સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

નશા મુક્ત ભારત અભિયાન હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં સરકારે નશા મુક્તિ અને જાગૃતિ પહેલો મજબૂત કરી


જમ્મુ અને કાશ્મીરમાં 1.20 કરોડથી વધુ લોકોને સંવેદનશીલ/જાગૃત કરાયા; 8,565 નશા મુક્તિ મિત્રો આ ઝુંબેશમાં જોડાયા

प्रविष्टि तिथि: 03 AUG 2026 6:51PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં સતત જાગૃતિ અભિયાનો, નશા મુક્તિ, પુનર્વસન અને કાઉન્સેલિંગ સેવાઓ દ્વારા નશીલા દ્રવ્યોના સેવનને રોકવા માટે નશા મુક્ત ભારત અભિયાન (NMBA) અમલમાં મૂકી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં, આ વર્ષે 29 જુલાઈ સુધીમાં આ અભિયાન 69.14 લાખથી વધુ યુવાનો અને 51.20 લાખથી વધુ મહિલાઓ સહિત 1.20 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે, જ્યારે 8,565 નશા મુક્તિ મિત્રો નશીલા દ્રવ્યોના સેવન સામેના આ દેશવ્યાપી આંદોલનમાં જોડાયા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ડ્રગ ડિમાન્ડ રિડક્શન માટેના નેશનલ એક્શન પ્લાન (NAPDDR) હેઠળ આ અભિયાન ચલાવી રહ્યું છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માએ લોકસભામાં શ્રી આગા સૈયદ રૂહતુલ્લાહ મેહદીના લેખિત જવાબમાં આ વિગતો શેર કરી હતી. ગૃહને જણાવવામાં આવ્યું હતું કે મંત્રાલય સમગ્ર દેશમાં નશીલા દ્રવ્યોની માંગ ઘટાડવા માટે નિવારક શિક્ષણ, જાગૃતિ નિર્માણ, સારવાર, પુનર્વસન અને ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો માટે રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો, NGO અને સરકારી હોસ્પિટલોને નાણાકીય સહાય પૂરી પાડે છે.

લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મંત્રાલય જમ્મુ અને કાશ્મીરમાં નશા મુક્તિ અને પુનર્વસન સુવિધાઓના વ્યાપક નેટવર્કને ટેકો આપી રહ્યું છે, જેમાં ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર ફોર એડિક્ટ્સ (IRCA), 3 આઉટરીચ અને ડ્રોપ-ઇન સેન્ટર્સ (ODICs), 2 કોમ્યુનિટી-બેઝ્ડ પીઅર-લેડ ઇન્ટરવેન્શન (CPLI) કાર્યક્રમો, 6 ડિસ્ટ્રિક્ટ ડી-એડિક્શન સેન્ટર્સ (DDACs) અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી હોસ્પિટલોમાં સ્થાપિત 21 એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ (ATFs) નો સમાવેશ થાય છે.

ગૃહને એ પણ માહિતગાર કરવામાં આવ્યું હતું કે મંત્રાલય નેશનલ ટોલ-ફ્રી ડી-એડિક્શન હેલ્પલાઇન 14446 સંચાલિત કરે છે, જે પ્રાથમિક કાઉન્સેલિંગ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે. આ હેલ્પલાઇન પર દેશભરમાંથી 4.6 લાખથી વધુ કોલ આવ્યા છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના 11,000 થી વધુ કોલ શામેલ છે, જે જાગૃતિમાં વધારો અને સહાયક સેવાઓની સુલભતા પ્રતિબિંબિત કરે છે.

જવાબમાં વધુમાં રેખાંકિત કરવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ 2020 ના રોજ શરૂ કરવામાં આવેલા નશા મુક્ત ભારત અભિયાનનો હવે દેશના તમામ જિલ્લાઓમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. આ અભિયાન સામુદાયિક ભાગીદારી દ્વારા નશીલા દ્રવ્યોના સેવન સામે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને શાળાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાષ્ટ્રીય સ્તરે, આ અભિયાને 11.05 કરોડથી વધુ યુવાનો અને 7.81 કરોડ મહિલાઓ સહિત 29.05 કરોડથી વધુ લોકોને જાગૃત કર્યા છે, જ્યારે 1.17 લાખથી વધુ નશા મુક્તિ મિત્રો આ આંદોલનમાં જોડાયા છે.

અભિયાનના મૂલ્યાંકન અંગેના પ્રશ્નનો જવાબ આપતાં ગૃહને માહિતગાર કરાયા હતા કે માસિક સમીક્ષા બેઠકો, ચિંતન શિબિરો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની રાષ્ટ્રીય સ્તરની પરિષદો દ્વારા NMBA ના અમલીકરણની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે. સમન્વયને મજબૂત કરવા અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય, જિલ્લા અને બ્લોક-સ્તરની NMBA સમિતિઓની સ્થાપના કરવા અને નિયમિત બેઠકો યોજવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રયાસોએ સતત જાગૃતિ નિર્માણ, સામુદાયિક ભાગીદારીમાં વધારો, મજબૂત આંતર-વિભાગીય સમન્વય અને નશીલા દ્રવ્યોના સેવનથી પ્રભાવિત વ્યક્તિઓ માટે અટકાયત, સારવાર અને પુનર્વસન સેવાઓની પહોંચમાં સુધારો કરવામાં યોગદાન આપ્યું છે.

SM/JD


(रिलीज़ आईडी: 2294023) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी