રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારતે ગુજરાતના સુરત જિલ્લામાં એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ચાર કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વતઃ નોંધ લીધી છે
અહેવાલો અનુસાર, પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા
કમિશને ગુજરાતના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે
અપેક્ષા છે કે રિપોર્ટમાં તપાસની સ્થિતિ અને મૃતક કામદારોના પરિવારોને જો કોઈ વળતર આપવામાં આવ્યું હોય તો તેની વિગત સામેલ હશે
प्रविष्टि तिथि:
10 JUN 2026 1:39PM by PIB Ahmedabad
7 જૂન, 2026ના રોજ ગુજરાતના સુરત જિલ્લામાં એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ચાર કામદારોના મૃત્યુ થયા હોવાના આરોપ લગાવતા મીડિયા રિપોર્ટની ભારતીય રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ સ્વતઃ નોંધ લીધી છે. એવું કહેવાય છે કે તેઓ સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા અને ઝેરીલી ગેસની ઝપેટમાં આવી ગયા હતા. બચાવ ટીમોએ કામદારોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કમિશને નોંધ્યું છે કે જો સમાચાર અહેવાલ સાચો હોય, તો તે ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવે છે. તેથી, તેમણે ગુજરાતના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. રિપોર્ટમાં તપાસની સ્થિતિ અને મૃતકોના પરિવારોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ તેની માહિતી સામેલ હોવાની અપેક્ષા છે.
8 જૂન, 2026ના રોજના મીડિયા રિપોર્ટ અનુસાર દાગીનાની સફાઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કચરો સેપ્ટિક ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2271081)
आगंतुक पटल : 29