમાં અગ્રણી ભૂમિકા ભજવવાની મંજૂરી આપશે."

ડૉ. સિંહે નોંધ્યું હતું કે સુવિધાઓથી સજ્જ ORV સાગર મંથન ધીમે ધીમે 43 વર્ષ જૂના આઇકોનિક ORV સાગર કન્યાનું સ્થાન લેશે (જે 1983માં જર્મનીથી ખરીદવામાં આવ્યું હતું), અને નજીકના ભવિષ્યમાં વધુ ઓશનોગ્રાફિક જહાજો અને પોલર રિસર્ચ વેસલ મેળવવાની MoES ની યોજનાઓની પ્રશંસા કરી હતી.

MoES સચિવે વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને સ્વદેશી સંક્રમણ પર ભાર મૂક્યો

તેમના સંબોધનમાં, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. ટી. શ્રીનિવાસ કુમારે વિદેશમાંથી સંશોધન પ્લેટફોર્મ મેળવવાની જગ્યાએ તેને સ્થાનિક રીતે બનાવવા તરફના ભારતના નીતિગત બદલાવ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.
મુખ્ય વૈજ્ઞાનિક અસરોની વિગત આપતા, ડૉ. ટી. શ્રીનિવાસ કુમારે અવલોકન કર્યું:

"એક ઓશનોગ્રાફર તરીકે, મેં મહાસાગર સંશોધનના મૂલ્યને પ્રત્યક્ષ રીતે જોયું છે. આબોહવાના પડકારોને સમજવા, સુનામીની આગાહી કરવા અને દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરવા માટે તે પાયો છે. આ નવા ORVની ક્ષમતાઓ એક વૈજ્ઞાનિક તરીકે મને રોમાંચિત કરે છે. તે અંડરવે સ્વાથ મલ્ટીબીમ સર્વે, જીઓફિઝિકલ પ્રોફાઇલીંગ, વાતાવરણીય નિરીક્ષણો અને વોટર કોલમ સેમ્પલિંગની સુવિધા આપશે. GRSE એ એક જટિલ પડકાર સફળતાપૂર્વક પાર કર્યો છે, જે સાબિત કરે છે કે ભારત આવા જટિલ પ્લેટફોર્મ્સ ડિઝાઇન કરવા અને બનાવવામાં સક્ષમ જૂનાગણ્યા દેશોમાંનું એક છે."

પ્રોજેક્ટ બેકગ્રાઉન્ડ અને વ્યૂહાત્મક મહત્વ

આશરે રૂ. 840 કરોડના ખર્ચે ભારત સરકારના મુખ્ય દીપ ઓશન મિશન (DOM)ના વર્ટિકલ-4 (દીપ ઓશન સર્વે એન્ડ એક્સપ્લોરેશન) હેઠળ નિર્મિત, ORV સાગર મંથન એ તમામ ઋતુઓ માટેનું, બહુવિધ વિષયોનું પ્લેટફોર્મ છે. તે દક્ષિણ મહાસાગર સહિતના અત્યંત પ્રતિકૂળ સાગરીય વાતાવરણમાં કાર્ય કરવા માટે એન્જિનિયર્ડ કરવામાં આવ્યું છે, જેનું અંદાજિત સેવા આયુષ્ય 30 વર્ષ છે.

મુખ્ય ટેકનિકલ અને ઓપરેશનલ સુવિધાઓ

અદ્યતન સાધનો: ડાયનેમિક પોઝિશનિંગ, મલ્ટીબીમ બાથિમેટ્રી, મલ્ટીચેનલ સિસ્મિક સિસ્ટમ્સ, સબ-બોટમ પ્રોફાઇલીંગ, વેધર રડાર, ડ્રોપ કીલ્સ અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ (ROV) તથા ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ (AUV)ની તૈનાતીની સુવિધાઓ સાથે સંકલિત.
સંશોધન સ્પેક્ટ્રમ: મલ્ટી-મેટલ હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ મિનરલાઇઝેશનને ઓળખવા, પર્યાવરણીય બેઝલાઇન્સ સ્થાપિત કરવા, ઉપરી-હવાના ડેટા એકત્રિત કરવા અને CTD પ્રોફાઇલીંગ હાથ ધરવા માટે હિંદ મહાસાગરની મધ્ય-મહાસાગરીય પટ્ટીઓ પર બહુવિધ સંશોધનને ટેકો આપશે.

ડ્યુઅલ-ક્લાસ સર્ટિફિકેશન: ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (IRS) અને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા ડ્યુઅલ-ક્લાસ સર્ટિફિકેશન હેઠળ આંતરરાષ્ટ્રીય નિયામક ધોરણોના સંપૂર્ણ પાલન સાથે નિર્મિત.

પ્રોજેક્ટના સીમાચિહ્નો: જુલાઈ 2024માં કરાર પર હસ્તાક્ષર, 29 નવેમ્બર 2024ના રોજ પ્રથમ સ્ટીલ કટીંગ અને 08 એપ્રિલ 2026ના રોજ કીલ લેઇંગ બાદ, જહાજે આજે ઇરેક્શન ડોકમાંથી કન્સ્ટ્રક્શન ડોકમાં સફળતાપૂર્વક આગળ વધ્યું છે.

તેના લોન્ચિંગ પછી, સુપરસ્ટ્રક્ચર ઇરેક્શન, સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને વ્યાપક સી ટ્રાયલ્સ આગળ વધશે, જે બાદ 2028માં શિપનું NCPOR/MoESને કમિશનિંગ માટે આખરી સપોર્પણ નિર્ધારિત છે.

આ સમારોહમાં વિશિષ્ટ મહાનુભાવો દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય ઔપચારિક સીમાચિહ્નો દર્શાવવામાં આવ્યા હતા. GRSE ના C&MD, કમાન્ડર પીઆર હરિના સ્વાગત પ્રવચન પછી, દીપ ઓશન મિશનના મિશન ડિરેક્ટર ડૉ. એમવી રમણમૂર્તિ અને MoES, NCPOR ના ડિરેક્ટર ડૉ. થંબન મેલોથની ઉપસ્થિતિમાં નેમ પ્લેકના અધિકૃત અનાવરણ દ્વારા યાર્ડ 3041 નો લોન્ચિંગ અને નામાભિધાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગની મુખ્ય ક્ષણને અંકિત કરતા, બાંધકામના તેના પછીના તબક્કાની શરૂઆત કરવા માટે અદ્યતન જહાજને પાણીમાં અધિકૃત રીતે સ્થાનાંતરિત કરીને શિપનું વિધિવત લોન્ચિંગ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2308239) મુલાકાતી સંખ્યા : 8