સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

પરવડે તેવી કેન્સર સંભાળ ગ્રામીણ સમુદાયો સુધી પહોંચાડવી: જાણો કેવી રીતે VCF-SCએ હર્ષમિત્રા ઓન્કોલોજી પ્રા. લિ.ને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓના વિસ્તરણમાં સક્ષમ બનાવ્યું


તિરુચિરાપલ્લી (તિરુચિ), તામિલનાડુ | સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

प्रविष्टि तिथि: 05 AUG 2026 3:43PM by PIB Ahmedabad

ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત કેન્સર સારવારની ઉપલબ્ધતા હજુ પણ એક મોટો પડકાર છે. વિશિષ્ટ ઓન્કોલોજી સુવિધાઓ સ્થાપિત કરવા માટે અદ્યતન તબીબી સાધનો અને માળખાકીય સુવિધાઓમાં મોટા પ્રમાણમાં રોકાણની જરૂર પડે છે, જેના કારણે ઘણા વંચિત સમુદાયો માટે ગુણવત્તાયુક્ત કેન્સર સારવાર પહોંચની બહાર રહે છે. સંસ્થાકીય નાણાકીય સહાય કેવી રીતે આરોગ્ય ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવી શકે છે તેનું ઉદાહરણ રજૂ કરતાં, તિરુચિ, તમિલનાડુ સ્થિત હર્ષમિત્રા ઓન્કોલોજી પ્રા. લિ. રેડિયેશન થેરાપી દ્વારા સસ્તી કેન્સર સારવાર પૂરી પાડતી વિશ્વસનીય સંસ્થા તરીકે ઉભરી આવી છે. કંપનીની આ યાત્રા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના અનુસૂચિત જાતિ માટેના વેન્ચર કેપિટલ ફંડ (VCF-SC)ની પરિવર્તનકારી અસરને દર્શાવે છે.

ડૉ. ગોવિંદરાજની માલિકીની હર્ષમિત્ર ઓન્કોલોજી પ્રા. લિ. ની સ્થાપના પરવડે તેવા ખર્ચે રેડિયેશન થેરાપી દ્વારા ગુણવત્તાયુક્ત કેન્સરની સારવાર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સેવાઓથી વંચિત અને ગ્રામીણ વસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ સાહસ સર્વસમાવેશી આરોગ્યસંભાળ વિતરણના વ્યાપક ઉદ્દેશ્યને ટેકો આપવાની સાથે સ્પેશિયલાઇઝ્ડ આરોગ્યસંભાળ સેવાઓની પહોંચ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

રેડિયેશન થેરાપી દ્વારા પરવડે તેવી કેન્સરની સારવાર

આ પ્રોજેક્ટની સામાજિક અને આરોગ્યસંભાળ અસરોને ઓળખીને, અનુસૂચિત જાતિ માટેના વેન્ચર કેપિટલ ફંડે ઇક્વિટી અને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધરાવતી વેન્ચર કેપિટલ સહાય દ્વારા 2015માં ₹4.80 કરોડની નાણાકીય સહાય લંબાવી હતી. નાણાકીય સહાયથી સાહસને તેની કેન્સર સારવાર સુવિધાનો વિસ્તાર કરવા અને મોટી વસ્તીને સેવા આપવા માટે તેની ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યું.

નાણાકીય સહાયથી કંપની તેના વર્તમાન વ્યવસાયિક કામગીરીનો વિસ્તાર કરવા, સમુદાયની ભાગીદારી મજબૂત કરવા અને પરવડે તેવી, ગુણવત્તાયુક્ત કેન્સર સંભાળ સેવાઓનું વિતરણ સુધારવા માટે સક્ષમ બની. આ પ્રોજેક્ટે ગ્રામીણ સમુદાયો માટે સ્પેશિયલાઇઝ્ડ ઓન્કોલોજી સેવાઓની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરવાની સાથે સ્થાનિક લોકો માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો પણ ઉભી કરી છે.

રેડિયેશન થેરાપી અને પરવડે તેવી કેન્સર સંભાળ સુવિધા આ પહેલની અસર નોંધપાત્ર રહી છે. આજે, હર્ષમિત્ર ઓન્કોલોજી પ્રા. લિ. સમગ્ર પ્રદેશમાં દર્દીઓને સુલભ કેન્સર સારવાર પૂરી પાડવાનું ચાલુ રાખે છે અને સાથે જ સામુદાયિક આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે. સુવિધાના વિસ્તરણથી સ્પેશિયલાઇઝ્ડ રેડિયેશન થેરાપીની પહોંચ વધારી છે, રોજગારીની તકો ઊભી કરી છે અને વંચિત વસ્તી માટે વધુ સારા આરોગ્યસંભાળ પરિણામોમાં યોગદાન આપ્યું છે.

આ યાત્રા પર વિચાર વ્યક્ત કરતા ડૉ. ગોવિંદરાજે કહ્યું: "આ યોજના હેઠળ મળેલી સહાયથી માત્ર વ્યવસાય મજબૂત થયો નથી પરંતુ અમને પ્રદેશમાં સામાજિક કલ્યાણ અને આરોગ્યસંભાળ સેવાઓમાં સતત યોગદાન આપવામાં પણ મદદ મળી છે."

હર્ષમિત્ર ઓન્કોલોજી પ્રા. લિ. ની સફળતા દર્શાવે છે કે અનુસૂચિત જાતિ માટેના વેન્ચર કેપિટલ ફંડ (VCF-SC) હેઠળ લક્ષ્યાંકિત નાણાકીય સહાય કેવી રીતે સાહસિકોને ટકાઉ આરોગ્યસંભાળ સાહસો બનાવવામાં સક્ષમ બનાવી રહી છે જે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓની પહોંચ સુધારે છે, રોજગારીનું સર્જન કરે છે અને વંચિત પ્રદેશોમાં આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરે છે. સાહસિકતાને પ્રોત્સાહન આપીને અને સામાજિક રીતે પ્રભાવશાળી વ્યવસાયોને ટેકો આપીને, સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય સાહસિકોને સશક્ત બનાવવાનું, જીવન સુધારવાનું અને સમગ્ર દેશમાં ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2294937) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी