નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગે “રીઇમેજિનિંગ કેર: સ્ટ્રેટેજીસ ફોર એમ્પાવરિંગ કેરગિવર્સ ઇન વિકસિત ભારત@2047” પર રિપોર્ટ લોન્ચ કર્યો

प्रविष्टि तिथि: 05 AUG 2026 9:43PM by PIB Ahmedabad

નીતિ આયોગે આજે નીતિ આયોગ ખાતે “રીઇમેજિનિંગ કેર: સ્ટ્રેટેજીસ ફોર એમ્પાવરિંગ કેરગિવર્સ ઇન વિકસિત ભારત@2047” શીર્ષક ધરાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો.

આ રિપોર્ટમાં ભારતની સંભાળ વ્યવસ્થા (caregiving ecosystem) રજૂ કરવામાં આવી છે અને સંભાળની એક સંગઠિત, વ્યવસાયિક, સુલભ અને ભવિષ્ય માટે તૈયાર પ્રણાલીના નિર્માણ માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપામાં આવી છે. તે સંભાળ રાખનારાઓને (caregivers) સંભાળ વ્યવસ્થાના કેન્દ્રમાં મૂકે છે, અને સંભાળ રાખવાના કાર્યને એક કુશળ, સન્માનજનક અને મૂલ્યવાન વ્યવસાય તરીકે ઓળખાવે છે, જ્યારે સંભાળની ગુણવત્તા, વ્યવસાયિક માન્યતા, કાર્યબળ કલ્યાણ, સંસ્થાકીય ટેકો અને પરિવારો તથા સમુદાયોને વિશ્વસનીય અને પરવડે તેવી સંભાળ મેળવવા માટે સક્ષમ બનાવવા પર ભાર મૂકે છે. આ રિપોર્ટ દેશમાં સંભાળ સેવાઓની વર્તમાન અને ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે તાલીમબદ્ધ સંભાળ રાખનારાઓની કેડર વિકસાવવાની વધતી જતી જરૂરિયાત અને વૈશ્વિક મંચ પર ભારતીય કેરગીવર પ્રોફેશનલ્સ માટેની સંભવિત તકો પર પણ ભાર મૂકે છે.

આ રિપોર્ટ નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અશોક કુમાર લહિરી દ્વારા નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ અને નીતિ આયોગના સીઇઓ શ્રીમતી નિધિ છિબ્બર અને નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગમાં કેન્દ્રીય મંત્રાલયો, જેમ કે સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ, દિવ્યાંગજન આધિકારિકતા વિભાગ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, વિદેશ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય સંસ્થાઓ, યુએન એજન્સીઓ જેવી કે UNFPA, WHO, UNRC, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, ILO વગેરેના પ્રતિનિધિઓ અને કેરગીવર તાલીમ અભ્યાસક્રમો/કાર્યક્રમો પૂરા પાડતા અન્ય હિતધારકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અશોક કુમાર લહિરીએ જણાવ્યું હતું કે કેરગીવર્સ માટેની વૈશ્વિક માંગ ભારતને પરંપરાગત સંભાળ ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવા, નોંધપાત્ર આર્થિક મૂલ્ય અનલોક કરવા, રોજગારીનું સર્જન કરવા, સંભાળ રાખનારાઓ માટે માન્યતા અને સામાજિક સુરક્ષા મજબૂત કરવા તેમજ ભારતની સાંસ્કૃતિક અને જ્ઞાન-આધારિત સોફ્ટ પાવરને પુનર્જીવિત કરવા માટે એક અનોખી તક પૂરી પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ રિપોર્ટ સંસ્થાકીય અભિસરણને મજબૂત કરવા, કૌટુંબિક અને વ્યાવસાયિક કેરગીવર્સને સશક્ત બનાવવા અને ભારતને કુશળ સંભાળ સેવાઓ માટેના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા માટે એક વ્યાપક રોડમેપ પૂરો પાડે છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને સંવેદના હંમેશા ભારતની નાગરિક સંસ્કૃતિના હૃદયમાં રહ્યા છે, અને સંભાળ રાખવી (caregiving) આ કાલાતીત મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે એક મજબૂત કેરગીવિંગ ઇકોસિસ્ટમ સામાજિક સમાવેશનને મજબૂત કરશે, એક સંભાળ રાખનારા સમાજનો વિકાસ કરશે, સમુદાયોને સશક્ત બનાવશે, ગુણવત્તાયુક્ત આજીવિકા ઊભી કરશે અને વિકસિત ભારત@2047 ના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.

નીતિ આયોગના સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રિપોર્ટ વ્યાપક હિતધારકોની પરામર્શ, આંતરરાષ્ટ્રીય બેંચમાર્કિંગ, સર્વેક્ષણો અને ફિલ્ડ મુલાકાતો પર આધારિત છે અને ભારતને કેરગીવિંગ સેવાઓમાં વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવાની તકો દર્શાવે છે.

આ રિપોર્ટ સંભાળ સેવાઓને ભારતના સામાજિક અને આર્થિક પરિવર્તનના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે કલ્પના કરે છે અને તેને વિકસિત ભારત@2047 તરફની યાત્રામાં સમાવેશી અને ટકાઉ વિકાસના આવશ્યક સક્ષમકર્તા તરીકે સ્થાપિત કરે છે. પરંપરાગત કરુણાપૂર્ણ સંભાળમાં દેશના મજબૂત વિશ્વાસ અને કેરગીવર્સ માટેની વૈશ્વિક માંગ સાથે, ભારત વસ્તી વિષયક લાભાંશ (demographic dividend) નો લાભ ઉઠાવવા અને તેના કેર નેટવર્ક અને કુશળ કાર્યબળનો વિસ્તાર કરવા માટે વૈશ્વિક તકો શોધવા માટે અનોખી સ્થિતિમાં છે.

આ રિપોર્ટ નીતિ, કેરગીવર્સની વ્યાવસાયિક માન્યતા, કાર્યબળનો વિકાસ, વૈશ્વિક સહયોગ, સામાજિક સુરક્ષા, કૌટુંબિક અને સમુદાય-આધારિત સંભાળ વગેરે સહિત અનેક વ્યૂહાત્મક સ્તંભોમાં તેની ભલામણોને ગોઠવે છે. આ રિપોર્ટ 'નેશનલ પોલિસી ઓન કેરગીવિંગ' અને 'નેશનલ કેરગીવર કાઉન્સિલ' દ્વારા સંગઠિત, વ્યાવસાયિક કેરગીવિંગ ઇકોસિસ્ટમ માટેનો રોડમેપ પણ રજૂ કરે છે.

સંપૂર્ણ રિપોર્ટ અહીં મેળવો: https://www.niti.gov.in/sites/default/files/2026-08/Reimagining-Care-Strategies-for-Empowering-Caregivers-in-Viksit-Bharat-2047.pdf

SM/JY/JD


(रिलीज़ आईडी: 2295267) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English