સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. આંબેડકર ફાઉન્ડેશનની આંતર-જ્ઞાતીય લગ્ન અને અત્યાચાર પીડિતોને રાહત આપતી યોજનાઓનું 31 માર્ચ, 2023થી કેન્દ્ર પુરસ્કૃત યોજના સાથે વિલીનીકરણ


બાકી રહેલા કેસોના નિકાલ માટે વિશેષ પહેલ હાથ ધરાઈ; 385 આંતર-જ્ઞાતીય લગ્નના કેસોમાં આશરે ₹9 કરોડની પ્રોત્સાહન રકમ જાહેર કરાઈ

प्रविष्टि तिथि: 08 AUG 2026 7:07PM by PIB Ahmedabad

સરકારે રાજ્યસભાને માહિતી આપી છે કે યોજનાઓના અમલીકરણમાં પુનરાવર્તન (duplication) અટકાવવા માટે આંતર-જ્ઞાતીય લગ્નો દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના અને અસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના અત્યાચાર પીડિતો માટેની ડૉ. આંબેડકર રાષ્ટ્રીય રાહત યોજનાને 31 માર્ચ, 2023 થી સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગની કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) સાથે વિલીનકરણ કરી દેવામાં આવ્યું છે.

સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી રામદાસ અઠાવલે ડૉ. આંબેડકર ફાઉન્ડેશન હેઠળની કલ્યાણકારી યોજનાઓ અંગેના રાજ્યસભાના અતારાંકિત પ્રશ્ન ક્રમાંક 2052ના જવાબમાં આ વિગતો શેર કરી હતી. ગૃહને જણાવવામાં આવ્યું હતું કે આ બે યોજનાઓને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ના અમલીકરણ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના સાથે વિલીન કરવામાં આવી હતી.

ડૉ. આંબેડકર ફાઉન્ડેશનની ઉપરોક્ત યોજનાઓ 31 માર્ચ, 2023થી વિલીન થઈ ગઈ હોવાથી, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ શ્રેણીઓ હેઠળ રાજ્ય-વાર બાકી અરજીઓનો પ્રશ્ન ઊભો થતો નથી.

નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ના અમલીકરણ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રોને કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, અને તેના અસરોકારક અમલીકરણની જવાબદારી તેમના પર રહેલી છે.

ઉપરોક્ત યોજનાઓના વિલીનીકરણથી ઉદ્ભવેલા બાકી રહેલા બેકલોગ કેસોને ઉકેલવા માટે ડૉ. આંબેડકર ફાઉન્ડેશને એક સઘન વિશેષ પહેલ પણ હાથ ધરી છે. આ પહેલના ભાગરૂપે, આંતર-જ્ઞાતીય લગ્નો દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના હેઠળ 385 કિસ્સાઓમાં આશરે ₹9 કરોડનું પ્રોત્સાહન મુક્ત કરવામાં આવ્યું હતું.

સામાજિક એકીકરણને પ્રોત્સાહન આપવા અને પાત્ર લાભાર્થીઓને રાહત તેમજ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કલ્યાણકારી પહેલોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2296652) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil