પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રીએ સત્યના વિજય પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 12 MAR 2026 10:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, 1930માં આજના દિવસે શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ સત્યના વિજય પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः।

येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम्॥

સુભાષિત દર્શાવે છે કે, સત્ય હંમેશા જીતે છે અને અસત્યનો આખરે નાશ થાય છે. તેથી, વ્યક્તિએ તે માર્ગને અનુસરવો જોઈએ જેના પર ઋષિઓએ આનંદ પ્રાપ્ત કર્યો હતો અને પરમ સત્યનો અનુભવ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

દાંડી કૂચ 1930માં આ દિવસે શરૂ થઈ હતી. તેમાં સામેલ તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ!

सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः।

येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम्॥


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2238728) મુલાકાતી સંખ્યા : 25