આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
ભારત સરકાર NSO દ્વારા રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વેક્ષણ શરૂ કરી રહી છે
પોસ્ટેડ ઓન:
16 MAR 2026 3:04PM by PIB Ahmedabad
ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો કરી રહી છે. રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વેક્ષણ (NHIS) ૨૦૨૬, જે એપ્રિલ 2026માં શરૂ થવાનું છે, તેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં ઘરગથ્થુ આવક પર વિશ્વસનીય અને વ્યાપક ડેટા એકત્રિત કરવાનો છે. વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરાયેલા અનુમાન, સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તાર માટે અંદાજ તૈયાર કરવામાં મદદ કરશે, જેમાં આવકના બહુવિધ સ્ત્રોત નો સમાવેશ થશે.
આ સર્વે એપ્રિલ 2026 થી માર્ચ 2027 દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમ્પ્યુટર-આસિસ્ટેડ પર્સનલ ઇન્ટરવ્યુ (CAPI) નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વેક્ષણ (NHIS) નો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ પ્રદેશો અને સામાજિક-આર્થિક જૂથોમાં આવકના વિતરણને સમજવાનો, કુલ અને ઉપલબ્ધ ઘરગથ્થુ આવકનો અંદાજ કાઢવાનો અને દેશમાં આવકની અસમાનતાની હદ માપવાનો છે. એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ સંબંધિત મંત્રાલયો/વિભાગો દ્વારા આયોજન અને નીતિ નિર્માણ માટે કરવામાં આવશે.
આ સર્વેક્ષણની સફળતા મોટાભાગે ઘરો પાસેથી મળેલી સચોટ માહિતી પર આધાર રાખે છે. NSO અધિકારીઓ પસંદ કરેલા ઘરોનો સંપર્ક કરીને વસ્તી વિષયક લાક્ષણિકતાઓ, શૈક્ષણિક અને રોજગાર સ્થિતિ જેવી જરૂરી વિગતો મેળવશે. NSO દ્વારા આ માહિતીની ગુપ્તતા સુનિશ્ચિત કરવામાં આવશે. ઘરોના સહયોગ વિના, વિશ્વસનીય ડેટા મેળવવાનું શક્ય બનશે નહીં. તેથી, સરકાર તમામ હિસ્સેદારોને અપીલ કરે છે કે તેઓ આ સર્વેક્ષણમાં રોકાયેલા NSO ના અધિકારીઓને શક્ય તમામ સહાય પૂરી પાડે અને સચોટ અને સંપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે કિંમતી સમય કાઢે.
સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વેક્ષણ કરી રહેલા રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અધિકારીઓ માટે બે દિવસીય પરિષદ 17 અને 18 માર્ચ, 2026ના રોજ રાષ્ટ્રીય આંકડા કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાશે. આ પરિષદમાં અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકમંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.
આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન શ્રી જુનૈદ ફારૂકી, પ્રાદેશિક વડા, ગુજરાત (પશ્ચિમ ક્ષેત્ર), ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન (FOD), NSO કરશે. ઘરેલું સર્વેક્ષણ પ્રભાગ (HSD) કોલકતાના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી શ્રીદીપ ડે , RTC માં નિરીક્ષક તરીકે હાજરી આપશે શ્રી સી.એ. ભટ્ટ, સંયુક્ત નિયામક, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક (DES), ગુજરાત સરકાર, અને શ્રી રવિશંકર વર્મા, ડેપ્યુટી ડાયરેક્ટર, અને શ્રીમતી શ્રદ્ધા મુલે, આસિસ્ટન્ટ ડિરેક્ટર, ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન (FOD), NSO પણ હાજર રહેશે.
SM/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2240623)
મુલાકાતી સંખ્યા : 134